Friday, January 1, 2010

હૃદરોગ--હૃદમાંસપેશી શોથ-વિકાર

****** હૃદ માંસપેશી ના વિકાર ----આગળ વાત કરી તે રીતે જ  રસ ધાતુ ની વિકૃતિ ,તેમાં દોષો નું વૈષમ્ય અને આમરસ ની ઉત્પત્તિ,હૃદય ના વચ્ચે ના માંસ પટલ ને પુરતું-યોગ્ય પોષણ ન મળવાથી હૃદય ના માંસ પટલ ના રોગો થાય છે.------હૃદય માંસ પેશી  ક્ષય -----વૃધ્ધા અવસ્થા અને અકાળે વાર્ધક્ય લાવનાર કારણો ,વાત દુષ્ટિ કે પ્રકોપ ના કારણે થાય છે.ક્ષય અને અર્બુદ માં ધાતુ ક્ષય થાય છે ,તેના લીધે હૃદય ના માંસ પટલ નો પણ અપચય થાય છે.કોઈ તીવ્ર ઉપસર્ગ વાળા રોગ માં કે તેના લીધે સંપૂર્ણ રક્ત માં જીવાણું ને લઇ ને પાક-પૂયતા થઇ જવાથી હૃદય ની માંસ પેશી પર સંક્રમણ થઇ  ને અપચય શરુ થાય છે.-----ધાતુ ક્ષય નાં અને ઉપરોક્ત કારણો ,સંસર્ગ જનિત રોગો ની ઉગ્ર અવસ્થા માં ,પૂય અને ધાતુ વિશ વધી જવાથી મેદ-મજ્જા ધાતુ નાં અપચય્થવા લાગે છે અને માંસ પેશી ને જોઈતું પોષણ ન મળતા હૃદમાંસ પેશી માં જરૂરી વસા(ફેટી એસીડ ) નું પ્રમાણ ઘટી જાય છે.--તેજ રીતે વધારે પડતી ચરબી વાળા વ્યક્તિ કે ચરબી વાળો વધારે આહાર લેવાથી મેદ ધાતુ નો અગ્નિ મંદ થવાથી માંસ પટલ ને યોગ્ય -જરૂરી વસા નો અભાવ થાય છે,અને બહારથી શરીર માં ચરબી ખુબ હોય છે.પણ હૃદય નું માંસ પટલ નબળું પડે છે.-----આગળ ધામની કાથીન્ય જોઈ ગયા છીએ ,તેને લીધે ધામની માં સંકીર્ણતા અને હૃદમાંસ પટલ ને પોષણ ન મળતા માંસ પેશી માં તંતુમયતા ની ઉત્પત્તિ થાય છે. તો ક્યારેક આમવાત જનિત શોથ ને   પરિણામે પણ હૃદ માંસપટલ શોથ થાય છે.----ફીરંગ રોગ તથા ક્ષય માં હૃદમાંસ પેશી નો અપચય અને તેનાથી માંસ પેશી ગુલ્માંકારે અવગંથન (ગ્રેન્યુંલોમેટા) થઇ આવે છે.---આયુર્વેદ માં અર્બુદ(કેન્સર) ક્ષુદ્ર રોગો માં ગણ્યો છે ,તેના નિદાન -સંપ્રાપ્તિ આપી છે.તેમાં નું કોઈ પણ જાત નું અર્બુદ હૃદય માં થાય છે.---આમરસ ,આમ ની ઉત્પત્તિ,આમમેદ થી હૃદમાંસ પેશી માં ગ્રંથી-અપચી થાય છે******હૃદય ના અન્તઃપટલ ના શોથ ને કારણે કપાતીકાઓ માં વિકૃતિ થઇ તેની  કાર્ય ક્ષમતા ઓછી થાય છે; અને તેના કાર્ય ભાર વધતાં હૃદયની માંસપેશી નો વિસ્ફાર થાય છે.ક્યારેક આ અવસ્થા જન્મજાત પણ હોય છે.જે બલાકના આયુષ્ય નો નાશ કરે છે.---જરૂરી પોષણ આપતા મજ્જા-વસા ના અભાવે માંસ પટલ નો અપચય અને તેનાથી શોથ થાય તેના કારણે સાથે સાથે હૃદય માંસપેશી નો વિસ્ફાર થાય છે.----આમવાતજન્ય ઉગ્ર ઉપસર્ગ માં માંસપેશી માં શોથ થાય છે.તેના કારણો અન્તઃકલા શોથ જેવા જ છે.-----ધામની કાઠીન્ય ,સંકીર્ણતા અને ધમની શોથ ને કારણે માંસ પેશી માં અરક્તતા થઇ ને માંસપટલ નોઅતી અપચય થાય છે.તેનું કાર્ય;બીજી બાજુ વધ્યું જ હોય છે.તેનાથી ક્યારેક માંસપેશી નું  વિદારણ પણ થઇ શકે છે.તો ક્યારેક અભીઘાત ને કારણે પણ હૃદય માંસપેશી નું વિદારણ થઇ જાય છે.તો આ  હતા હૃદમાંસ પેશી વિકારો-રોગો. 
.

No comments:

Post a Comment