Tuesday, November 10, 2009

હૃદય રોગ અને મેદવૃદ્ધિ

***મેદ-વૃદ્ધિ ----આયુર્વેદ ની દૃષ્ટિ એ ખોરાક માં થી અગ્નીઓ ની મદદ થી સાતે ધાતુ નું તર્પણ અને નિયમન થાય છે.કોઈ પણ પ્રકાર નો અગ્નિ વિકૃત થાય કે બગડે તો તે ભૂત કે ધાતુ ની વૃદ્ધિ-- હ્રાસ થાય છે અને તેના પછી ની ધાતુઓ માં પણ સમ્યક ગુનોત્પત્તી થઇ શકાતી નથી.આમ શરીર માં જઠરાગ્ની મંદ પડે છે અને માંસ તથા મેદ ધાતુ ના અગ્નિ બગડે છે ;તદુપરાંત જળ અને પૃથ્વી ભૂત ના અગ્નિ વિકૃત થાયત્યારે શરીરમાં મેદ ધાતુ વધે છે.આ સુત્રો નું જ યાંત્રિક -તાંત્રિક પ્રત્યક્ષી કરણ આધુનીકોની મેદ ધાતુ ના ચયાપચય ક્રિયામાં જોવા મળે છે .મેદ વધારે તેવા કારણો (કફ વધારે તેવા કારણો )થી દુષિત રસ ધાતુ જયારે રક્ત સાથે ભળી ને ઉપ્વૃક્ક માં આવેલા સ્ત્રાવ સાથે ભળે છે અને ત્યાં મેદ ધાતુ નું ચયાપચય ને લગતું પાચન-વિઘટન થાય પણ આ અગ્નિ મંદ હોય તો મેદ વધે છે.મેદ અને કફ થી સ્ત્રોતાસો પુરાઈ ગયા હોય હોવાથી વાયું અંદર ઘેરાઈ ને રહેવાથી આમાશય સ્થિત અગ્નિ વધારે પ્રજ્વલિત દેખાય છે તેથી મેદસ્વી ને વારંવાર ખોટી ભૂખ લાગે છે.પણ આગળના સ્ત્રોતાસો માં અવરોધ હોવાથી મેદજ વધ્યા કરે છે.આ પ્રમાણે મેદસ્વી ને ભૂખ લગાવી તે સમ્યગ્ જઠરાગ્ની નું લક્ષણ નથી પણ વિકૃતિ છે.સમ્યગ્ અગ્નિ થી તો આહાર પછી તૃપ્તિ થવી જોઈએ.પણ મેદ-વૃદ્ધિ માં વારંવાર ભૂખ લાગે છે.અહીં પણ હાયાપોથેલેમસ ગ્રંથી બરાબર કામ કરતી નથી વારંવાર લીધેલો ખોરાક મેદ તો વધારે છે;તદુપરાંત કાચો રસ(આમ) પણ વધારે છે.જે હૃદય તથા બીજા અવયવો ને હાની કરે છે.જેમ મેદ વધારે તેમ તેને પોષણ આપવા માટે કેશ વાહિનીઓ પણ વધારે પ્રસરે છે.-ફેલાય છે.એક ઔંસ મેદ માં જે રક્ત વાહિની છે તેને એક્સીધી લાઈન માં ગોઠવવા માં આવે તો એક માઈલ જેટલી લંબાઈ થાય ;જેમ મેદ વધારે તેમ એટલા માઈલો સુધી રક્ત પહોચાડવા નું કામ આખરે તો હૃદય ને જ કરવાનું હોય છે.આથી તેના પર કાર્યભાર વધતો જાય છે.માંસ અને મેદ ધાતુ ના અગ્નિ મંદ અથવા વિકૃત હોવાથી તે ધાતુ વધતાં આગળની ધાતુ નું પોષણ પુરતું થતું નથી.અને ક્રમશઃ જીવન શક્તિ ઓછી થાય છે.આયુષ્ય મર્યાદા પણ ઓછી થાય છે.મેદ ધાતુ વધારે હોવાથી અપક્વ મેદ ધાતુ લોહી માં ફરે છે તેને જ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈ ગ્લીસરીઝ કહે છે. આગળ જતાં તેજ કફ-વાયુ નો સહારો લઇ ને સ્ત્રોતાસો નો રોધ કે ધમની કાઠીન્ય કરે છે.---- મેદસ્વી માતા-પિતા ના સંતાનો માં તેમના રંગ સુત્રો ના બંધારણ થી મેદસ્વીતા ઉતરી આવે છે. તેથી તો આયુર્વેદના આઠ પ્રકારના નિંદનીય પુરુષ માં મેદસ્વી ને ગણેલો છે. આગળ બતાવ્યું તેમ અગ્નીઓ ની દુર્બળતા કે વિકૃતિ થી એક ધાતુ ની વૃદ્ધિ થાય છે . ગળામાં આવેલી થાઇરોઇદ ગ્રંથી પણ શરીર ના ચયાપચય ઉપર સારો એવો કાબુ ધરાવે છે.આ અંતઃ સ્રાવીગ્રંથીઓ પણ શરીર ના ભૂતાગ્નીઓ જ છે. તેના હ્રાસ-વિકૃતિ થી પણ મેદ ધાતુ વધે છે.

No comments:

Post a Comment