Tuesday, December 22, 2009

હૃદરોગ -અંતઃ કલા શોથ

****અંતઃ હ્રુદ્કલા શોથ  ---આયુર્વેદ માં અભિઘાતજ હૃદય રોગ ના નિદાનો માં  વર્ણવેલું છે .તેમાં હૃદય પર સીધો  અભિઘાત થાય કે બીજા અવયવ પર વ્રણ થાય અને તેમાં ત્રિદોષ પ્રકોપ પામી નેઉપસર્ગ થઇ જીવાણુ જનિત પાકક્રિયા -પૂયતા વગેરે થઇ ને હૃદય ની અંતઃકલા માં તીવ્ર શોથ આવે છે ,ઘણી વખતે કાકડા ,ફેફસા ,આંતરડા ,અસ્થીમજ્જા,આમવાત ,અંતઃકર્ણ શોથ,આન્ર્તિક જવર ના તીવ્ર લક્ષણો માં પણ હૃદય માં ઉપસર્ગ પહોચી જતાં હૃદય અંતઃકલા માં તીવ્ર શોથ થાય છે.આવા શોથ માં અંતઃકલા સાથે હૃદય ની બધી કપાતીકાઓ (વાલ્વ) સંકળાયેલી છે.અથવા તો તેની જ બનેલી છે.જો અંતઃ સ્તર માં શોથ આવે છે અને કપાતીકા(વાલ્વ ) માં વિકૃતિ આવતા હૃદય ના લગભગ બધાજ કર્યો માં વિઘ્ન ,વિલંબ અને અપૂર્ણતા આવે છે.
       વાલ્વ માં શોથ સાથે સાથે ઉદ્ભેદ જોવા મળે છે.મોટે ભાગે દ્વીકપર્દી વાલ્વ અને આલીન્દના અંદર ના પદ માં,મહા- ધમની ના નિલય ના ભાગ માં વધારે પ્રમાણ માં દેખાય છે.ઘણી વાર જન્મજાત હૃદય વિકાર માં જમણી બાજુએ પણ વધારે જોખમી હોય તેવા ઉદ્ભેદ જોવા મળે છે.આગળ વધી ને આ ઉદ્ભેદ ,આલિંદ,નિલય અને પટલ માં છિદ્ર પણ કરી શકે છે.વાલ્વ ને બાંધી રાખવા વળી કંદરા માં વિદારણ પણ કરી નાખે છે.તો તેના કારણે વૃક્ક,મસ્તિષ્ક ,આન્ત્ર,દ્રષ્ટિ પટલ  અથવા ફેફસાં માં પૂતી રોધગલન,ની ઉત્પત્તિ થાય છે. આ રોગ કરનારા જીવાણું વાળા રોગો ના રોગી ના સંસર્ગ થી પણ આ રોગ થઇ શકે છે. જેવાકે ---ફેફસાં માં પાક-શોથ ,મધ્ય કર્ણશોથ,ત્વચાઘાત,કોઈ પ્રકાર નો ઘા, કે વિદ્રધી ,મૂત્ર સંસ્થાન માં ઉપસર્ગ કે શલ્ય કર્મ જનિત ઉપસર્ગ ,હૃદય ને લગતા શલ્ય કર્મ ના વખતે અથવા ત્યાર બાદ હૃદય અંતઃ કળા શોથથઇ શકે છે.તે રોગી ને જવર ,કલમ,દુર્બળતા ,શ્વાસ કૃચ્છતા થાય છે.હૃદય નું પરીક્ષણ કરતાં ગ્રસિત થયેલ કપાતીકાઓ નો અવાજ સંભાળવા મળે છે.રુગ્ણ માં રક્તાલ્પતા ના લક્ષણો જોવા મળે છે. તો ક્યારેક રક્ત સ્ત્રાવ જોવા મળે છે.પ્લીહા ના ભાગ માં વેદના અને સ્પર્શાસહ્યતા,જોવા મળે તો ક્યારેક હ્રુદ્ગત અંતઃ શલ્યતા હોય છે.આ અંતઃ કળા હ્રુદ શોથ ના તીવ્ર ઉપસર્ગ જનિત જુના રોગો મા પણ ધીમું સંક્રમણ હૃદય માં રહે છે.અને અંતઃ કળા નો શોથ કહે છે .   

No comments:

Post a Comment