Tuesday, December 22, 2009

હૃદરોગ -અંતઃ કલા શોથ

****અંતઃ હ્રુદ્કલા શોથ  ---આયુર્વેદ માં અભિઘાતજ હૃદય રોગ ના નિદાનો માં  વર્ણવેલું છે .તેમાં હૃદય પર સીધો  અભિઘાત થાય કે બીજા અવયવ પર વ્રણ થાય અને તેમાં ત્રિદોષ પ્રકોપ પામી નેઉપસર્ગ થઇ જીવાણુ જનિત પાકક્રિયા -પૂયતા વગેરે થઇ ને હૃદય ની અંતઃકલા માં તીવ્ર શોથ આવે છે ,ઘણી વખતે કાકડા ,ફેફસા ,આંતરડા ,અસ્થીમજ્જા,આમવાત ,અંતઃકર્ણ શોથ,આન્ર્તિક જવર ના તીવ્ર લક્ષણો માં પણ હૃદય માં ઉપસર્ગ પહોચી જતાં હૃદય અંતઃકલા માં તીવ્ર શોથ થાય છે.આવા શોથ માં અંતઃકલા સાથે હૃદય ની બધી કપાતીકાઓ (વાલ્વ) સંકળાયેલી છે.અથવા તો તેની જ બનેલી છે.જો અંતઃ સ્તર માં શોથ આવે છે અને કપાતીકા(વાલ્વ ) માં વિકૃતિ આવતા હૃદય ના લગભગ બધાજ કર્યો માં વિઘ્ન ,વિલંબ અને અપૂર્ણતા આવે છે.
       વાલ્વ માં શોથ સાથે સાથે ઉદ્ભેદ જોવા મળે છે.મોટે ભાગે દ્વીકપર્દી વાલ્વ અને આલીન્દના અંદર ના પદ માં,મહા- ધમની ના નિલય ના ભાગ માં વધારે પ્રમાણ માં દેખાય છે.ઘણી વાર જન્મજાત હૃદય વિકાર માં જમણી બાજુએ પણ વધારે જોખમી હોય તેવા ઉદ્ભેદ જોવા મળે છે.આગળ વધી ને આ ઉદ્ભેદ ,આલિંદ,નિલય અને પટલ માં છિદ્ર પણ કરી શકે છે.વાલ્વ ને બાંધી રાખવા વળી કંદરા માં વિદારણ પણ કરી નાખે છે.તો તેના કારણે વૃક્ક,મસ્તિષ્ક ,આન્ત્ર,દ્રષ્ટિ પટલ  અથવા ફેફસાં માં પૂતી રોધગલન,ની ઉત્પત્તિ થાય છે. આ રોગ કરનારા જીવાણું વાળા રોગો ના રોગી ના સંસર્ગ થી પણ આ રોગ થઇ શકે છે. જેવાકે ---ફેફસાં માં પાક-શોથ ,મધ્ય કર્ણશોથ,ત્વચાઘાત,કોઈ પ્રકાર નો ઘા, કે વિદ્રધી ,મૂત્ર સંસ્થાન માં ઉપસર્ગ કે શલ્ય કર્મ જનિત ઉપસર્ગ ,હૃદય ને લગતા શલ્ય કર્મ ના વખતે અથવા ત્યાર બાદ હૃદય અંતઃ કળા શોથથઇ શકે છે.તે રોગી ને જવર ,કલમ,દુર્બળતા ,શ્વાસ કૃચ્છતા થાય છે.હૃદય નું પરીક્ષણ કરતાં ગ્રસિત થયેલ કપાતીકાઓ નો અવાજ સંભાળવા મળે છે.રુગ્ણ માં રક્તાલ્પતા ના લક્ષણો જોવા મળે છે. તો ક્યારેક રક્ત સ્ત્રાવ જોવા મળે છે.પ્લીહા ના ભાગ માં વેદના અને સ્પર્શાસહ્યતા,જોવા મળે તો ક્યારેક હ્રુદ્ગત અંતઃ શલ્યતા હોય છે.આ અંતઃ કળા હ્રુદ શોથ ના તીવ્ર ઉપસર્ગ જનિત જુના રોગો મા પણ ધીમું સંક્રમણ હૃદય માં રહે છે.અને અંતઃ કળા નો શોથ કહે છે .   

Sunday, December 6, 2009

હૃદય રોગ

 હૃદય રોગ ------આયુર્વેદ ની પધ્ધતિ -નિદાન પંચક માં સંપૂર્ણ બંધ બેસે તેવા તો આગળ બતાવેલ પાંચ જ રોગ કહેલા ;બાકી બીજા બધા જ કહેવાતા હૃદય રોગ  કે જેમાં બીજા કારણો થી હૃદય ગ્રસિત-પીડિત થયેલું છે.તેમાં અગ્નીમાંન્દ્ય,આમ ,સ્ત્રોતોરોધ ,સ્ત્રોતોદુષ્ટિ અને વય જનિત કારણો છે.તે છતાં હૃદય ને જેમાં પીડા થાય તે હૃદય રોગ ગણી ને ચાલીસું અને તેના કારણો નેઉપાય બંને સમજવાનો પ્રયત્ન કરીશું .તે માં પહેલી  હરોળ માં આવે છે આમવાત જનિત હૃદય રોગો . -----હ્રુદયાવરણ ના રોગો .******હ્રુદયાવરણ શોથ ---------આ   રોગ નાના બાળકો અને યુવાનો માં વધારે જોવા મળે છે.પહેલા કહ્યું તેમ આમ બધા રોગોનું કારણ છે.આ આમથી જવર આવે છે.બધા જ  જવરમાં આમ એ  સામાન્ય કારણ છે.પણ અહીં માંન્સાદી ધાતુ સુધીનું આમપણું હોય છે.અને તે ઉપરાંત રુગ્ણદ્વારા અપથ્યનું સેવન ચાલુ રાખવામાં આવે ,જવરની યોગ્ય ચિકિત્સા ના કરવા માં આવે તો તે જીર્ણ થઈને આમ સંચય હૃદય સુધી પહોચીને હૃદયને આવરી નેરહેતી થેલી (હ્રુદયાવરણ) માં જે સ્નિગ્ધ પ્રવાહી છે.તે વધી જાય છે. તેના સમ્યગ ગુણ ને બગાડી વિકૃતિ કરી ને શોજો લાવે છે.અને તે હૃદયના કાર્ય માં વિક્ષેપ નાખે છે.
આધુનિકો આ જવર માં આમવાતિક,પુયજન્ય,ક્ષય જન્ય ,વાગવાથી ક્ષત(ઘા) થાય અને તેના ઉપસર્ગ ની બીજી કે ત્રીજી અવસ્થા માં માંસ પેશી માં રક્ત નું યોગ્ય પ્રમાણ માં ના ફરવું રક્ત-રસ ધ્તું માં અમ્લતા નું (યુરિક એસીડ ) પ્રમાણ વધવું ,મસ્તિષ્ક જવર ના ઉપદ્રવ તરીકે,ફૂપ્ફૂસ શોથ-જવરના ઉપદ્રવ તરીકે સર્વાંગ શોથ એ આમવાત ના ઉગ્રસ્વરૂપ માં જોવા મળે છે. હ્રુદયાવરણ ના શોથ  ના તાન્તવ જનિત નિહ્સ્ત્રાવ સ્થાનિક હોય અથવા ફેલાયેલો હોય તો તે બ્રેડ પર લગાવેલ માખણ ના સ્તર જેવો લાગે છે.એમાં સ્ત્રાવ ઘણો ઓછો જોવા મળે છે.આ રોગી ના મરણોપરાંત શવચ્છેદન થી તેના હ્રુદયાવરણ  પર જુના ઘા જોવા મળે છે.જે દૂધ ના મોટા ટપકા જેઓ હોય છે. ----નાના બાળકો માં આમવાત અને તેનાથી થતા આક્ષેપ જોવા મળે છે.અથવા પૂર્વ ઈતિહાસ જાણવા  મળે છે.વયસ્થ રોગીઓ માપન ઉપરોક્ત કારણો થી થાય છે,અને મોટા ભાગે શુષ્ક હોય છે.વૃધ્ધો માં ઉપર બતાવેલા રોગો ના કે અન્ય કોઈ રોગના અંતિમ અવસ્થા માં થાય છે.આ રોગ માં જો ફૂપ્ફૂસાવરણ પણ આક્રાંત થાય તો હ્રુદ્શુલ -પાર્શ્વ શુળ થાય છે.પણ તે સ્થાનિક ભાગ સુધી જ વેદના ગ્રસ્ત રહે છે. જે રોધગલનહૃદય રોગ થી જૂદો પાડવામાં મદદ રૂપ થાય છે.તો ક્યારેક ગ્રીવા,બાહુ કે ઉદાર સુધી વેદના વ્યાપે છે.હ્રુદયાવરણ શોથ ફૂપ્ફૂસાવરણ શોથ માં પરિણામ પામતાં શ્વાસકૃચ્છતા  અને કાસ ઉપદ્રવ રૂપે જોવા મળે છે. થોડી મહેનત થી પણ વેદના માં વધારો થાય છે.******હ્રુદયાવરણ માં દ્રવસંચાય ----આ પણ આમવાત જનિત-આમ ની વિકૃતિ નો રોગ છે. આગળ કહેલા કારણથી વિકૃત થયેલો રસ,કફને પ્રકોપિત કરી ને હૃદયસ્થ તર્પક કફ ને બગાડી ને હૃદયને આવૃત કરી ને રહેલા હ્રુદયાવરણ માં રહેલ દ્રવ વધી જાય છે.તે બે પ્રકાર ના હોય છે. ૧ )સ્વચ્છ --તેમાં હ્રુદયાવારણમાં રહેલુદ્રવ  સ્વચ્છ હોય છે.અને સોજો લાવેછે,જળ સંચયથી શોથ થાય છે.(૨) સપૂય-તેમાં બીજા   રોગના ઉપસર્ગ થી કે વિકૃત થયેલા તર્પક  કફ પ્રકોપાવસ્થા માં હોય અને પિત્તનો પ્રકોપ ભળતાં તેમાં પરુ-પાક થઇ જાય છે.(૩)વધારે પિત્તનો પ્રકોપ થતાં તર્પક કફને સમ્યાગ રૂપમાં રાખવા વાળીલસીકા માં પિત્તની વિકૃતિ થતાં ત્યાં રક્તસ્ત્રાવ થઇ ને હ્રુદયાવરણ માં રક્તનો સંચય અથવા તે પ્રવાહી માં રક્ત ના કણો જોવા મળે છે.----પ્રકુપિત તર્પક કફ વિકૃત અવસ્થા માં થતાં હ્રુદયાવરણ  માંજે પ્રાકૃત કફ હૃદયનું તર્પણ કરે છે.તેમાં કાચો લસીકા સ્ત્રાવ ભળી ને હ્રુદયાવરણ શોથ કહેછે.આની સંપૂર્ણ માહિતી-નિદાન માટે ઇકોકાર્દિઓગ્રાફિ અને વિકિરણ (ક્ષ-રે ) પરીક્ષણ જરૂરી છે. ---હૃદય ની ક્ષમતા ઓછી થતાં હૃદય  નાં ખાનાંપહોળા થાય છે. હૃદય માં આવેલું રક્ત યોગ્ય સમયે અને પ્રમાણ માં પાછું જતું નથી અને તે લસીકા માં થી વહેતો તર્પક કફ માં આમ અને જળ નું પ્રમાણ વધી જતા જલીય હ્રુદયાવરણ શોથ થાય છે.જીર્ણ વૃક્ક શોથ નાં ઉપદ્રવ તારીકેજલ નો યોગ્ય વિસર્ગ ન થતાં શરીર માં જળ સંચય થાય છે.તેમાં હ્રુદયાવરણ માં પણ આ લક્ષણો આવી શકે છે.જે જે લસીકા વાહિની હ્રુદયાવરણ માં તર્પક કફ લાવે છે. ત્યાં પ્રકુપિત પિત્ત પાક ક્રિયા કરી ને પૂય નિર્માણ કરે છે.તેજ રીતે અન્ય રોગો ના લક્ષણો કે અભીઘાત જન્ય ઉપસર્ગથી પણ પૂય નિર્માણ થાય છે. તેને તીવ્ર હ્રુદયાવરણ શોથ કહે છે.
-----તેજ રીતે જન્મ-જાત કે ઉપસર્ગ થી વાયુ ની અતિ વિકૃતિ થતાં આ હ્રુદયાવરણ માં વાત સંચય પણ થાય છે. અતિ વેદના વાળો શોથ ઉત્પન્ન કરે છે.જુનો અથવા વધારે સમય સુધી ચાલેલો આમવાત ની યોગ્ય ચિકિત્સા ન થતાં હ્રુદયાવરણ શોથ હ્રુદયાવરણ ના બન્ને પડોએક બીજા સાથે ચીપકી જાય છે.--આ સંપ્રાપ્તિ હૃદય ના નજીક ના અવયવો માં અર્બુદ,હૃદય-રોધગલન અને ક્ષય માં પણ જોવા મળે છે.

