Thursday, September 17, 2009

AYURVEDA....3

આમ આયુર્વેદ ની વાતો અનંત છે.તો થોડી ગર્ભિત પણ છે.તેની ઉત્પત્તિ -વિકાસ અન તેની આજ ,મોટો ઇતીહાસ કહી જાય છે આધુનિક ઇતિહાસકારો આયુર્વેદને અઢી -ત્રણ હજાર વર્ષ જૂનો કહે છે,પણ ભારતીય કાળગણના ની પધ્ધતિ થી જોઇઍ તો તે ઘણો જૂનો દેખાય છે. પુરાણ કાળમાં તો તે ઘણો જ મહત્વનો નોંધાયો છે.;તદ્ઉપરાંત વેદ-સંહિતા કાળ થી જૂનો કે સમકાલીન દેખાય છે તેથી તો આ શાસ્ત્ર ને વેદ કહ્યો છે અન તેનાઆધારભૂત ગ્રંથો ને સંહિતા કહેલ છે.આ કાળગણના અને તેના પૂરાનત્વ ના વિષય નેબાજુમાં મુકીઍતો પણ શાસ્ત્ર ભ્રહમાંડ અને આપણા શરીર -પિંડ માટે ની સાર્વજનિનતા માં લેશ માત્ર ફરક પડતો નથી .આપણે જે સમય માં ,જે વૈજ્ઞાનિક સંદર્ભો અને સમજણ સાથે જીવીઍ છીઍ તેને કદાચ આ શાસ્ત્ર જૂનુ અને નકામું લાગે ;પણ જ્યારે સંસાર આખા અનેશરીર નિઅન્દર ની માંગ વિષે વિચારી ઍ તો ઍ બધ્ધિ જ જરૂરીયાતો આપણા શાસ્ત્ર માં થી જ મળી આવે છે.શરિર -બ્રહ્માંડ બનતી રચનાત્મક કે ક્રિયાત્મક ઘટનાઓ બધી જ આશાસ્ત્ર માં ઉલ્લેખાયેલ છે. આયુર્વેદ નેપોતાનું આગવું દર્શન છે. વૈજ્ઞનિકતા છે.તે પોતે સ્વયં સિધ્ધ છે.માત્ર શબ્દો -ભાષા જુદાં પડે છે .તેથી એવું તો ના જ કહી શકાય કે તેનું પુન:આધુનિક મૂલ્યાંકન થવું જોઈએ .આપણેજે વિજ્ઞાન જાણીએ છીએ તેને તો ઘણી બધી મર્યાદાઓ છે.ઘણું ઓછું જ્ઞાન અને વધારે અજ્ઞાત ક્ષેત્ર છે.આપણે જાણીએ છીએ તેજ વિજ્ઞાનને વિજ્ઞાન કહીએ છીએ તેના નામ ,વિશેષણ ક્રિયાઓ ને જ વૈજ્ઞાનિક કહીએ છીએ ,પરંતુ સાવ એવું નથી ,આપણા આ શાસ્ત્રમાં પણ બધુજ પોતાની રીતે સામાન્ય થી વિશેષજ્ઞ સુધીનો માણસસમજે,ચિકિત્સક થી લઇ ને આધ્યાત્મિક માણસ સમજે તેવી ભાષા માં બધીજ વ્યષ્ટિ -સમષ્ટિની શારીરિક ,માનસિક ઘટનાઓ વર્ણવેલી -તે પછી ભલેને અત્યારે ઓળખાતો હૃદયરોગ ,કેન્સર ,એઇડ્સ ,કીડની ફેઈલ સોરાઈસીસ....અરે,કોઈપણ રોગ વિકૃતિ લો ,તે આર્યુંવેદની પરિભાષા માં તેના પોતાના સિદ્ધાંતો પ્રમાણે તેના કોઈક માળખામાં બંધ બેસશેજ .---તો આ મહાન મૌલિકતા નો આપણે સૌ આપણા માટે જાણીએ અને તેને કલ્પેલા સાચા સ્વાસ્થ્ય ને પામીએ ,માણીએ.આધુનિક વિજ્ઞાનનું તબીબી શાસ્ત્ર ઔષધ વાદિ છે. જયારેઆયુર્વેદ સ્વાસ્થ્ય લક્ષી છે .એટલેકે તેનું ફળ આરોગ્ય છે .

No comments:

Post a Comment