Wednesday, November 18, 2009

હૃદ્સાદ(કાર્ડિયક ફેઇલ્યોર)

હ્રુદ્સાદ :----આ રોગ માં -=હૃદય માં રચનાકીય કે ક્રિયાત્મક રીતે કોઈ ખાસ મોટી વિકૃતિ હોતી નથી. પણ બહારના દોષોને કોપાવનારા કારણો થી વિકૃત થયેલ રસ હૃદય માં આવે છે. અને તે સમ્યગ્ ગુણ સંપન્ન હોતો નથી અને તેને લઈને હૃદય પોતાનું કામ કરવામાં નબળું પડે છે.અને તેજ રીતે બીજા અવયવો નું કામ નબળું થતાં તેનો બોજો હૃદય પર પડે છે.અને તેથી હૃદય ની ક્ષમતા ઓછી થાય છે.પરિણામે શરીર ની જરૂરિયાત ના પ્રમાણમાં રક્તનું પરિભ્રમણ કરવામાં અસમર્થ થાય છે.--અનો મતલબ એવો નથી કે હૃદય કામ નથી કરતું અથવા કાર્ય ક્ષમતા નથી;પણ માત્ર એટલું સમજવાનું કે શરીર ને જેટલા પ્રમાણમાં અને જેટલી ગતિથી રસ-રક્ત જોઈએ તેટલા પ્રમાણમાં હૃદય રક્ત પરિભ્રમણ ન કરી શકતાં વિવિધ અવયવોને રસ-રક્ત પૂરું પડી શકાતું નથી.એટલે કે તેની શક્તિ ઘટી છે.તે પૂર્વવત કાર્ય કરી શકાતું નથી ***** હૃદય પર બોજો કેમ પડે છે?---હૃદય રોગ કરનારા નીદાનોનું -કારણોનું લાંબા સમય સુધી સેવન કરવા માં આવે કે તેનું પુનરાવર્તન થયા કરે તેથી રસ-રક્ત વૈગુન્ય આવવાથી હૃદય ગત રસ-રક્ત હૃદયની માંસ પેશીને પોષણ આપી શકતા નથી.ને બીજી બાજુ તેને માટે અવિરત કામ કરવાનું હોય છે. આ સંજોગો માં પોષણ ન્યૂનતા સામે કામ અને બોજો લાંબા સમય સુધી તે પ્રમાણે કરી શકતું નથી.અને અંતે હૃદયમાં નિર્બળતા આવે છે.------રક્તમાંની લોહ ધાતુ નું પ્રમાણ ઓછું થતાં રક્ત ની પ્રાણવાયું ગ્રહણ કરવાની અને ધારણ કરવાની શક્તિ ઓછી થાય છે.તેથી તે ફૂપ્ફૂશ માં આવેલ પ્રાણવાયું ને જલદી ગ્રહણ કરતું નથી.પરિણામે શરીરના બીજા અવયવો ની અશુધ્ધિઓ નું નિષ્કાસન યોગ્ય સમયે -ઝડપે થતું નથી.આમ આખું રક્ત પરિભ્રમણ ચક્ર વિલંબિત બને છે.તેજ રીતે ફૂપ્ફૂશ કોઈ રોગ ગ્રસ્ત થતાં આજ રીતે ફૂપ્ફ્હુશ નું રક્ત પરિભ્રમણ વિલંબિત થતાં હૃદયને બોજો પડે છે. અને લાંબા સમય આમ ચાલતાં હૃદય દૌર્બલ્ય આવે છે.****માનસિક કારણો થી ક્ષોભ થતાં અંતઃ સ્ત્રાવી ગ્રંથીઓનો સ્ત્રાવ વધ-ઘટ થતાં હૃદય અને રક્ત વાહીનીઓની કાર્ય ક્ષમતા ઘટેછે;અને હૃદય પર કાર્યભાર વધે છે.પરિણામે હૃદય નિર્બળ બને છે.