******એજ રીતે જમણી બાજુની વાત કરીએ તો અધઃ અને ઉર્ધ્વ મહા -શીરા દ્વારા હૃદયના જમણા આલિંદ માં અશુદ્ધ રક્ત આવે છે.પછી ત્રિદલ વાલ્વ દ્વારા જમણા નીલયમાં .તે સંકોચાતાં ફૂપ્ફૂશીય ધમની દ્વારા ફેફસામાં જાય છે.જયારે આ ભાગ નિર્બળ બને અને તે નિયત ગતિ અને બળથી રક્ત લેતું નથી કે બીજા ખાનાં માં મોકલતું નથી કે ફેફસામાં લઇ જતું નથી તેથી ત્રણે ક્રિયા માં વિલંબ થાય છે.અને જે તે અવયવોમાં રસ-રક્ત નો સંચય થાય તેથી તે અવયવો માં શોથ થાય છે
.*****આ શોથ યકૃત-પ્લીહા અને ફેફસા માં દેખાય છે.,લાંબા સમયે જલોદર થાય છે.ડાબી બાજુની માફક જ સયાન્તરે બંને ખાનાં પહોળા થાય છે.અને પછી તે ખાનાં ની દીવાલોજાડી થાય છે -વધે છે.
આમ શિરાઓ માં કાર્ય વિલંબથી રક્ત નો ભરવો રહે છે,અને પરિણામે શિરાઓ થોડી પહોળી થાય છે.ગાળા ની શિરાઓ પ્રત્યક્ષ રીતે જોઈ શકાય તેવી ફૂલે છે.----આ અનુલોમ ગતિ થી રોગોત્પત્તી થઇ ,તેમ પ્રતિલોમગતિથી
યકૃત-પ્લીહા કે ફૂપ્ફૂસા માં શોથ થાય કે જળ સંચય થતા તેનો કાર્યભાર વધી જાય અને તે બધાનું કાર્ય પરોક્ષ રીતે હૃદય ને જ કરવું પડે છે;અને હૃદય નિર્બળ બને છે-અક્ષમ બને છે.*******નિર્બળ હૃદય નું બળ અને ગતિ બંને ઘટતા રસ-રક્ત નો સંચય અનેપરીનામે સ્ત્રોતોરોધ કે સંગ થાય અને શોથ થાય છે.તેજ સમ્પ્રાપ્તીથી મૂત્ર નિર્માણ નું કાર્ય અટકે છે.અથવા ન્યૂનતા આવે છે.જે સમય સર નિષ્કાસન પામતું નથી,સમ્યગ ઉત્પત્તિ ના થતા વૃક્ક પૂરું કામ ન કરી શકાતાં મૂત્ર માં પ્રોટીન જાય છે.****રચના અને ક્રિયા ની દૃષ્ટિ એ આટલું વિચાર્ય પછી આયુર્વેદની સંપ્રાપ્તિ અને નિદાન જોઈએ તો ખબર પડશે કે કેટલી સરળતાથી સૂત્રાત્મક રીતે હૃદય રોગ ના નિદાન વગેરે બતાવે છે.આખા આ હાર્ટ ફીલ્યોર માં હૃદયગત રસ-રક્ત ની વિક્રિયા ગણાય તેટલીજ હૃદય રોગ ની ગણતરી છે.બાકી અગ્નીમાંન્દ્ય -સ્રોતોરોધ-સંગ ની સંપ્રાપ્તિ જન્ય રોગો છે.તો થોડા લક્ષણો વૃદ્ધાવસ્થા નાં છે.પરોક્ષ કે અપરોક્ષ રીતે હૃદય ની દુર્બળ અવસ્થા દર્શાવતા રોગ વાત-કફ જનિત છે.પ્રથમ વાયુ પ્રકોપ પાછળથી કફ સંચય કરે છે.સંચય સમયાંતરે પ્રકોપમાં પરિણામે છે.
Subscribe to:
Post Comments (Atom)
nice blog..
ReplyDeletedr.mayur dudhat from surat.
www.dentalhelpline.info is the site..
please visit the sites to spread dental awareness.
ReplyDeletewww.dentalhelpline.info
www.geetahospital.com
whats the cure for psoriasis? please help me or mail me mayurdudhat@yahoo.com
ReplyDelete