Tuesday, December 22, 2009

હૃદરોગ -અંતઃ કલા શોથ

****અંતઃ હ્રુદ્કલા શોથ  ---આયુર્વેદ માં અભિઘાતજ હૃદય રોગ ના નિદાનો માં  વર્ણવેલું છે .તેમાં હૃદય પર સીધો  અભિઘાત થાય કે બીજા અવયવ પર વ્રણ થાય અને તેમાં ત્રિદોષ પ્રકોપ પામી નેઉપસર્ગ થઇ જીવાણુ જનિત પાકક્રિયા -પૂયતા વગેરે થઇ ને હૃદય ની અંતઃકલા માં તીવ્ર શોથ આવે છે ,ઘણી વખતે કાકડા ,ફેફસા ,આંતરડા ,અસ્થીમજ્જા,આમવાત ,અંતઃકર્ણ શોથ,આન્ર્તિક જવર ના તીવ્ર લક્ષણો માં પણ હૃદય માં ઉપસર્ગ પહોચી જતાં હૃદય અંતઃકલા માં તીવ્ર શોથ થાય છે.આવા શોથ માં અંતઃકલા સાથે હૃદય ની બધી કપાતીકાઓ (વાલ્વ) સંકળાયેલી છે.અથવા તો તેની જ બનેલી છે.જો અંતઃ સ્તર માં શોથ આવે છે અને કપાતીકા(વાલ્વ ) માં વિકૃતિ આવતા હૃદય ના લગભગ બધાજ કર્યો માં વિઘ્ન ,વિલંબ અને અપૂર્ણતા આવે છે.
       વાલ્વ માં શોથ સાથે સાથે ઉદ્ભેદ જોવા મળે છે.મોટે ભાગે દ્વીકપર્દી વાલ્વ અને આલીન્દના અંદર ના પદ માં,મહા- ધમની ના નિલય ના ભાગ માં વધારે પ્રમાણ માં દેખાય છે.ઘણી વાર જન્મજાત હૃદય વિકાર માં જમણી બાજુએ પણ વધારે જોખમી હોય તેવા ઉદ્ભેદ જોવા મળે છે.આગળ વધી ને આ ઉદ્ભેદ ,આલિંદ,નિલય અને પટલ માં છિદ્ર પણ કરી શકે છે.વાલ્વ ને બાંધી રાખવા વળી કંદરા માં વિદારણ પણ કરી નાખે છે.તો તેના કારણે વૃક્ક,મસ્તિષ્ક ,આન્ત્ર,દ્રષ્ટિ પટલ  અથવા ફેફસાં માં પૂતી રોધગલન,ની ઉત્પત્તિ થાય છે. આ રોગ કરનારા જીવાણું વાળા રોગો ના રોગી ના સંસર્ગ થી પણ આ રોગ થઇ શકે છે. જેવાકે ---ફેફસાં માં પાક-શોથ ,મધ્ય કર્ણશોથ,ત્વચાઘાત,કોઈ પ્રકાર નો ઘા, કે વિદ્રધી ,મૂત્ર સંસ્થાન માં ઉપસર્ગ કે શલ્ય કર્મ જનિત ઉપસર્ગ ,હૃદય ને લગતા શલ્ય કર્મ ના વખતે અથવા ત્યાર બાદ હૃદય અંતઃ કળા શોથથઇ શકે છે.તે રોગી ને જવર ,કલમ,દુર્બળતા ,શ્વાસ કૃચ્છતા થાય છે.હૃદય નું પરીક્ષણ કરતાં ગ્રસિત થયેલ કપાતીકાઓ નો અવાજ સંભાળવા મળે છે.રુગ્ણ માં રક્તાલ્પતા ના લક્ષણો જોવા મળે છે. તો ક્યારેક રક્ત સ્ત્રાવ જોવા મળે છે.પ્લીહા ના ભાગ માં વેદના અને સ્પર્શાસહ્યતા,જોવા મળે તો ક્યારેક હ્રુદ્ગત અંતઃ શલ્યતા હોય છે.આ અંતઃ કળા હ્રુદ શોથ ના તીવ્ર ઉપસર્ગ જનિત જુના રોગો મા પણ ધીમું સંક્રમણ હૃદય માં રહે છે.અને અંતઃ કળા નો શોથ કહે છે .   