Friday, November 20, 2009

હ્રુદ્સાદ (કાર્ડિઆક ફેઇલ્યોર)-2

******એજ રીતે જમણી બાજુની વાત કરીએ તો અધઃ અને ઉર્ધ્વ મહા -શીરા દ્વારા હૃદયના જમણા આલિંદ માં અશુદ્ધ રક્ત આવે છે.પછી ત્રિદલ વાલ્વ દ્વારા જમણા નીલયમાં .તે સંકોચાતાં ફૂપ્ફૂશીય ધમની દ્વારા ફેફસામાં જાય છે.જયારે આ ભાગ નિર્બળ બને અને તે નિયત ગતિ અને બળથી રક્ત લેતું નથી કે બીજા ખાનાં માં મોકલતું નથી કે ફેફસામાં લઇ જતું નથી તેથી ત્રણે ક્રિયા માં વિલંબ થાય છે.અને જે તે અવયવોમાં રસ-રક્ત નો સંચય થાય તેથી તે અવયવો માં શોથ થાય છે
.*****આ શોથ યકૃત-પ્લીહા અને ફેફસા માં દેખાય છે.,લાંબા સમયે જલોદર થાય છે.ડાબી બાજુની માફક જ સયાન્તરે બંને ખાનાં પહોળા થાય છે.અને પછી તે ખાનાં ની દીવાલોજાડી થાય છે -વધે છે.

            આમ શિરાઓ માં કાર્ય વિલંબથી રક્ત નો ભરવો રહે છે,અને પરિણામે શિરાઓ થોડી પહોળી થાય છે.ગાળા ની શિરાઓ પ્રત્યક્ષ રીતે જોઈ શકાય તેવી ફૂલે છે.----આ અનુલોમ ગતિ થી રોગોત્પત્તી થઇ ,તેમ પ્રતિલોમગતિથી  
યકૃત-પ્લીહા કે ફૂપ્ફૂસા માં શોથ થાય કે જળ સંચય થતા તેનો કાર્યભાર વધી જાય અને તે બધાનું કાર્ય પરોક્ષ રીતે હૃદય ને જ કરવું પડે છે;અને હૃદય નિર્બળ બને છે-અક્ષમ બને છે.*******નિર્બળ હૃદય નું બળ અને ગતિ બંને ઘટતા રસ-રક્ત નો સંચય અનેપરીનામે સ્ત્રોતોરોધ કે સંગ થાય અને શોથ થાય છે.તેજ સમ્પ્રાપ્તીથી  મૂત્ર નિર્માણ નું કાર્ય અટકે છે.અથવા ન્યૂનતા આવે છે.જે સમય સર નિષ્કાસન પામતું નથી,સમ્યગ ઉત્પત્તિ ના થતા વૃક્ક પૂરું કામ ન કરી શકાતાં મૂત્ર માં પ્રોટીન જાય છે.****રચના અને ક્રિયા ની દૃષ્ટિ એ આટલું વિચાર્ય પછી આયુર્વેદની સંપ્રાપ્તિ અને નિદાન જોઈએ તો ખબર પડશે કે કેટલી સરળતાથી સૂત્રાત્મક રીતે હૃદય રોગ ના નિદાન વગેરે બતાવે છે.આખા આ હાર્ટ ફીલ્યોર માં હૃદયગત રસ-રક્ત ની વિક્રિયા ગણાય તેટલીજ હૃદય રોગ ની ગણતરી છે.બાકી અગ્નીમાંન્દ્ય -સ્રોતોરોધ-સંગ ની સંપ્રાપ્તિ જન્ય રોગો છે.તો થોડા લક્ષણો વૃદ્ધાવસ્થા નાં છે.પરોક્ષ કે અપરોક્ષ રીતે હૃદય ની દુર્બળ અવસ્થા દર્શાવતા રોગ વાત-કફ જનિત છે.પ્રથમ વાયુ પ્રકોપ પાછળથી કફ સંચય કરે છે.સંચય સમયાંતરે પ્રકોપમાં પરિણામે છે.

Wednesday, November 18, 2009

હૃદ્સાદ(કાર્ડિયક ફેઇલ્યોર)

હ્રુદ્સાદ :----આ રોગ માં -=હૃદય માં રચનાકીય કે ક્રિયાત્મક રીતે કોઈ ખાસ મોટી વિકૃતિ હોતી નથી. પણ બહારના દોષોને કોપાવનારા કારણો થી વિકૃત થયેલ રસ હૃદય માં આવે છે. અને તે સમ્યગ્ ગુણ સંપન્ન હોતો નથી અને તેને લઈને હૃદય પોતાનું કામ કરવામાં નબળું પડે છે.અને તેજ રીતે બીજા અવયવો નું કામ નબળું થતાં તેનો બોજો હૃદય પર પડે છે.અને તેથી હૃદય ની ક્ષમતા ઓછી થાય છે.પરિણામે શરીર ની જરૂરિયાત ના પ્રમાણમાં રક્તનું પરિભ્રમણ કરવામાં અસમર્થ થાય છે.--અનો મતલબ એવો નથી કે હૃદય કામ નથી કરતું અથવા કાર્ય ક્ષમતા નથી;પણ માત્ર એટલું સમજવાનું કે શરીર ને જેટલા પ્રમાણમાં અને જેટલી ગતિથી રસ-રક્ત જોઈએ તેટલા પ્રમાણમાં હૃદય રક્ત પરિભ્રમણ ન કરી શકતાં વિવિધ અવયવોને રસ-રક્ત પૂરું પડી શકાતું નથી.એટલે કે તેની શક્તિ ઘટી છે.તે પૂર્વવત કાર્ય કરી શકાતું નથી ***** હૃદય પર બોજો કેમ પડે છે?---હૃદય રોગ કરનારા નીદાનોનું -કારણોનું લાંબા સમય સુધી સેવન કરવા માં આવે કે તેનું પુનરાવર્તન થયા કરે તેથી રસ-રક્ત વૈગુન્ય આવવાથી હૃદય ગત રસ-રક્ત હૃદયની માંસ પેશીને પોષણ આપી શકતા નથી.ને બીજી બાજુ તેને માટે અવિરત કામ કરવાનું હોય છે. આ સંજોગો માં પોષણ ન્યૂનતા સામે કામ અને બોજો લાંબા સમય સુધી તે પ્રમાણે કરી શકતું નથી.અને અંતે હૃદયમાં નિર્બળતા આવે છે.------રક્તમાંની લોહ ધાતુ નું પ્રમાણ ઓછું થતાં રક્ત ની પ્રાણવાયું ગ્રહણ કરવાની અને ધારણ કરવાની શક્તિ ઓછી થાય છે.તેથી તે ફૂપ્ફૂશ માં આવેલ પ્રાણવાયું ને જલદી ગ્રહણ કરતું નથી.પરિણામે શરીરના બીજા અવયવો ની અશુધ્ધિઓ નું નિષ્કાસન યોગ્ય સમયે -ઝડપે થતું નથી.આમ આખું રક્ત પરિભ્રમણ ચક્ર વિલંબિત બને છે.તેજ રીતે ફૂપ્ફૂશ કોઈ રોગ ગ્રસ્ત થતાં આજ રીતે ફૂપ્ફ્હુશ નું રક્ત પરિભ્રમણ વિલંબિત થતાં હૃદયને બોજો પડે છે. અને લાંબા સમય આમ ચાલતાં હૃદય દૌર્બલ્ય આવે છે.****માનસિક કારણો થી ક્ષોભ થતાં અંતઃ સ્ત્રાવી ગ્રંથીઓનો સ્ત્રાવ વધ-ઘટ થતાં હૃદય અને રક્ત વાહીનીઓની કાર્ય ક્ષમતા ઘટેછે;અને હૃદય પર કાર્યભાર વધે છે.પરિણામે હૃદય નિર્બળ બને છે.હૃદય રોગ કારક આહાર-વિહાર થી રસ ધાતુ માં વિગુનાતા આવે છે.અને રસ ધાતુ થી હૃદય ને પુરતું-યોગ્ય પોષણ નથી મળતું .આથી હૃદય નબળું પડે છે. સામે એજ વિગુણતા વાળો રસ ધમની કાથીન્ય ઉભું કરે છે.તેથી સ્થિતિસ્થાપકતા નાશ પામતાં તેમાં રક્ત-રસ સંવહન યથા યોગ્ય થતું નથી અને તેનું પ્રતિ-બળ હૃદય પર જ પડે છે.તેજ રીતે રક્ત વાહિની ના કાથીન્ય અને સંકીર્ણતા આવવાથી તેમાં રસ-રક્ત નું પરિભ્રમણ ને પહોચી વળવા માટે હૃદય ને બળ પૂર્વક કામ કરવું પડે છે. આમ લાંબા સમય સુધી ચાલતાં હૃદય નબળું પડે છે.આ રીતે અખા હૃદયની નિર્બળતાની વાત થઇ .ઘણી વખતે આ નિર્બળતા હૃદય ના અમુક ભાગ માં આવે છે.અને જે તે ભાગ નો કાર્ય-હ્રાસ થતાં તેના કાર્યમાં વિલંબ કે ક્ષતિ થતાં તેને લગતા અવયવો માં તેના લક્ષણો દેખાય છે.
હૃદય નું કાર્ય જોઈશું તો ખબર પડે છે કે ફેફસાં માં ગયેલ રક્ત શુદ્ધ થઇ ને ફૂપ્ફૂશીય શીરા દ્વારા હૃદય ના ડાબા આલિંદમાં આવે છે. અને ત્રિદલ વાલ્વ દ્વારા આલિંદ માં થી ડાબા નિલય માં આવે છે.ત્યાં થી આવર્તા મહાધમની દ્વારા શરીર માં જાય છેઽઅ ડાબો ભાગ નબળો પડે તો બધી ક્રિયામાં વિઘ્ન આવે.ફેફસન માં થી પાછુ આવતુ રક્ત તેની નિયત જ઼ેડેપ પુરતા પ્રમાં માં પાછુ ન આવતાં ફેફસન માં રક્તનો રહેવાનો સમય વધી જતાં તથા રસ સંચય થઈ કફ વૃધ્ધિ-પ્રકોપ થાય છે;અન સ્વાસ ક્રુચ્છતા થાય,કફ ની ઉત્પત્તિ થાય અન કાસ લક્ષણ રૂપ દેખાય છે.સાથે આ બોજો લાંબા સમય સુધી પડતાં તેને અનુકુળ થવા માટે તે વધારે પ્રમાણ માં ઍક સામટા આવેલા રક્ત ને પોતાના માં સમાવવા માટે પહોળું થાય છે.(સતત વધારે રક્ત ને પોતાના ખાના માં ભરાવાથી સ્વભાવિક પણેખાનાં પહોળા થાય છે.) પછીતે રક્ત ને બહાર ફેંકવા માં ક બીજા ખાના માં લઈ જવા માટે તેને વધારે બલ થી સંકોચવમાટે ધીમે ધીમે તેની દીવાલ જાડી થાય .છે.આ અનુકુળતા માટે શરીરેપોતાની જાતે વિકૃતિ ઉભી કરી હોય છે. આ વિકૃતિ લાંબા સમયે હૃદની ક્ષમતા માટે હાની કારક બને છે. અન હૃદય પોતાની ક્ષમતા ગુમાવી દે છે. હૃદય અંદરથી પહોળા થયેલા અને કદમાં જાડી થયેલ દીવાળોથી પોતાનું સંપૂર્ણ સંકોચન કરીને બધા જ રક્ત ને બહાર કાઢી શકાતું નથી.

