Tuesday, November 10, 2009
હૃદય રોગ અને અંતઃ સ્ત્રાવી ગ્રંથી
***અંતઃ સ્રાવી ગ્રંથી:---આગળ જોયું તેમ તેર અગ્નીઓ દ્વારા લીધેલા આહારનું સમ્યગ્ પાચન થઇ શરીર પુષ્ટિ મેળવે છે. આપના શરીર ના ભૂતાગ્ની એટલે અંતઃ સ્રાવી ગ્રંથીઓ ના સ્ત્રાવ;જે સ્વભાવે આગ્નેય છે.તે સ્ત્રાવો ની વધ-ઘટ થી પણ હૃદય ઉપર બોજો પડે છે.મનુષ્ય જયારે,જ્યારે માંનસીક્ર રીતે વ્યસ્ત હોય ત્યારે મશ્તીષ્ક માં રહેલી પીચ્યુટરી ગ્રંથી માં થી સ્ત્રાવો વધી જાય છે.પરિણામે ઉપવૃક્ક ગ્રંથી ના સ્ત્રાવો વધે છે.તેના નામો એડ્રીનાલિન અને કોર્ટીકોસ્ટેરોઈડ છે.તે લોહી માં ભળે એટલે હૃદય ની માંસ પેશી પર અસર કરે છે.તે પોતાની નિયમિત ગતિ કરતા વધારે ગતિ થી ધબકે છે.અને બળપૂર્વક પંપ કરવું પડે છે. સાથે સાથે આ ગતિ ને પહોચી વળવા ઓક્ષીજન અને બીજા જીવનીય તત્વો પણ વધારે વપરાય છે.આ બોજાને પહોચી વળવા એડ્રીનાલિન નો સ્ત્રાવ પણ તેજ વખતે થાય છે. તે રક્ત વહીનીઓ નો સંકોચ કરે છે.પરિણામે લોહીનું દબાણ વધે છે.આ વખતે હૃદય નેવધુ દબાણ સાથે કામ કરવાનું હોય છે છેવટે તેનો બોજો પણ હૃદય ની પેશીઓ પર પડે છે.અંતે હૃદય નબળું પડે છે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment