Sunday, October 11, 2009

આમ,અગ્નિ અને હૃદયરોગ

અહીં ઉલ્લેખાયેલ અગ્નિ ની સમજ વિશાળ છે. તેનાં કામો -લક્ષણો પરથી અનુમાનિત કરવાનો છે. તે કાંતો ધાતુ માં રહેલા;આગળની ધાતુઓ ના અણું ઓ કેજેમાં આગળની ધાતુમાં પરિવર્તીત કરવાની શક્તિ છે. તેઅગ્નિ છે. શરીર માં કામ કરતી આંતસ્ત્રાવી ગ્રંથીઓ ના સ્ત્રાવ કેજે સિધ્ધા કે આડકતરી રીતે ધાતુ ગ્રહણ કરે છે. ધારણ કરે છે,અને આગળ ની ધાતુમાં પરિવર્તીત કરે છે,તે પણ અગ્નિ છે. યકૃત ,પ્લીહા ,વૃક્ક વગેરે માં જ્યાં જ્યાં ધાતુ નું પાચન,વિભાજન કરનાર તત્વો છે.તે બધ્ધાં જ અગ્નિ નાં સ્વરૂપો છે. આ અગ્નિ પાચક અગ્નિ ના વિભિન્ન સ્વરૂપો છેતેમ ચિકિત્સા માં મૌલીકતા લાવવા આયુર્વેદ ના આચાર્યો કહે છે.તેને પણ વધારે ચિકિત્સા લક્ષી બનાવવા પિત્તજ કહી ને આયુર્વેદ ના ચિકિત્સા જગત નેઅદભૂત મૌલીકતા આપી છે.માત્ર શબ્દો કે તેની સમજણ ના અભાવે આયુર્વેદ માં આ છે ;આ નથી તેવું કહેવાનો કોઈ અર્થ જ નથી આટલી ભૂમિકા પછી આયુર્વેદ માં ના હૃદયરોગ તરફ લઇ જવાનો છું. આજે હૃદયરોગ નું નામ પૃથ્વીના મારક રોગોમાં અગ્રગણ્ય તરીકે લેવાય છે. પૃથ્વી પર થતા મરણ ના ખાસ એવા ટકા હૃદયરોગના ભાગે જાય છે. ત્યારે સહજ રીતે પ્રશ્ન થઇ જાય છે કે આયુર્વેદમાં આના માટે કઈ છે? કઈ હતું કે આ બધું નવું જ છે? જ્યારે આ જગત ને હૃદય કે તેના જેવા અવયવ હોવા નો ખ્યાલ ન્હોતો ત્યાર થી આયુર્વેદ માં અને એનાથી જુના સાહિત્યમાં હૃદય શબ્દ છે. આયુર્વેદમાં તેનું સાંગોપાંગ વર્ણન છે. ગર્ભમાં તેની ઉત્પત્તિ કેવી રીતે થાય છે ,તે કેવી રીતે કામ કરે છે .શરીરમાં ક્યાં,કેવી રીતે રહેલું છે.તેનું મહત્વ શું છે? તે બધું વર્ણન છે. કાયદા કે શાસ્ત્ર ના અજ્ઞાન એ વ્યક્તિ નો વાંક છે.કાયદા કે શાસ્ત્ર નો નહીં .એ બધા દોષારોપણ માં પડ્યા વગર સીધાજ હૃદય રોગ ની વાતો પર આવીએ.અહીં હૃદય રોગના અને તેના અંતર્ગત થતા રોગોના કારણ -નિદાન -ચિકિત્સા ઘણાં પહેલાથી આપેલા છે. (આધુનિક ચિકિત્સા શાસ્ત્ર ના જન્મ પહેલાં ).તેની વાત આગળ કરતા પહેલાં, આયુર્વેદમાં રોગોની ઉત્પત્તિ નો ક્રમ બહુ અગત્ય નો છે.હૃદયરોગ પહેલા ગુલ્મ રોગ આવે છે.હૃદયરોગના નિદાન માં શાસ્ત્ર કાર લખે છે કે ગુલ્મ ની પધ્ધતિસર ચિકિત્સા ના કરવાથી,તેની યોગ્ય ચિકિત્સા ના કરવાથી,ચિકિત્સા ક્રમ ની અવહેલના કરવાથી અને ગુલ્મના નિદાનો નું સેવન ચાલુ રાખવાથી હૃદય રોગ થાય છે.આ ગુલ્મ રોગ કહેવતો આધ્માન-ગોળો કે વાયુ નથી,તે પણ ઘણું સંશોધન અને અનુસંધાન માંગે છે. ગુલ્મ નું હૃદય રોગમાં ખુબ મહત્વ છે.તે તો આમ દોષ, ધાતુ, અને મલ નું વાતાધીક્ય વાળું જાળું છે.તે અધુનીકો ના નિદાન શાસ્ત્ર કે તેના રોગ પરીક્ષણ ના સાધનો થી પકડતો નથી.

No comments:

Post a Comment