Friday, November 13, 2009

રસ-રક્ત વાહિની કાઠીન્ય:-

****રસ-રક્ત વાહિની કાઠીન્ય:------પહેલાં બતાવી ગયેલા નિદાનો થી જ રસ-રક્ત ધાતુ પોતાના સમ્યક ગુણોગુમાવે છે.તેમાં તીક્ષ્ણતા ,ગુરુતા વધે છે .પરિણામે તેને વહન કરનારી શીરા-ધમની ને નુકશાન કરે છે. તેમન નાનાં -નાનાં સુક્ષ્મ ચાંદા પડે છે તેને પુરવા રસ-રક્ત માં થી ચરબી સ્થાન લે છે.સાથે સાથે તેને મદદ કરવા સુધા દ્રવ્યો અને ક્ષારો આવે છે.આમ કરતાં પડ જામતા જાય છે;અને રક્ત વાહિની અંદર થી સાંકડી થાય છે.તેની દીવાલ જાડી થાય છે,આ વિકૃતિ થી રક્ત વાહિની પોતાની અસલ સ્થિતિ સ્થાપકતા ગુમાવે છે.અને રક્ત સંવહન નું કાર્ય યોગ્ય પ્રમાણ માં કરી શકતી નથી.વૃદ્ધ અવસ્થા પણ આ રોગ નું કારણ છે.આ પ્રક્રિયા ૧૫ થી ૨૦ વર્ષની વય માં સરું થઇ જાય છે .છતાં આયુર્વેદ ની દૃષ્ટિ એ તો આહાર-વિહાર ના વિધાનો નું યોગ્ય પાલન નો અભાવ જ છે.આધુનિકો ની આ બાબત માં જે વિચાર ધારા છે. તેમાં તેના કારણો હાથ આવતાં નથી ,કારણ કે તેમને જઠરાગ્ની,સપ્તધાતુ , ઓજ,ધાત્વાગ્ની,ભૂતાગની સુધી ઉડું જવાની પ્રણાલી જ નથી લીધી.----આ રીતે રક્તવાહીની કડક ,સાંકડી અને સ્થિતિસ્થાપકતા વગર ની થતાં શરીર ના નાજુક અવયવો માં પુરા જથ્થા અને ગતિ થી રક્ત સંવહન થતું નથી.તેથી તે અવયવો નું યોગ્ય પોષણ પણ થતું નથી તેના પરિણામે પાચનક્રિયા ,રસ સંવહન,મૂત્રનીર્માણ,રક્ત નિર્માણ ,મનની તથા ઇન્દ્રિયોની શક્તિ માં ખામી -ઉણપ આવે છે.---રક્તવાહીની સાંકડી થતાં તેમાં રસ-રક્ત ફેરવાવામાંતે હૃદયને વધારે બળ વાપરવું પડે છે. તેથી લોહી નું દબાણ વધે છે.સાથે સાથે સ્થિતિસ્થાપકતા વગર ની આ રક્તવાહીની માં વધારે દબાણ થી આવતાં લોહી ના જથ્થા માં ઓચિન્તો વધારો થતાં તે રક્તવાહીની વિદીર્ણ થઇ જાય છે.અને અંતઃ રક્તસ્ત્રાવ થાય છે.

Tuesday, November 10, 2009

હૃદય રોગ અને અંતઃ સ્ત્રાવી ગ્રંથી

***અંતઃ સ્રાવી ગ્રંથી:---આગળ જોયું તેમ તેર અગ્નીઓ દ્વારા લીધેલા આહારનું સમ્યગ્ પાચન થઇ શરીર પુષ્ટિ મેળવે છે. આપના શરીર ના ભૂતાગ્ની એટલે અંતઃ સ્રાવી ગ્રંથીઓ ના સ્ત્રાવ;જે સ્વભાવે આગ્નેય છે.તે સ્ત્રાવો ની વધ-ઘટ થી પણ હૃદય ઉપર બોજો પડે છે.મનુષ્ય જયારે,જ્યારે માંનસીક્ર રીતે વ્યસ્ત હોય ત્યારે મશ્તીષ્ક માં રહેલી પીચ્યુટરી ગ્રંથી માં થી સ્ત્રાવો વધી જાય છે.પરિણામે ઉપવૃક્ક ગ્રંથી ના સ્ત્રાવો વધે છે.તેના નામો એડ્રીનાલિન અને કોર્ટીકોસ્ટેરોઈડ છે.તે લોહી માં ભળે એટલે હૃદય ની માંસ પેશી પર અસર કરે છે.તે પોતાની નિયમિત ગતિ કરતા વધારે ગતિ થી ધબકે છે.અને બળપૂર્વક પંપ કરવું પડે છે. સાથે સાથે આ ગતિ ને પહોચી વળવા ઓક્ષીજન અને બીજા જીવનીય તત્વો પણ વધારે વપરાય છે.આ બોજાને પહોચી વળવા એડ્રીનાલિન નો સ્ત્રાવ પણ તેજ વખતે થાય છે. તે રક્ત વહીનીઓ નો સંકોચ કરે છે.પરિણામે લોહીનું દબાણ વધે છે.આ વખતે હૃદય નેવધુ દબાણ સાથે કામ કરવાનું હોય છે છેવટે તેનો બોજો પણ હૃદય ની પેશીઓ પર પડે છે.અંતે હૃદય નબળું પડે છે

હૃદય રોગ અને મેદવૃદ્ધિ

***મેદ-વૃદ્ધિ ----આયુર્વેદ ની દૃષ્ટિ એ ખોરાક માં થી અગ્નીઓ ની મદદ થી સાતે ધાતુ નું તર્પણ અને નિયમન થાય છે.કોઈ પણ પ્રકાર નો અગ્નિ વિકૃત થાય કે બગડે તો તે ભૂત કે ધાતુ ની વૃદ્ધિ-- હ્રાસ થાય છે અને તેના પછી ની ધાતુઓ માં પણ સમ્યક ગુનોત્પત્તી થઇ શકાતી નથી.આમ શરીર માં જઠરાગ્ની મંદ પડે છે અને માંસ તથા મેદ ધાતુ ના અગ્નિ બગડે છે ;તદુપરાંત જળ અને પૃથ્વી ભૂત ના અગ્નિ વિકૃત થાયત્યારે શરીરમાં મેદ ધાતુ વધે છે.આ સુત્રો નું જ યાંત્રિક -તાંત્રિક પ્રત્યક્ષી કરણ આધુનીકોની મેદ ધાતુ ના ચયાપચય ક્રિયામાં જોવા મળે છે .મેદ વધારે તેવા કારણો (કફ વધારે તેવા કારણો )થી દુષિત રસ ધાતુ જયારે રક્ત સાથે ભળી ને ઉપ્વૃક્ક માં આવેલા સ્ત્રાવ સાથે ભળે છે અને ત્યાં મેદ ધાતુ નું ચયાપચય ને લગતું પાચન-વિઘટન થાય પણ આ અગ્નિ મંદ હોય તો મેદ વધે છે.મેદ અને કફ થી સ્ત્રોતાસો પુરાઈ ગયા હોય હોવાથી વાયું અંદર ઘેરાઈ ને રહેવાથી આમાશય સ્થિત અગ્નિ વધારે પ્રજ્વલિત દેખાય છે તેથી મેદસ્વી ને વારંવાર ખોટી ભૂખ લાગે છે.પણ આગળના સ્ત્રોતાસો માં અવરોધ હોવાથી મેદજ વધ્યા કરે છે.આ પ્રમાણે મેદસ્વી ને ભૂખ લગાવી તે સમ્યગ્ જઠરાગ્ની નું લક્ષણ નથી પણ વિકૃતિ છે.સમ્યગ્ અગ્નિ થી તો આહાર પછી તૃપ્તિ થવી જોઈએ.પણ મેદ-વૃદ્ધિ માં વારંવાર ભૂખ લાગે છે.અહીં પણ હાયાપોથેલેમસ ગ્રંથી બરાબર કામ કરતી નથી વારંવાર લીધેલો ખોરાક મેદ તો વધારે છે;તદુપરાંત કાચો રસ(આમ) પણ વધારે છે.જે હૃદય તથા બીજા અવયવો ને હાની કરે છે.જેમ મેદ વધારે તેમ તેને પોષણ આપવા માટે કેશ વાહિનીઓ પણ વધારે પ્રસરે છે.-ફેલાય છે.એક ઔંસ મેદ માં જે રક્ત વાહિની છે તેને એક્સીધી લાઈન માં ગોઠવવા માં આવે તો એક માઈલ જેટલી લંબાઈ થાય ;જેમ મેદ વધારે તેમ એટલા માઈલો સુધી રક્ત પહોચાડવા નું કામ આખરે તો હૃદય ને જ કરવાનું હોય છે.આથી તેના પર કાર્યભાર વધતો જાય છે.માંસ અને મેદ ધાતુ ના અગ્નિ મંદ અથવા વિકૃત હોવાથી તે ધાતુ વધતાં આગળની ધાતુ નું પોષણ પુરતું થતું નથી.અને ક્રમશઃ જીવન શક્તિ ઓછી થાય છે.આયુષ્ય મર્યાદા પણ ઓછી થાય છે.મેદ ધાતુ વધારે હોવાથી અપક્વ મેદ ધાતુ લોહી માં ફરે છે તેને જ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈ ગ્લીસરીઝ કહે છે. આગળ જતાં તેજ કફ-વાયુ નો સહારો લઇ ને સ્ત્રોતાસો નો રોધ કે ધમની કાઠીન્ય કરે છે.---- મેદસ્વી માતા-પિતા ના સંતાનો માં તેમના રંગ સુત્રો ના બંધારણ થી મેદસ્વીતા ઉતરી આવે છે. તેથી તો આયુર્વેદના આઠ પ્રકારના નિંદનીય પુરુષ માં મેદસ્વી ને ગણેલો છે. આગળ બતાવ્યું તેમ અગ્નીઓ ની દુર્બળતા કે વિકૃતિ થી એક ધાતુ ની વૃદ્ધિ થાય છે . ગળામાં આવેલી થાઇરોઇદ ગ્રંથી પણ શરીર ના ચયાપચય ઉપર સારો એવો કાબુ ધરાવે છે.આ અંતઃ સ્રાવીગ્રંથીઓ પણ શરીર ના ભૂતાગ્નીઓ જ છે. તેના હ્રાસ-વિકૃતિ થી પણ મેદ ધાતુ વધે છે.