Sunday, December 6, 2009

હૃદય રોગ

 હૃદય રોગ ------આયુર્વેદ ની પધ્ધતિ -નિદાન પંચક માં સંપૂર્ણ બંધ બેસે તેવા તો આગળ બતાવેલ પાંચ જ રોગ કહેલા ;બાકી બીજા બધા જ કહેવાતા હૃદય રોગ  કે જેમાં બીજા કારણો થી હૃદય ગ્રસિત-પીડિત થયેલું છે.તેમાં અગ્નીમાંન્દ્ય,આમ ,સ્ત્રોતોરોધ ,સ્ત્રોતોદુષ્ટિ અને વય જનિત કારણો છે.તે છતાં હૃદય ને જેમાં પીડા થાય તે હૃદય રોગ ગણી ને ચાલીસું અને તેના કારણો નેઉપાય બંને સમજવાનો પ્રયત્ન કરીશું .તે માં પહેલી  હરોળ માં આવે છે આમવાત જનિત હૃદય રોગો . -----હ્રુદયાવરણ ના રોગો .******હ્રુદયાવરણ શોથ ---------આ   રોગ નાના બાળકો અને યુવાનો માં વધારે જોવા મળે છે.પહેલા કહ્યું તેમ આમ બધા રોગોનું કારણ છે.આ આમથી જવર આવે છે.બધા જ  જવરમાં આમ એ  સામાન્ય કારણ છે.પણ અહીં માંન્સાદી ધાતુ સુધીનું આમપણું હોય છે.અને તે ઉપરાંત રુગ્ણદ્વારા અપથ્યનું સેવન ચાલુ રાખવામાં આવે ,જવરની યોગ્ય ચિકિત્સા ના કરવા માં આવે તો તે જીર્ણ થઈને આમ સંચય હૃદય સુધી પહોચીને હૃદયને આવરી નેરહેતી થેલી (હ્રુદયાવરણ) માં જે સ્નિગ્ધ પ્રવાહી છે.તે વધી જાય છે. તેના સમ્યગ ગુણ ને બગાડી વિકૃતિ કરી ને શોજો લાવે છે.અને તે હૃદયના કાર્ય માં વિક્ષેપ નાખે છે.
આધુનિકો આ જવર માં આમવાતિક,પુયજન્ય,ક્ષય જન્ય ,વાગવાથી ક્ષત(ઘા) થાય અને તેના ઉપસર્ગ ની બીજી કે ત્રીજી અવસ્થા માં માંસ પેશી માં રક્ત નું યોગ્ય પ્રમાણ માં ના ફરવું રક્ત-રસ ધ્તું માં અમ્લતા નું (યુરિક એસીડ ) પ્રમાણ વધવું ,મસ્તિષ્ક જવર ના ઉપદ્રવ તરીકે,ફૂપ્ફૂસ શોથ-જવરના ઉપદ્રવ તરીકે સર્વાંગ શોથ એ આમવાત ના ઉગ્રસ્વરૂપ માં જોવા મળે છે. હ્રુદયાવરણ ના શોથ  ના તાન્તવ જનિત નિહ્સ્ત્રાવ સ્થાનિક હોય અથવા ફેલાયેલો હોય તો તે બ્રેડ પર લગાવેલ માખણ ના સ્તર જેવો લાગે છે.એમાં સ્ત્રાવ ઘણો ઓછો જોવા મળે છે.આ રોગી ના મરણોપરાંત શવચ્છેદન થી તેના હ્રુદયાવરણ  પર જુના ઘા જોવા મળે છે.જે દૂધ ના મોટા ટપકા જેઓ હોય છે. ----નાના બાળકો માં આમવાત અને તેનાથી થતા આક્ષેપ જોવા મળે છે.અથવા પૂર્વ ઈતિહાસ જાણવા  મળે છે.વયસ્થ રોગીઓ માપન ઉપરોક્ત કારણો થી થાય છે,અને મોટા ભાગે શુષ્ક હોય છે.વૃધ્ધો માં ઉપર બતાવેલા રોગો ના કે અન્ય કોઈ રોગના અંતિમ અવસ્થા માં થાય છે.આ રોગ માં જો ફૂપ્ફૂસાવરણ પણ આક્રાંત થાય તો હ્રુદ્શુલ -પાર્શ્વ શુળ થાય છે.પણ તે સ્થાનિક ભાગ સુધી જ વેદના ગ્રસ્ત રહે છે. જે રોધગલનહૃદય રોગ થી જૂદો પાડવામાં મદદ રૂપ થાય છે.