Saturday, October 24, 2009

આયુર્વેદ ની મૌલિકતા

આયુર્વેદ ની મૌલિકતા:આ રીતે આયુર્વેદ ના આચાર્યો એ હૃદય ની બધી વિકૃતિઓ પાંચ વિભાગ માં વહેચી છે.આયુર્વેદ નીમૌલીક નિદાન પધ્ધતિ ની આ એક દેન છે. આજે આધુનિક નિદાન શાસ્ત્રો માં હૃદય રોગ ના ઘણા બધા પ્રકારો છે.--તેમ ન કરતાં આચાર્યો એ પાંચ વિભાગ માં વહેચી ને કમાલ કરી છે.નિદાન અને ચિકિત્સા બંને સરળ બનાવવા સરળ યોજના કરી છે. હૃદય રોગ નું નામ સાંભળી ને આજે ચિકિત્સક પણ મોટા-મોટા નૈદાનિક નામો,તેના ઉપકરણો ની પળોજણ માં પડી હૃદય રોગી ની કાળજી રખાય છે,તેના બદલે -રોગ-રોગી નું સરળ મૂલ્યાંકન કરી ને ચિકિત્સા શરું કરી દેવાય તેજ મહત્વનું છે.હૃદય રોગ ની ગંભીરતા આયુર્વેદ જાણે છે.હૃદય પર દોષો નો હૂમલો થયા પછી બાકી નું આયુષ્ય સુરક્ષિત નથી તેથી જેટલી વહેલી ચિકિત્સા શરું થાય તેટલી ઓછી હાની હૃદય ને થાય,તેમ જાણેછે.માટે હૃદય રોગ નું નિદાન પોતાની મૌલિક રીતે થી કરી વૈદ્ય ચિકિત્સા તુરંત હાથ ધરે અને હૃદય ને વધારે નુકશાન થતું અટકે.

No comments:

Post a Comment