Sunday, November 1, 2009

નિદાન પરીવર્જન-૨

*-ગુરુ અન્નનું અતિ સેવન-----વારંવાર તથા લાંબા સમય સુધી સામાન્ય કરતાં પચવામાં વધારે સમય લે તેવો ભારે પદાર્થો ખાધા કરવાથી ,આમાશય ના રસો ;આશયને યોગ્ય આરામ ના મળવાથી ફરીથી યોગ્ય પ્રમાણ માં સ્ત્રાવ નથી થતો તો ક્યારેક ઉત્પન્ન પણ નથી થતો,પાચન ક્રિયા માં સહાય કરતાં અગ્નિ અને પિત્ત મંદ પડી જાય છે પરિણામે સામાન્ય કરતાં વધારે ભારે -દ્રવ,અભિશ્યન્દિ રસ-રક્ત નું નિર્માણ કરે છે અને તે હૃદય તથા બીજા નાજુક ભાગની સુક્ષ્મ ધમની-શીરા માં વહન થઇ શકતો નથી,અથવા તો અવારોધ ઉત્પન્ન કરે છે .આવો આમ વાળો રસ શરીર -અવયવો ને પોષણ આપવા અશક્તિ માન હોય છે.*--અધ્યશન્----પહેલા લીધેલા ખોરાક પચ્યો ના હોય તે પહેલા તેના ઉપર ફરી થી ઓછું-વત્તું કઈ ખાવું તેને અધ્યશન્ કહે છે.તેનાથીઆમાંશય યાંત્રિક રીતે તથા ક્રિયાત્મક રીતે વિક્ષિપ્ત થાય છે.વારંવાર આવતા નવા અન્ન ને પાચક રસો પહોચી વળતા નથી. પરિણામે પહેલા આવેલા ખોરાક નું કે પછી ખાધેલા ખોરાક નું સમ્યગ પાચન થતું નથી અને અજીર્ણના અનેક રોગો થઇ કાચા-આમ રસ નું નિર્માણ થાય છે. તે હૃદય તથા અન્ય અવયવો માટે વિષ સમાન છે.**વેગવિધારણ----મળ-મૂત્રાદિ તેર વેગો ને રોકવાથી ,હાજત આપનારા અને હાજત રોકનારા જ્ઞાનતંતુ એના સંદેશ ની અથડામણ સુસુમ્ના નાડીવીક્ષીપ્ત થાય છે.તેથી મુખ્ય જ્ઞાનતંત્ર વિક્ષિપ્ત થતાંઅંદર ના નાના અવયવો ને સુક્ષ્મ અને ઘનિષ્ટ સંબંધ ધરાવતો વાયુ પણ દુષિત થાય છે.વાયુ ની શક્તિ થી કામ કરવાવાળા કફ અને પિત્ત પણ બગડે છે.હૃદય રોગ નું કારણ બને છે.
**અતિલન્ઘન્ :- વિચાર્યા વગરના અતિશય ઉપવાસ કરવા અથવા તો આયુર્વેદના નિયમોના પાલન કર્યા વગર મન ફાવે તેવી રીતે લંઘન નો ક્રમ ના જાળવવાથી આખું પાચન સંસ્થાન બગડે છે.યોગ્ય પ્રમાણ માં વહેતા રહેલા રસ-રક્ત થીજ શરીર ટકે છે, હૃદય જેવા અવયવો ચોવીસ કલાક આરામ કર્યા વગર કામ કરે છે પણ જે ક્રમ-ઉપક્રમ વગર લંઘન કર્યા કરાય તો રસ-રક્ત નું સમ્યક નિર્માણ થતું નથી અને પરિણામે પોષણ અભાવથી હૃદય નબળું પડે છે,શારીરિક વાત વિકૃતિ થાય છે,શારીરિક ચેતના રસ ધાતુ માં રહેલા ક્ષારો પર આધારિત હોય છે,રસ તથા જળ ધાતુ ક્ષય થી હ્રુદય દૌર્બલ્ય અને મૃત્ય પણ થઇ શકે છે,**તીક્ષણ વિરેચન:- અત્યાધિક વિરેચન કે અતિસાર બન્નેથી મળ ધ્વારા જળ ધાતુ નો નાશ થઈને ઉપર કહેલી લંઘન જેવી સંપ્રાપ્તિ થતાં હૃદય દૌર્બલ્ય અને મૃત્યુ થાય છે.**તીક્ષણ બસ્તી:--- તીક્ષણ ઔષધિઓની બસ્તી થી પણ વધારે મળ પ્રવૃત્તિ થાય અને શરીર માંથી જળ ધાતુ નો નાશ થાય અને ઉપર કહ્યા પ્રમાણે હૃદય ને હાની કરે છે,તેજ રીતે તીક્ષણ ઔષધોથી મૂલાધાર વિક્ષિપ્ત થતાં હૃદય ને આચકો લગતા મૃત્ય કે હૃદય પર આઘાત થાય છે આ રીતે વાયુ નું કામ બગડતા પ્રાણવાયું નો પ્રકોપ હ્રુદય રોગનું કારણ બની શકે છે.**હૃદય અભીઘાત :-હૃદય ની આજુબાજુમાં કે હૃદય ઉપર કોઈપણ રીતે સીધી કે આડકતરી રીતે પ્રહાર થતાં હૃદયમાં રચનાત્મક અને ક્રિયાત્મક બાધા ઉત્તપન્ થતાં હૃદય ના કાર્યો નો નાશ(મંદ) પડે છે તેથી પણ હૃદય રોગ અને મૃત્યુ બન્ને થઇ શકે છે.**અજીર્ણ ---લાંબા સમય સુધી વિધિ વિરુદ્ધ -ક્રમ વિરુદ્ધ ભોજન લીઘા કરવાથી પાચન ક્રિયા બગડી જાય છે;અને અન્ન નું સમ્યગ્ પાચન ન થતાં આમ નિર્માણ થાય છે .આ આમ બધા રોગો કારણ છે.તે બગડેલો રસ હૃદય ને અનેક રીતે હાની કરે છે. ***-ચિંતન-ભય-ત્રાસ-----હૃદય અને મસ્તિષ્ક બન્ને વચ્ચે મનોવહ્ સ્ત્રોતસ છે. અતિશય આઘાત જનક સમાચાર સાંભળતાં ,અતિ ચિંતન-ચિંતા -ભય,દુખ ,શોક અને રાસ થી મનોવહસ્ત્રોતસ વિકૃત થતાં હૃદય-મન પર તેની અસર પડે છે.તેથી યોગ્ય સમયે તેનું નિવારણ નથાય તો હૃદય પર પડતા કાર્યભાર ને અનુકુળ થવા હૃદય ની ધમની-શીરા માં વિકૃતિ ઉભી કરે છે,કાંતો બીજી અંતઃ સ્ત્રાવી ગ્રંથી પર ઉપરના કારણો થી અસર થઇ હૃદય ને અસર કરે છે.**શ્રમ-----અતિશય શ્રમ થી હૃદય ને જ વધારે બોજો પડે છે. જો તે દરમ્યાન હૃદય ને જોઈતા જીવનીય તત્વો ન મળે તો હૃદય કાર્યભાર વહન ન કરતાં તે દુર્બળ થાય છે.***અવ્યાયામ-----સુખાસીનાતા -બેસી રહેવું -વ્યાયામ ન કરવો ;યોગ્ય શ્રમ-મહેનત ના અભાવે લીધેલા અન્ન નું પૂરેપૂરું દહન થતું નથી -કાંતો ધાતુઓ ના અગ્નિ દ્વારા ઘણી વા રે પચે છે.-અથવા પચતા જ નથી; આવા ના પચેલા રસ-રક્તાદી ધાતુઓ આગળ જતાં રસ-રક્ત સંવહન માં અવરોધ ઉભો કરે છે.દા.ત. કોલેસ્ટેરોલ હૃદય રોગ ના કારણો માંનું એક છે.***અમ્લ-લવણ રસ નું અતિ સેવન --અમ્લ અને લવણ રસ વધુ હોય તેવા આહાર નું વધારે સમય સુધી સેવન ચાલુ રાખતાં વિપાક માં તેવા દ્રવ્યો નું અતિ સેવન કરવાથી રસ ધાતુ નું દ્રવત્વ અને ક્લેદત્વ વધારી દે છે.તે રસ-રક્ત ની વિકૃતિ કરે છે.તેનાથી ઉત્પન્ન મૂત્ર અને સ્વેદ,ચામડી અને વૃક્કો પાસે વધારે કામ લે છે ,તે બધા અવયવો નો કાર્યભાર ને પહોચી ન વળતાં આ ન ઉત્સર્જીત થયેલા કે ન પચેલા ક્ષારો અને અમ્લો શરીર માં રહી જાય છે અને ધમની-શીરા માં વિકૃતિ ઉભી કરે છે.

