Sunday, November 1, 2009

નિદાન પરીવર્જન

નિદાન પરિવર્જન્:--આયુર્વેદ અધ્ધતિ થી રોગ કાઢવો હોય તો પહેલી સરત એ છે કે જે કારણો થી રોગ થતો હોય તેવા આહાર-વિહાર નું પરિવર્જન્ -એટલે કે તેને ત્યજવા ,છોડી દેવા.
આગળ કહીગયા તે હ્રુદ્રોગ ના કારણો ને જરા વિસ્તૃત રીતે જોઈએ -અતિ ઉષ્ણ અન્ન -પાનનું અતિ સેવન-ખુબજ ગરમાગરમ ખોરાક્કે પીણાં લેવાથી પાચક રસ ના બંધારણ માં તથા તેના સ્ત્રાવ માં આઘાતાત્મક વિક્રિયા થઇ ને પાચન ક્રિયા ને બગડી નાખે છે તેથી તેવી નબળી પરિસ્થિતિ માં પચેલા અન્ન-પણ નો રસ સમ્યગ્ ગુણ ના અભાવ વાળો બને છે અને ત લાંબા ગાળે રસ-રક્ત અને તેના સ્ત્રોતાસો ને બગાડે છે ;અને હૃદયને નુકશાન કારક સંપ્રાપ્તિ નો પાયો નંખાય છે..તળ ઉપરાંત અન્નનળી હ્રુદય ની નજીકથી પસાર થાય છે ,તથા આમાશય પણ હૃદયની નજીક નો અવયવ છે -જો તેમાં અતિ ઉષ્ણ આહાર હોય કે પસાર થાય તો તે ઉષ્ણ તા ની અસર હૃદય નીચું-સ્વાભાવિક ગતિ માં વિક્ષેપ નાખે છે.(ગરમી થી પદાર્થો નુંપ્રસરણ થાય છે.) * રુક્ષ અન્નનું અતિ સેવન --વારંવાર લાંબા સમય સુધી યોગ્ય પ્રમાણ માંસ્નેહ (ચરબી)વગર ના ખોરાક્લેવાથી ,આમાશય ની પાચક શક્તિ વિક્ષિપ્ત થાય છે.આયુર્વેદ મનુષ્ય ને મેદ-સાર કહેછે.લાંબા સમય સુધી સ્નેહ-ચરબી ના અભાવ વાળા ખોરાક પચાવી શકતું નથી.રસ-રક્ત માં યોગ્ય પ્રમાણ માં સ્નેહ નહોવાથી ,અબધાતું ને પુરતું પોષણ મળતું નથી .અને પોષનાભાવથી થતા રોગો કહેવાય છે તે થાય છે અને હૃદય ને સીધી કે આડકતરી રીતે હાની પહોચાડે છે.હૃદય ને પોતાની ગતિ સતત ચાલુ રાખવા માટે યોગ્ય છે.સ્નેહ (ચરબી)યુક્ત માંસ ધાતુ ની જરૂર છે. હૃદય એ માંસ પેશી નું બનેલું છે.તેને માંસ વહ સ્ત્રોતસવાતે પોષણ મળે છે.જો તેમાં ન્યૂનતા હોય તો તે ધાતુંક્ષીણ થાય છે.આધુનિકો પણ વિટામીન ઈ અને જરૂરી ફેટી એસીડ ના અભાવે હૃદય રોગ થાય છે તેમમાને છે જ ,આયુર્વેદ નીદ્રષ્ટિ થી રુક્ષ આહાર વાત પ્રકોપક નિદાન છે. *કશાય-તિક્ત રસનું અતિસેવન --તૂરા અન કડવા સ્વાદ વાળાંઆહાર અને પીણાં નું અતિસેવન .રસ-રક્તના સહજ સ્વભાવ વિરુધ્ધ છે. તેથીરસ-રક્ત માં પરિનાત્મકવિક્રીયા થાય છે.વાયુ પ્રકોપ પામે છે.કદાચ ઋષિઓ ને ખબર હશે ક ભવિષ્ય માં ચા- કોફી,તમાકુ,અલ્કોહોલ,કોલ્ડ ડ્રિન્ક નો પ્રચાર વધશે.ઉપરોક્ત બધાં પીણાં કશાય-તિક્ત રસ ના પ્રાધાન્ય વાળાંછે. ઉપરાંત માદક પણ છે.તે વાયુ નો પ્રકોપ કરી ને હૃદય રૉગ ના કારણો પુરાં પાડે છે. *** અસાત્મ્ય /વિરુદ્ધ આહાર -પાન નું અતિ સેવન ---આયુર્વેદમાં પોતાના વર્ષો જુના અનુભવ થી માનવ શરીર ની પાચન ક્રિયા અને તેના પરિણામો ની નોંધ છે.જે ખોરાક એકલો કે એક-બીજા ના સંયોજનમાં લીધા પછી પાચન ક્રિયા દરમ્યાન કે અંતે જો તે માનવ શરીરને ધારણ કરનાર દોષ,ધાતુ કે મળ સ્વાભાવિક ગુણ-ધર્મ કરતા વીરોધી રસયાનીક પરિણામ આપવાની હોય તેને અસાત્મ્ય -વિરુદ્ધ આહાર-વિહાર કહેલા છે.આવો ખોરાક સમયસર પચતો નથી,યોગ્ય-સમ્યગ ગુણો વાળા રસ-રક્ત નું પરિણામ થતું નથી.ધાતુ ના ઉડાન સુધી પહોચતા વાર લાગે કે દૂષ્કર રીતે ધાતું ના અગ્નિ ઓ થી પચે તેવા અણુઓની નિર્મિતિ કરે છે ;અને આખરે રસ-રક્ત ની દુસાધ્ય કે અસાધ્ય વિકૃતિ આપે છે.જે હૃદય માટે જોખમી છે.

1 comment:

  1. ખુબ જ સુદર માહિતિ આપવા બદલ આપને ધન્યવાદ

    ReplyDelete