તો ક્યારેક ગ્રીવા,બાહુ કે ઉદાર સુધી વેદના વ્યાપે છે.હ્રુદયાવરણ શોથ ફૂપ્ફૂસાવરણ શોથ માં પરિણામ પામતાં શ્વાસકૃચ્છતા  અને કાસ ઉપદ્રવ રૂપે જોવા મળે છે. થોડી મહેનત થી પણ વેદના માં વધારો થાય છે.******હ્રુદયાવરણ માં દ્રવસંચાય ----આ પણ આમવાત જનિત-આમ ની વિકૃતિ નો રોગ છે. આગળ કહેલા કારણથી વિકૃત થયેલો રસ,કફને પ્રકોપિત કરી ને હૃદયસ્થ તર્પક કફ ને બગાડી ને હૃદયને આવૃત કરી ને રહેલા હ્રુદયાવરણ માં રહેલ દ્રવ વધી જાય છે.તે બે પ્રકાર ના હોય છે. ૧ )સ્વચ્છ --તેમાં હ્રુદયાવારણમાં રહેલુદ્રવ  સ્વચ્છ હોય છે.અને સોજો લાવેછે,જળ સંચયથી શોથ થાય છે.(૨) સપૂય-તેમાં બીજા   રોગના ઉપસર્ગ થી કે વિકૃત થયેલા તર્પક  કફ પ્રકોપાવસ્થા માં હોય અને પિત્તનો પ્રકોપ ભળતાં તેમાં પરુ-પાક થઇ જાય છે.(૩)વધારે પિત્તનો પ્રકોપ થતાં તર્પક કફને સમ્યાગ રૂપમાં રાખવા વાળીલસીકા માં પિત્તની વિકૃતિ થતાં ત્યાં રક્તસ્ત્રાવ થઇ ને હ્રુદયાવરણ માં રક્તનો સંચય અથવા તે પ્રવાહી માં રક્ત ના કણો જોવા મળે છે.----પ્રકુપિત તર્પક કફ વિકૃત અવસ્થા માં થતાં હ્રુદયાવરણ  માંજે પ્રાકૃત કફ હૃદયનું તર્પણ કરે છે.તેમાં કાચો લસીકા સ્ત્રાવ ભળી ને હ્રુદયાવરણ શોથ કહેછે.આની સંપૂર્ણ માહિતી-નિદાન માટે ઇકોકાર્દિઓગ્રાફિ અને વિકિરણ (ક્ષ-રે ) પરીક્ષણ જરૂરી છે. ---હૃદય ની ક્ષમતા ઓછી થતાં હૃદય  નાં ખાનાંપહોળા થાય છે. હૃદય માં આવેલું રક્ત યોગ્ય સમયે અને પ્રમાણ માં પાછું જતું નથી અને તે લસીકા માં થી વહેતો તર્પક કફ માં આમ અને જળ નું પ્રમાણ વધી જતા જલીય હ્રુદયાવરણ શોથ થાય છે.જીર્ણ વૃક્ક શોથ નાં ઉપદ્રવ તારીકેજલ નો યોગ્ય વિસર્ગ ન થતાં શરીર માં જળ સંચય થાય છે.તેમાં હ્રુદયાવરણ માં પણ આ લક્ષણો આવી શકે છે.જે જે લસીકા વાહિની હ્રુદયાવરણ માં તર્પક કફ લાવે છે. ત્યાં પ્રકુપિત પિત્ત પાક ક્રિયા કરી ને પૂય નિર્માણ કરે છે.તેજ રીતે અન્ય રોગો ના લક્ષણો કે અભીઘાત જન્ય ઉપસર્ગથી પણ પૂય નિર્માણ થાય છે. તેને તીવ્ર હ્રુદયાવરણ શોથ કહે છે.
-----તેજ રીતે જન્મ-જાત કે ઉપસર્ગ થી વાયુ ની અતિ વિકૃતિ થતાં આ હ્રુદયાવરણ માં વાત સંચય પણ થાય છે. અતિ વેદના વાળો શોથ ઉત્પન્ન કરે છે.જુનો અથવા વધારે સમય સુધી ચાલેલો આમવાત ની યોગ્ય ચિકિત્સા ન થતાં હ્રુદયાવરણ શોથ હ્રુદયાવરણ ના બન્ને પડોએક બીજા સાથે ચીપકી જાય છે.--આ સંપ્રાપ્તિ હૃદય ના નજીક ના અવયવો માં અર્બુદ,હૃદય-રોધગલન અને ક્ષય માં પણ જોવા મળે છે.