નિદાન પરીવર્જન

નિદાન પરિવર્જન્:--આયુર્વેદ અધ્ધતિ થી રોગ કાઢવો હોય તો પહેલી સરત એ છે કે જે કારણો થી રોગ થતો હોય તેવા આહાર-વિહાર નું પરિવર્જન્ -એટલે કે તેને ત્યજવા ,છોડી દેવા.
આગળ કહીગયા તે હ્રુદ્રોગ ના કારણો ને જરા વિસ્તૃત રીતે જોઈએ -અતિ ઉષ્ણ અન્ન -પાનનું અતિ સેવન-ખુબજ ગરમાગરમ ખોરાક્કે પીણાં લેવાથી પાચક રસ ના બંધારણ માં તથા તેના સ્ત્રાવ માં આઘાતાત્મક વિક્રિયા થઇ ને પાચન ક્રિયા ને બગડી નાખે છે તેથી તેવી નબળી પરિસ્થિતિ માં પચેલા અન્ન-પણ નો રસ સમ્યગ્ ગુણ ના અભાવ વાળો બને છે અને ત લાંબા ગાળે રસ-રક્ત અને તેના સ્ત્રોતાસો ને બગાડે છે ;અને હૃદયને નુકશાન કારક સંપ્રાપ્તિ નો પાયો નંખાય છે..તળ ઉપરાંત અન્નનળી હ્રુદય ની નજીકથી પસાર થાય છે ,તથા આમાશય પણ હૃદયની નજીક નો અવયવ છે -જો તેમાં અતિ ઉષ્ણ આહાર હોય કે પસાર થાય તો તે ઉષ્ણ તા ની અસર હૃદય નીચું-સ્વાભાવિક ગતિ માં વિક્ષેપ નાખે છે.(ગરમી થી પદાર્થો નુંપ્રસરણ થાય છે.) * રુક્ષ અન્નનું અતિ સેવન --વારંવાર લાંબા સમય સુધી યોગ્ય પ્રમાણ માંસ્નેહ (ચરબી)વગર ના ખોરાક્લેવાથી ,આમાશય ની પાચક શક્તિ વિક્ષિપ્ત થાય છે.આયુર્વેદ મનુષ્ય ને મેદ-સાર કહેછે.લાંબા સમય સુધી સ્નેહ-ચરબી ના અભાવ વાળા ખોરાક પચાવી શકતું નથી.રસ-રક્ત માં યોગ્ય પ્રમાણ માં સ્નેહ નહોવાથી ,અબધાતું ને પુરતું પોષણ મળતું નથી .અને પોષનાભાવથી થતા રોગો કહેવાય છે તે થાય છે અને હૃદય ને સીધી કે આડકતરી રીતે હાની પહોચાડે છે.હૃદય ને પોતાની ગતિ સતત ચાલુ રાખવા માટે યોગ્ય છે.સ્નેહ (ચરબી)યુક્ત માંસ ધાતુ ની જરૂર છે. હૃદય એ માંસ પેશી નું બનેલું છે.તેને માંસ વહ સ્ત્રોતસવાતે પોષણ મળે છે.જો તેમાં ન્યૂનતા હોય તો તે ધાતુંક્ષીણ થાય છે.આધુનિકો પણ વિટામીન ઈ અને જરૂરી ફેટી એસીડ ના અભાવે હૃદય રોગ થાય છે તેમમાને છે જ ,આયુર્વેદ નીદ્રષ્ટિ થી રુક્ષ આહાર વાત પ્રકોપક નિદાન છે. *કશાય-તિક્ત રસનું અતિસેવન --તૂરા અન કડવા સ્વાદ વાળાંઆહાર અને પીણાં નું અતિસેવન .રસ-રક્તના સહજ સ્વભાવ વિરુધ્ધ છે. તેથીરસ-રક્ત માં પરિનાત્મકવિક્રીયા થાય છે.વાયુ પ્રકોપ પામે છે.કદાચ ઋષિઓ ને ખબર હશે ક ભવિષ્ય માં ચા- કોફી,તમાકુ,અલ્કોહોલ,કોલ્ડ ડ્રિન્ક નો પ્રચાર વધશે.ઉપરોક્ત બધાં પીણાં કશાય-તિક્ત રસ ના પ્રાધાન્ય વાળાંછે. ઉપરાંત માદક પણ છે.તે વાયુ નો પ્રકોપ કરી ને હૃદય રૉગ ના કારણો પુરાં પાડે છે. *** અસાત્મ્ય /વિરુદ્ધ આહાર -પાન નું અતિ સેવન ---આયુર્વેદમાં પોતાના વર્ષો જુના અનુભવ થી માનવ શરીર ની પાચન ક્રિયા અને તેના પરિણામો ની નોંધ છે.જે ખોરાક એકલો કે એક-બીજા ના સંયોજનમાં લીધા પછી પાચન ક્રિયા દરમ્યાન કે અંતે જો તે માનવ શરીરને ધારણ કરનાર દોષ,ધાતુ કે મળ સ્વાભાવિક ગુણ-ધર્મ કરતા વીરોધી રસયાનીક પરિણામ આપવાની હોય તેને અસાત્મ્ય -વિરુદ્ધ આહાર-વિહાર કહેલા છે.આવો ખોરાક સમયસર પચતો નથી,યોગ્ય-સમ્યગ ગુણો વાળા રસ-રક્ત નું પરિણામ થતું નથી.ધાતુ ના ઉડાન સુધી પહોચતા વાર લાગે કે દૂષ્કર રીતે ધાતું ના અગ્નિ ઓ થી પચે તેવા અણુઓની નિર્મિતિ કરે છે ;અને આખરે રસ-રક્ત ની દુસાધ્ય કે અસાધ્ય વિકૃતિ આપે છે.જે હૃદય માટે જોખમી છે.

Saturday, October 24, 2009

આયુર્વેદ ની મૌલિકતા

આયુર્વેદ ની મૌલિકતા:આ રીતે આયુર્વેદ ના આચાર્યો એ હૃદય ની બધી વિકૃતિઓ પાંચ વિભાગ માં વહેચી છે.આયુર્વેદ નીમૌલીક નિદાન પધ્ધતિ ની આ એક દેન છે. આજે આધુનિક નિદાન શાસ્ત્રો માં હૃદય રોગ ના ઘણા બધા પ્રકારો છે.--તેમ ન કરતાં આચાર્યો એ પાંચ વિભાગ માં વહેચી ને કમાલ કરી છે.નિદાન અને ચિકિત્સા બંને સરળ બનાવવા સરળ યોજના કરી છે. હૃદય રોગ નું નામ સાંભળી ને આજે ચિકિત્સક પણ મોટા-મોટા નૈદાનિક નામો,તેના ઉપકરણો ની પળોજણ માં પડી હૃદય રોગી ની કાળજી રખાય છે,તેના બદલે -રોગ-રોગી નું સરળ મૂલ્યાંકન કરી ને ચિકિત્સા શરું કરી દેવાય તેજ મહત્વનું છે.હૃદય રોગ ની ગંભીરતા આયુર્વેદ જાણે છે.હૃદય પર દોષો નો હૂમલો થયા પછી બાકી નું આયુષ્ય સુરક્ષિત નથી તેથી જેટલી વહેલી ચિકિત્સા શરું થાય તેટલી ઓછી હાની હૃદય ને થાય,તેમ જાણેછે.માટે હૃદય રોગ નું નિદાન પોતાની મૌલિક રીતે થી કરી વૈદ્ય ચિકિત્સા તુરંત હાથ ધરે અને હૃદય ને વધારે નુકશાન થતું અટકે.