હૃદય રોગ કારક આહાર-વિહાર થી રસ ધાતુ માં વિગુનાતા આવે છે.અને રસ ધાતુ થી હૃદય ને પુરતું-યોગ્ય પોષણ નથી મળતું .આથી હૃદય નબળું પડે છે. સામે એજ વિગુણતા વાળો રસ ધમની કાથીન્ય ઉભું કરે છે.તેથી સ્થિતિસ્થાપકતા નાશ પામતાં તેમાં રક્ત-રસ સંવહન યથા યોગ્ય થતું નથી અને તેનું પ્રતિ-બળ હૃદય પર જ પડે છે.તેજ રીતે રક્ત વાહિની ના કાથીન્ય અને સંકીર્ણતા આવવાથી તેમાં રસ-રક્ત નું પરિભ્રમણ ને પહોચી વળવા માટે હૃદય ને બળ પૂર્વક કામ કરવું પડે છે. આમ લાંબા સમય સુધી ચાલતાં હૃદય નબળું પડે છે.આ રીતે અખા હૃદયની નિર્બળતાની વાત થઇ .ઘણી વખતે આ નિર્બળતા હૃદય ના અમુક ભાગ માં આવે છે.અને જે તે ભાગ નો કાર્ય-હ્રાસ થતાં તેના કાર્યમાં વિલંબ કે ક્ષતિ થતાં તેને લગતા અવયવો માં તેના લક્ષણો દેખાય છે.
હૃદય નું કાર્ય જોઈશું તો ખબર પડે છે કે ફેફસાં માં ગયેલ રક્ત શુદ્ધ થઇ ને ફૂપ્ફૂશીય શીરા દ્વારા હૃદય ના ડાબા આલિંદમાં આવે છે. અને ત્રિદલ વાલ્વ દ્વારા આલિંદ માં થી ડાબા નિલય માં આવે છે.ત્યાં થી આવર્તા મહાધમની દ્વારા શરીર માં જાય છેઽઅ ડાબો ભાગ નબળો પડે તો બધી ક્રિયામાં વિઘ્ન આવે.ફેફસન માં થી પાછુ આવતુ રક્ત તેની નિયત જ઼ેડેપ પુરતા પ્રમાં માં પાછુ ન આવતાં ફેફસન માં રક્તનો રહેવાનો સમય વધી જતાં તથા રસ સંચય થઈ કફ વૃધ્ધિ-પ્રકોપ થાય છે;અન સ્વાસ ક્રુચ્છતા થાય,કફ ની ઉત્પત્તિ થાય અન કાસ લક્ષણ રૂપ દેખાય છે.સાથે આ બોજો લાંબા સમય સુધી પડતાં તેને અનુકુળ થવા માટે તે વધારે પ્રમાણ માં ઍક સામટા આવેલા રક્ત ને પોતાના માં સમાવવા માટે પહોળું થાય છે.(સતત વધારે રક્ત ને પોતાના ખાના માં ભરાવાથી સ્વભાવિક પણેખાનાં પહોળા થાય છે.) પછીતે રક્ત ને બહાર ફેંકવા માં ક બીજા ખાના માં લઈ જવા માટે તેને વધારે બલ થી સંકોચવમાટે ધીમે ધીમે તેની દીવાલ જાડી થાય .છે.આ અનુકુળતા માટે શરીરેપોતાની જાતે વિકૃતિ ઉભી કરી હોય છે. આ વિકૃતિ લાંબા સમયે હૃદની ક્ષમતા માટે હાની કારક બને છે. અન હૃદય પોતાની ક્ષમતા ગુમાવી દે છે. હૃદય અંદરથી પહોળા થયેલા અને કદમાં જાડી થયેલ દીવાળોથી પોતાનું સંપૂર્ણ સંકોચન કરીને બધા જ રક્ત ને બહાર કાઢી શકાતું નથી.

No comments:

Post a Comment