આયુર્વેદ માં હૃદય રોગ

ચરક અને સુશ્રુત બંને સંહિતા માં હૃદય રોગ છે .ત્યાર પછીની સંહિતાઓ પણ ટૂક માં કે સવિસ્તાર હૃદય રોગ નાં નિદાન-ચિકિત્સા છે.હૃદયરોગ-હ્ર્દ્રોગ થી વર્ણવાયેલ છે. આયુર્વેદ ની પોતાનીરોગોના નામકરણ કરવાની એક પધ્ધતિ છે,હ્રુદ્રોગ નામ પરથી જ કહી સકાય કે હૃદય એક અવયવ છે,એક અવયવ નો રચનાત્મક કે ક્રિયાત્મક સંગ થયો છે.હૃદય એક અગત્યનું મર્મ સ્થાન છે, તે પ્રાણવાયુ,સાધક પિત્ત અને અવ લામ્બક કફનું સ્થાન છે ,તદુપરાંત 'પર' ઓજનું પણ સ્થાન છે રસવહ સ્ત્રોતસો નું મૂળ છે .આથી આ અવયવ નું મહત્વ ઘણું વધી જાય છે .તેજ રીતે આ અવયવ પર દોષોનો પ્રભાવ હોય ત્યારે શારીરિક તથા માનસિક તથા આત્મિક દૈન્ય -હૃદય સૂન્યતા ,એક દેશીય શોથ ,હૃદય દ્રવત્વ અને મૃત્યુ વગેરે લક્ષણો જોવા મળે છે.આયુર્વેદમાં હૃદય કોષ ની રચના અને ક્રિયા માં સંગ થતાં જે રોગ થાય તેને હ્રુદ્રોગ કહે છે. આધુનિકો જે રસ-રક્ત સંવહન નો રોગ માને છે ;તે આયુર્વેદ ની દૃષ્ટિ એ જઠરાગ્ની માન્દ્ય,આમ,રસ-રક્ત -માંસ વહ સ્ત્રોતાસો ના રોગ હોય છે.જોકે તેના નિદાનો ઘણી વાર હૃદય રોગ ને અનુકુળ હોય છે,તોક્યારેક નથી હોતા. આયુર્વેદની દૃષ્ટિ એ હૃદય રોગ ના નિદાનો પહેલા જોઈ ગયા હવે તેના પ્રકાર અને સવીસ્તર નિદાનો વિષે વિચારીશું.
ચરક, સુશ્રુત વગેરે મહર્ષિ ઓના સમ્પ્રાપ્તીના હ્રુદ્રોગ ની શ્લોકો નું તારતમ્ય એકજ છે.--નિદાનો થી કોપેલા દોષ હૃદય માં જઈને ત્યાં રહેલા રસ ને દુષિત કરીને હૃદયમાં વિકૃતિ-પીડા કરેછે.તેને હૃદય રોગ કહે છે. આવા હૃદય રોગ ના પાંચ પ્રકાર છે--(૧)વાતજ (૨)પિત્તજ (૩)કફજ (૪)કૃમિજ (૫)ત્રિદોષજ .પુર્વરૂપ :--હૃદય નું કાર્ય મન્દપડતા રસ-રક્ત નું સંવહન યોગ્ય સમય અને યોગ્ય રીતે ના થતાં ફૂપ્ફૂસ માં આવેલો રસ -રક્ત શુદ્ધ થઈને પાછો ના જતાં ત્યાં સંચય થાય છે,તેમાંથી કફ થાય છે,કાસ-- ખાંસી હૃદય રોગ ના પૂરવારૂપે દેખાય છે.-હૃદય અને ફેફસાં નું સહયોગિક કાર્ય માં ક્ષતિ થતાં પ્રાણવાયુની ઉણપ થાય છે-ઊંઘ માં કે દર્દી આરામ કરતો હોઈ ત્યારે હૃદય પોતાનામાં આવેલ રસ-રક્તને સંકુચન દ્વારા બહાર મોકલવાનું કામ થોડું મંદ કરતુ હોય છે.આવા સંજોગો માં હૃદય તથા ફેફસા બંને માંથી રક્ત પૂરેપૂરું પાછું ના જતા દર વખતે ત્યાં થોડું થોડું રક્ત સંચયાવસ્થા માં રહે છે.તેમાંથી રસ ઝમીને કફ સંચય થાય છે.ફેફસા પર કાર્યભાર વધતાંશ્વાસ કૃચ્છતા જણાય છે.-દિવસે પણ હૃદય રોગી થોડા શ્રમ થી પણ શ્વાસ કૃચ્છતા કે ક્લમ અનુભવે છે.આગળ જોયું તેમ અખો હૃદય રોગ આયુર્વેદ સ્થાનિક રસ-રક્ત ધાતુ ની વિકૃતિ કહે છે.તેથી દોષ ઓછા-વત્તા પ્રમાણમાં આજુબાજુમાં રહેલા અવયવો ના રસ-રક્ત ની વિકૃતિ કહી હોય છે.જેમકે ફેફસમાં,આમાશય,યકૃત,વૃક્ક વગેરે વિકૃત દોષો રક્ત સંવહન માં ક્ષોભ કરી કોઈ વાર અરુચિ,ઉદગાર,આધ્માન અને હિક્કા-વમન,વાંતિ-ઉબકા દેખાય છે.હૃદયના કાર્યમાં વિઘ્ન આવતાં કે મંદતા આવતાં ખાસ જે અવયવના કાર્ય માં મંદતા કે વિકૃતિ હોય તે બાજુ રક્ત સંવહન પૂરી શક્તિ અને ઝડપ થી ના થતાં તે તે ભાગ માં સોજો-સોથ આવે છે.હૃદય શરીર ની મહત્વની ક્રિયાઓનું સ્ત્રોત છે.તેથી દુર્બળતા એ પણ મહત્વનું પુર્વારૂપ કહી શકાય.
૧) વાતજ હૃદય રોગ :- આ પ્રકારના હૃદય રોગ માં હૃદય તણાતું હોય, ખેચાતું હોય તેવું લાગે છે, સોયો ભોકાતી હોય,રવૈયાથી વલોવાતું હોય,કરવત થી ચીરાતું હોય,સસ્ત્રથી અનેક પ્રકારે કપાતું હોય તેવાં ભયંકર દર્દોથી પીડાય છે- વાયુ થી અને તેના દ્વારા થતાં વિકારોથી હૃદય રોગની ગંભીરતા બતાવવા માટે ઋષિ આવા ભીષણ સબ્દ નો ઉપયોગ કરે છે,અત્યારે હૃદય શુળ(એન્જાયના) ની વાત થાય છે પણ દર્દી કે દાકતર ની વચમાં ઈ.સી.જી ના હોય ત્યારે દર્દી પોતાના શબ્દો માં જયારે,જ્યારે વર્ણન કરે ત્યારે આવાજ કઈ શબ્દ બહાર આવે છે.હૃદય શૂળ વિશે પછી વિચારીસું,વાયુ વગર શૂળ નહિ તે નિયમ અનુસાર વાયુની પૃકૃતિ પ્રમાણે બધી પીડાઓ વાયુ થી થાય છે,
૨) પીત્જ હૃદય રોગ:- વારંવાર તરસ લાગવી, ઠંડાપીણા કે પાણી ની ઈચ્છા થવી, છાતીમાં વચે કઈ ગરમ લાગ્યા કરે કઈ બળ્યા કરે,બળતરા થાય,હૃદય ચુસતું હોય તેવી વેદના થાય,હૃદય સુસ્ત અને થાકેલા જેવું લાગે છે,હૃદય માંથી-ગળામાંથી ગરમ ધુમાડા નીકળતા હોય તેવું લાગે છે,મૂર્છા આવે છે,અને ખુબજ પરસેવો થાય છે,
વૃક્કની અતિ પ્રવૃત્તિ અથવા વિકૃતિથી અતીમુત્ર અથવા સોથ થતાં જલધાતું નાશ કે એક્દેશીય સંચય થતાં તરસ લાગે છે,આવાજ કારણોથી હૃદયમાં કે તેની આજુબાજુના અવયવો માં સોજો-સોથ આવે છે,જોકે શોથ કફ નું લક્ષણ છે પણ તે પછીની પાક ક્રિયા પિત્ત ને આધીન છે,જો ઇન્ફલેમેશન હોય તો પિત્ત ની હાજરી છે અને પિત્તના લક્ષણો દેખા પણ દે છે,(૩)કફજ હૃદયરોગ --હૃદય પર ભાર લાગે..હૃદય પર વજન મુક્યું હોય તેવું લાગવું હૃદય જાણે સ્તબ્ધ થઇ ગયું હોય તેવું લાગે. મોં માં થી લાલા -સ્ત્રાવ અથવા કફ પડે ,અન્ન પર અરુચિ થાય .હૃદય જકડાઈ જાય;મોં માં મધુર કે લવણ રસ લાગે. --હૃદય માં કફનો પ્રકોપ થતાં રસ ધાતુના સંવહન માં વિકૃતિ આવતાં રસ-રક્તનું પરિભ્રમણ મંદ થતાં,હૃદય કે ફેફસાં માં આવેલું રક્ત યોગ્ય સમયે અને યોગ્ય ઝડપે પાછું ન ફરતાં સોથ થાય છે.હૃદયના સમીપવર્તી અવયવો માં આવીજ સંપ્રાપ્તિ થી શોથ થાય તો ઉપર પ્રમાણે ન લક્ષણો જોવા મળે છે. (૪)ત્રિદોષ જ હૃદય રોગ--વાયુ,પિત્ત અને કફ એ ત્રણે દોષો એક સાથે પ્રકોપ પામતાં હૃદય માં રહેલા રસ ધાતુ વિકૃત કરેછે.અને ત્રણે દોષો ના ભેગા લક્ષણો વાળો હૃદય રોગ કહે છે.તેમાં ઉપરના જુદા જુદા હૃદય રોગ માંકાહેલી બધી પીડા એક સાથે જોવા મળે છે.આ પ્રમાણે હૃદય રોગી ની ચેતના પકડે છે.તેમાં મૂર્છા તથા સંન્યાસ પણ આવે છે.---કફ અને પિત્ત બન્ને પંગુ કહેલા છે.વાયુ થીપ્રેરાઈ ને વિકાર ઉત્પન્ન કરે છે.વિકૃત વાયુ સાથે જયારે,જ્યારે અસમાન અવસ્થામાં હોય ત્યારે અફ અને પિત્ત પણ સમ પ્રમાણમાં રહી શકતો નથી અને પ્રકોપ થાય છે.તેથી શોથ,પાક,ક્ષત્ ,સ્ત્રોતોરોધ ,સંગ વગેરે અનેક વિકૃતિઓ એક સમાંતીથાઈ ને રોગ ઉત્પન્ન થયેલ હોય છે.(૫)કૃમિજ હૃદય રોગ--ત્રણે દોષો વાળો હૃદય રોગ થયો હોય અને માનસ અપથ્ય કે વિરુદ્ધ આહાર-વિહાર તેમજ દૂધ,તલ,ગોળ જેવા પચવામાં ભારે ખોરાક નું સેવન ચાલુ રાખે તો હૃદયમાં ઉત્પન્ન થયેલ પચપચતા રસ ને લીધે કૃમિ ઉત્પન્ન થાય છે.તે હૃદય ને કોરી ખાય છે.તેમાં વમન,હિક્કા,ઉદગાર જેવા લક્ષણો દેખાય છે. વારંવાર થૂક -લાલાસ્ત્રાવ થાય છે.શૂળ-સોંય ભોકાતી હોય તેવી પીડા થાય છે.અરુચિ થાય છે.આંખે અંધારા આવે છે,આંખ મલીન દેખાય છે,આંખ નીચે શ્યામ કુંડાળા થયેલા હોય છે.

Saturday, October 17, 2009

હૃદય રોગ નાં નિદાનો

હૃદય રોગ ના નિદાનો મહત્વ નાં છે.શાસ્ત્રો માં કહેલી જીવનશૈલી ની તદ્દન અવહેલના કરવાથી ,શાસ્ત્રમાં જે આહાર-વિહાર માટે ઋતુ,દિન અને સમય પ્રમાણે યોજના કરવામાં આવી છે.તેનાથી વિરુદ્ધ આચરણ કરવાથી અથવા લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી,શાસ્ત્રમાં વિરુદ્ધ કહેલું હોય પણ લાંબા સમય સુધી સેવન કરવાથી માફક આવી ગયેલું લાગે પણ તે શરીર માટે ક્યારેય યોગ્ય હોતું નથી.તેવા આહાર -વિહાર નો ઉપયોગ કરવાથી.બહુ ઉષ્ણ-ગરમ ;એટલે ખુબ મસાલા -તેજાના વાળા તથા સ્પર્શમાં પણ ગરમ .ઘણા ભારે એટલે ઘણા લાંબા સમયે પચે તેવા, જે બનાવવામાં વધારે ચરબી -વસા નો ઉપયોગ થતો હોય ,જે અપથ્ય અને અખાદ્ય તેલો માંથી બનતું હોય,અતિશય ક્ષારો ,લવણ રસ યુક્ત,ખોરાક ને પચપચતો બનાવી તેવા પદાર્થો થી બનેલો,બહુ કડવા ,તૂરા અને તીખા પદાર્થો થી બનેલા નું વધારે અને લાંબા સમય સુધી સેવન કરવાથી.બહુ થાક-શ્રમ પડે તેવું કામ કરવાથી કે તેવો વ્યવસાય કરવાથી ;ટુંકમાં સતત એવું ના કરતુ રહેવું -શ્રમ-કામ અને વિશ્રામ નો ક્રમ ઉલન્ઘવાથી ,વધારે પડતી ચિંતા -ફિકર કરવાથી.મળ-મુત્ર નો વેગ રોકવાથી ,વારંવાર તેવું કરવાથી.હૃદય પર કે શરીર પર બીજે ક્યાય લાકડી વગેરે થી પ્રહાર થવાથી હૃદય રોગ થાય છે.ટૂંક માં આયુર્વેદ પણ હૃદય રોગને જીવન શૈલી આધારિત અને વધતી ઉંમર થી થતા અપચય જનિત રોગ ગણે છે.હૃદય રોગ ના કારણો -નિદાનો માટે ચિકિત્સક ને પણ આચાર્યો ચેતવે છે.કોઈ પણ રોગ ની ચિકિત્સા- ક્રમ વિરુદ્ધ કરવાથી,પંચ કર્મ માં પણ ક્રમ નો અનુચિત પ્રયોગ કરવાથી,જે તે રોગ નો જે ચિકિત્સા ક્રમ કહેલો હોય તેનાથી વિરુદ્ધ કરવાથી,રોગને મટાડવા લંઘન,પાચન વગેરે ના ક્રમ ન જાળવવાથી ,ચિકિત્સામાં ઉતાવળ કરવાથી.અહી અયુર્વેદ અને આધુનિક ચિકિત્સક બંને સરખા જ જવાબદાર ગણ્યા છે.કારણ કે બંને મોહ-યશ કે લોભ નેવશ થઇ સરખી જ ભૂલો પોતપોતાના શાસ્ત્ર અનુસાર ન કરવાની ભૂલ કરતાજ હોય છે.વૈદ્ય કે ચિકિત્સક પોતે જ હૃદય રોગ નો દાતા થઇ શકે છે.

Sunday, October 11, 2009

આમ,અગ્નિ અને હૃદયરોગ

અહીં ઉલ્લેખાયેલ અગ્નિ ની સમજ વિશાળ છે. તેનાં કામો -લક્ષણો પરથી અનુમાનિત કરવાનો છે. તે કાંતો ધાતુ માં રહેલા;આગળની ધાતુઓ ના અણું ઓ કેજેમાં આગળની ધાતુમાં પરિવર્તીત કરવાની શક્તિ છે. તેઅગ્નિ છે. શરીર માં કામ કરતી આંતસ્ત્રાવી ગ્રંથીઓ ના સ્ત્રાવ કેજે સિધ્ધા કે આડકતરી રીતે ધાતુ ગ્રહણ કરે છે. ધારણ કરે છે,અને આગળ ની ધાતુમાં પરિવર્તીત કરે છે,તે પણ અગ્નિ છે. યકૃત ,પ્લીહા ,વૃક્ક વગેરે માં જ્યાં જ્યાં ધાતુ નું પાચન,વિભાજન કરનાર તત્વો છે.તે બધ્ધાં જ અગ્નિ નાં સ્વરૂપો છે. આ અગ્નિ પાચક અગ્નિ ના વિભિન્ન સ્વરૂપો છેતેમ ચિકિત્સા માં મૌલીકતા લાવવા આયુર્વેદ ના આચાર્યો કહે છે.તેને પણ વધારે ચિકિત્સા લક્ષી બનાવવા પિત્તજ કહી ને આયુર્વેદ ના ચિકિત્સા જગત નેઅદભૂત મૌલીકતા આપી છે.માત્ર શબ્દો કે તેની સમજણ ના અભાવે આયુર્વેદ માં આ છે ;આ નથી તેવું કહેવાનો કોઈ અર્થ જ નથી આટલી ભૂમિકા પછી આયુર્વેદ માં ના હૃદયરોગ તરફ લઇ જવાનો છું. આજે હૃદયરોગ નું નામ પૃથ્વીના મારક રોગોમાં અગ્રગણ્ય તરીકે લેવાય છે. પૃથ્વી પર થતા મરણ ના ખાસ એવા ટકા હૃદયરોગના ભાગે જાય છે. ત્યારે સહજ રીતે પ્રશ્ન થઇ જાય છે કે આયુર્વેદમાં આના માટે કઈ છે? કઈ હતું કે આ બધું નવું જ છે? જ્યારે આ જગત ને હૃદય કે તેના જેવા અવયવ હોવા નો ખ્યાલ ન્હોતો ત્યાર થી આયુર્વેદ માં અને એનાથી જુના સાહિત્યમાં હૃદય શબ્દ છે. આયુર્વેદમાં તેનું સાંગોપાંગ વર્ણન છે. ગર્ભમાં તેની ઉત્પત્તિ કેવી રીતે થાય છે ,તે કેવી રીતે કામ કરે છે .શરીરમાં ક્યાં,કેવી રીતે રહેલું છે.તેનું મહત્વ શું છે? તે બધું વર્ણન છે. કાયદા કે શાસ્ત્ર ના અજ્ઞાન એ વ્યક્તિ નો વાંક છે.કાયદા કે શાસ્ત્ર નો નહીં .એ બધા દોષારોપણ માં પડ્યા વગર સીધાજ હૃદય રોગ ની વાતો પર આવીએ.અહીં હૃદય રોગના અને તેના અંતર્ગત થતા રોગોના કારણ -નિદાન -ચિકિત્સા ઘણાં પહેલાથી આપેલા છે. (આધુનિક ચિકિત્સા શાસ્ત્ર ના જન્મ પહેલાં ).તેની વાત આગળ કરતા પહેલાં, આયુર્વેદમાં રોગોની ઉત્પત્તિ નો ક્રમ બહુ અગત્ય નો છે.હૃદયરોગ પહેલા ગુલ્મ રોગ આવે છે.હૃદયરોગના નિદાન માં શાસ્ત્ર કાર લખે છે કે ગુલ્મ ની પધ્ધતિસર ચિકિત્સા ના કરવાથી,તેની યોગ્ય ચિકિત્સા ના કરવાથી,ચિકિત્સા ક્રમ ની અવહેલના કરવાથી અને ગુલ્મના નિદાનો નું સેવન ચાલુ રાખવાથી હૃદય રોગ થાય છે.આ ગુલ્મ રોગ કહેવતો આધ્માન-ગોળો કે વાયુ નથી,તે પણ ઘણું સંશોધન અને અનુસંધાન માંગે છે. ગુલ્મ નું હૃદય રોગમાં ખુબ મહત્વ છે.તે તો આમ દોષ, ધાતુ, અને મલ નું વાતાધીક્ય વાળું જાળું છે.તે અધુનીકો ના નિદાન શાસ્ત્ર કે તેના રોગ પરીક્ષણ ના સાધનો થી પકડતો નથી.

Monday, September 28, 2009

આયુર્વેદ અને અગ્નિ

શરીર માં રહેલા કે બ્રહ્માંડમાં રહેલ અગ્નિ ની વાતો આટલી પુરતી નથી. અયુર્વેદ પિત્ત ના પ્રકારો માં નો એક માન્યો છે. તેવી રીતે આયુર્વેદ ના શાસ્ત્રકારો એ તેના જુદા જુદા કામો ને અનુલક્ષી ને તેના તેર પ્રકારની પરી કલ્પના કરેલી છે.પાંચ ભુત ના અગ્નિ ,સાત ધાતુ ના અગ્નિ અને વૈશ્વાનર-જઠરાગ્ની.આ તેર અગ્નિ ની પ્રાકૃત અને વિકૃત અવસ્થા જ આપણને અનુક્રમે સ્વાસ્થ્ય અને અસ્વાસ્થ્ય આપે છે .તેનો હ્રાસ -ઓછાપણું કે વૃદ્ધિ- વિકૃત અવસ્થા બાકીના ભૂતો- દોષો નું વૈગુન્ય,હ્રાસ,વૃદ્ધિ માટે પણ જવાબદાર છે. તેર અગ્નિ પોતે પ્રાકૃત અવસ્થામાં હોય તો તેનાપ્રાકૃત કામો કરીને આગળના મહાભૂત કે ધાતુને બળ આપનાર- પુષ્ટ કરનાર અને નિરામ બનાવે છે. જયારે તેમાં મંદતા આવે છે ત્યારે તે અગ્નિ પોતાનું કામ સંપન્ન કરતો નથી અને આગળની ધાતુ કે દોષ માં વૈગુન્ય ,કર્મહ્રાસ અને ન્યૂનતા લાવે છે,આ સિદ્ધાંતો થી જ આપણે નવા- જુના રોગો અને તેના નામો ની મુલવણીકરીશું તો આ શરીરના અને ભુત્માંત્રમાં રહેલા વૈશ્વાનર અગ્નિ નાંજ વિવિધ સ્વરૂપો જોવા મળશે .આ અગ્નિ માં મંદતા આવે એટલે જે તે અગ્નિ તેના આગળના દોષ -ધાતુ ને યોગ્ય સ્વરૂપ આપી શકતો નથી ;અને આગળના દોષ -ધાતુ માં વૈગુન્ય કે અપક્વતા કરે છે .તેને જ આયુર્વેદ આમ કહે છે.તે આમ યુક્ત દોષ, ધાતુ કે મળ પોતાના સ્વરૂપ -કર્મ થી સંપન્ન નથી હોતા તેથી શરીર માં અનેક જાતની વિકૃતિ- રોગો ને ઉત્પન્ન કરે છે. આ આમ આધુનિક ચિકિત્સા શાસ્ત્ર કે આયુર્વેદ પ્રમાણે અનેક નામ -રૂપે શરીર માં દેખાય છે.તેથી તો રોગ નો એક પર્યાય આમય છે. આ પર થી સિદ્ધ થાય છે કે શરીર ની બધ્ધી જ વિકૃતિઓ મૂળ અગ્નિ ના માંન્દ્ય ને લીધે જ થાય છે. તેમા બીજા દોષ-ધાતુ ના અનુબંધ મળવાથી અનેક જાત ના નામ-રુપો વાળા ઉપદ્રવો જોવા મળે છે.તેના ચિકિત્સા લક્ષી કે રૂપ લક્ષી નામો અપાયેલા છે. તેથી દુનિયાની કોઈ પથિ કે વિજ્ઞાન જુદાં પડતાં નથિ.કે નથી તેમના માં મોટો મતમતાંતર સંસ્કૃત ના જ્વર શબ્દ ની દુનિયાની કોઈ પણ ભાષા માં કઇ પણ કહેવા માં આવે તેના રૂપ કે પરિણામ માં શું ફરક પડવાનો?

Friday, September 25, 2009

આયુર્વેદ ની વાતો

અગ્નિ --આજે આપણે ,આપણા શરીર ના અગ્નિ વિષે વાત કરવી છે .આપનું શરીર આગળ કહી ગયા તેમ પંચભૂતો નું બનેલું છે .તેમાંના અગ્નિ મહાભૂત અને તેના કર્મ ,ગુણ ,કર્તૃત્વ અને મહત્તા વિષે જાણીએ .અગ્નિ એટલે અગ્નિ જેમાં વિશેષ અને વાત આદિ ભૂતો અનુક્રમે ઓછા વત્તા પ્રમાણ માં નિહિત છે જ . અને જ આયુર્વેદાચાર્યો એ પિત્ત કહેલ છે .જોકે શાસ્ત્ર માં અગ્નિ એ પિત્ત નો એક ભાગ છે ,અગ્નિ એક સ્વતંત્ર રૂપ છે તેવી ઘણી વિશદ્ ચર્ચા છે ,આ અગ્નિ એટલે શરીર માં જ્યાં -જયારે ઉષ્મા -ગરમી ,પાક -પચાવવું ,પકાવી ને બીજી ધાતુ માં પરિવર્તિત કરવું ,વિભાજન કરવું ,જુદા કે સરખા રૂપ માં ફેરવવું ,વસ્તુ -ધાતુ -દોષ ને સ્વરૂપ આપવું ,કે જેનાથી આપણે જે તે વસ્તુ -શારીરિક પ્રક્રિયા નું વાસ્તવિક રૂપ -દર્શન થાય છે .અગ્નિ ની તન્માત્રા રૂપ છે .તે અગ્નિ જીવમાત્ર ના અસ્તિત્વથી અંત સુધી રૂપ તન્માત્રા જેવા સુક્ષ્મ સ્વરૂપ થી મહાભૂત તરીકે રહેલ છે .આ અગ્નિ શરીર માં જ્યાં અને જયારે ઉપરની ક્રિયા થાય ત્યારે ભાગ લેતો હોય છે. તે સ્વાભાવિક અવસ્થા માં હોયતો શરીર ના બધ્ધાં કામો નિયત રૂપે સમય સર યોગ્ય રૂપે થતાં હોઈ આપણને સ્વાસ્થ્ય આપે છે ;અને તેના ગુણો માં વૈગુન્યઆવે એટલે શરીર ના એજ બધાં કામો માં અવરોધ ,અંતરાય અને પરિણામ વગર નાં થઇ જતાં હોય છે. પરિણામે આપણે અસ્વસ્થ થઈએ છીએ . શરીર ની ઉત્પત્તિ -રચના -અસ્તિત્વ અને વિશર્ગ માં અગ્નિ તત્વ નો ઘણો ફાળો છે .ચિકિત્સા લક્ષી કે શરીર વિજ્ઞાન ને જોઈએ તો વૈશ્વનાર -જઠરાગ્ની રૂપે રહે છે. તેને જ પાચક પિત્ત કહેવાય છે. હૃદયમાં સાધક, આંખમાં આલોચક,યકૃત અને રક્ત માં રંજક, આપણને રૂપ આપનાર ભ્રાજક પિત્ત ત્વચામાં રહે છે. અહી આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદ ના મતમતાંતર ની વાતો બાળકો જેવી થઇ જાય છે. શરીર અને સંસાર ની દરેક ક્રિયાનું આ એક આગવું દર્શન છે તેને તેની રીતે જ વિચારવું રહ્યું જઠરાગ્ની- પાચક પિત્ત ને અનેક રીતે વર્ણવી શકાય;પણ અયુર્વેદે પાચક પિત્ત ની ક્રિયા જે રીતે વર્ણવી છે તેમાં બધું જ વર્ણવેલું છે;તેમાં કઈ જ ઓછું કેવાધારે થતું દેખાતું નથી.

Thursday, September 17, 2009

AYURVEDA....3

આમ આયુર્વેદ ની વાતો અનંત છે.તો થોડી ગર્ભિત પણ છે.તેની ઉત્પત્તિ -વિકાસ અન તેની આજ ,મોટો ઇતીહાસ કહી જાય છે આધુનિક ઇતિહાસકારો આયુર્વેદને અઢી -ત્રણ હજાર વર્ષ જૂનો કહે છે,પણ ભારતીય કાળગણના ની પધ્ધતિ થી જોઇઍ તો તે ઘણો જૂનો દેખાય છે. પુરાણ કાળમાં તો તે ઘણો જ મહત્વનો નોંધાયો છે.;તદ્ઉપરાંત વેદ-સંહિતા કાળ થી જૂનો કે સમકાલીન દેખાય છે તેથી તો આ શાસ્ત્ર ને વેદ કહ્યો છે અન તેનાઆધારભૂત ગ્રંથો ને સંહિતા કહેલ છે.આ કાળગણના અને તેના પૂરાનત્વ ના વિષય નેબાજુમાં મુકીઍતો પણ શાસ્ત્ર ભ્રહમાંડ અને આપણા શરીર -પિંડ માટે ની સાર્વજનિનતા માં લેશ માત્ર ફરક પડતો નથી .આપણે જે સમય માં ,જે વૈજ્ઞાનિક સંદર્ભો અને સમજણ સાથે જીવીઍ છીઍ તેને કદાચ આ શાસ્ત્ર જૂનુ અને નકામું લાગે ;પણ જ્યારે સંસાર આખા અનેશરીર નિઅન્દર ની માંગ વિષે વિચારી ઍ તો ઍ બધ્ધિ જ જરૂરીયાતો આપણા શાસ્ત્ર માં થી જ મળી આવે છે.શરિર -બ્રહ્માંડ બનતી રચનાત્મક કે ક્રિયાત્મક ઘટનાઓ બધી જ આશાસ્ત્ર માં ઉલ્લેખાયેલ છે. આયુર્વેદ નેપોતાનું આગવું દર્શન છે. વૈજ્ઞનિકતા છે.તે પોતે સ્વયં સિધ્ધ છે.માત્ર શબ્દો -ભાષા જુદાં પડે છે .તેથી એવું તો ના જ કહી શકાય કે તેનું પુન:આધુનિક મૂલ્યાંકન થવું જોઈએ .આપણેજે વિજ્ઞાન જાણીએ છીએ તેને તો ઘણી બધી મર્યાદાઓ છે.ઘણું ઓછું જ્ઞાન અને વધારે અજ્ઞાત ક્ષેત્ર છે.આપણે જાણીએ છીએ તેજ વિજ્ઞાનને વિજ્ઞાન કહીએ છીએ તેના નામ ,વિશેષણ ક્રિયાઓ ને જ વૈજ્ઞાનિક કહીએ છીએ ,પરંતુ સાવ એવું નથી ,આપણા આ શાસ્ત્રમાં પણ બધુજ પોતાની રીતે સામાન્ય થી વિશેષજ્ઞ સુધીનો માણસસમજે,ચિકિત્સક થી લઇ ને આધ્યાત્મિક માણસ સમજે તેવી ભાષા માં બધીજ વ્યષ્ટિ -સમષ્ટિની શારીરિક ,માનસિક ઘટનાઓ વર્ણવેલી -તે પછી ભલેને અત્યારે ઓળખાતો હૃદયરોગ ,કેન્સર ,એઇડ્સ ,કીડની ફેઈલ સોરાઈસીસ....અરે,કોઈપણ રોગ વિકૃતિ લો ,તે આર્યુંવેદની પરિભાષા માં તેના પોતાના સિદ્ધાંતો પ્રમાણે તેના કોઈક માળખામાં બંધ બેસશેજ .---તો આ મહાન મૌલિકતા નો આપણે સૌ આપણા માટે જાણીએ અને તેને કલ્પેલા સાચા સ્વાસ્થ્ય ને પામીએ ,માણીએ.આધુનિક વિજ્ઞાનનું તબીબી શાસ્ત્ર ઔષધ વાદિ છે. જયારેઆયુર્વેદ સ્વાસ્થ્ય લક્ષી છે .એટલેકે તેનું ફળ આરોગ્ય છે .

Saturday, September 12, 2009

ayurveda....2

આ રીતે આયુર્વેદ એ જીવન અને તેના બધા જ ભાગો માટે બનેલું શાસ્ત્ર છે ,તેટલા માટે તેને વેદ કહેલો છે .તે છતાં જીવન ને સાર્થક કરવા ના જે માર્ગો છે તેનું ખરું સાધન શરીર છે .તો આયુર્વેદ શરીર ને મન સહીત સ્વસ્થ રાખવાનું ખાસ શાસ્ત્ર બની જાય છે .
આ બ્રહ્માંડ પાંચ તન્માત્રા -મહાભૂત થી બનેલું છે ,તે આજે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઇ ગયું છે .વેદોમાં કહેલી સૃષ્ટિની ઉત્પત્તિ -રચના ,ધારણા અને વિસર્ગ વૈજ્ઞાનિક મનાયો છે પંચમહાભૂતો ને શરીર ની રચના અને તેને જ સ્વસ્થ રાખવાના શાસ્ત્ર આયુર્વેદ એ ત્રણ રૂપો માં ગણ્યાં છે .ચિકિત્સા પધ્ધતિ ને અને રોગ ને ઓળખવા માટે શાસ્ત્ર પાંચ માંથી તેના ત્રણ રૂપ સ્વીકાર્યા છે .વાત ,પિત્ત ,અને કફ.વાત એટલે વાયુ અને આકાશ મહાભૂત ,પિત્ત એટલે અગ્નિ અને જળ મહાભૂત તથા કફ એટલે પૃથ્વી અને જળ મહાભૂત ના પ્રાધાન્ય છે . બાકીનાં મહાભૂત તેમાં નિહિત જ છે .
પહેલાં કહ્યું તેમ આ શાસ્ત્ર સંતુલન અને અનુંકુલનની પરિકલ્પના પ્રમાણે કામ કરે છે, ભ્રહ્માંડ-સંસાર સાથે સમતોલન અને અનુકુલન રાખી ને જ આપણે સ્વસ્થ રહી શકીએ .તેના માટે વ્યક્તિ એ ભૂતમાંત્ર એ જીવન ગોઠવતા જવાનું છે .,તેમાં બદલાતી ઋતુઓ અને દિવસો પ્રમાણે ઋતુ ચર્યા અને દિનચર્યા આચરવાનું કહેલું છે ,તથા આયુર્વેદના આપ્ત પુરુષો ના અનુભવ પ્રમાણે જે જરૂરી અને સંસારને યોગ્ય છે તે વચનો નું પાલન કરવાનો આદેશ છે .જે સંપૂર્ણ વૈજ્ઞાનિક અને તર્ક બદ્ધ છે.

Friday, August 28, 2009

આયુર્વેદ ને એક ચિકિત્સા પદ્ધતિ કહેવી તેતો આખા આયુર્વેદ અને સંસ્કૃત ભાષા ના અજ્ઞાન જેવી વાત થાય . આયુ એટલે આયુષ્ય - કહ્યું છે તેવું નથી .તેમાં તો સમગ્ર જીવન -કે જેના ચાર પાયા ધર્મ, અર્થ ,કામ ,અને મોક્ષ આવી જાય છે .તે બધું જ કહેલું છે. જ્યારથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઇ ત્યાર પહેલા જ જીવ માત્ર સુખી-આનંદી કેમ રહે તેના વિચારો કહેલાં છે .જીવન,- તેના ઉદ્ભવ થી અંત સુધી નું જ્ઞાન-સમજ.તેમાં કઈ શરીર -મન ને થતી પીડા અને તેના ઉપાય માત્ર નથી . આ શરીર પંચ ભૂતો થી નિર્માણ થયેલું છે ,તેમજ આ સંસાર પણ પંચ ભૂતો થી બનેલો છે .તો શરીર અને સંસાર બંને વચ્ચે સમતોલન રહે તેવી વૈજ્ઞાનિક યોજના જ આપણને સાચા અર્થ માં સ્વસ્થ જીવન આપી શકે .તો ચાલો આપણે તેના વિષે જાણીએ -વિચારીએ .આ શરીર ,આ સાંસાર- -ભ્રહ્માંડ થી જુદું નથી તો ,કોઈ પણ વૈજ્ઞાનિક પધ્ધતિ કે વિચારો ખરેખર તો એક બીજા થી વિરુદ્ધ હોઈ જ ના શકે .આખ્ખો આયુર્વેદ અનુકુલન અને સંતુલન ના જ સિદ્ધાંતો ને અનુસરે છે .તો આયુર્વેદ માં વર્ણવેલ જીવન શૈલી જ ઉત્તમ અને અનુસરણીય છે.