Wednesday, July 9, 2025
હૃદય રોગ અને મેદવૃદ્ધિ
***મેદ-વૃદ્ધિ ----આયુર્વેદ ની દૃષ્ટિ એ ખોરાક માં થી અગ્નીઓ ની મદદ થી સાતે ધાતુ નું તર્પણ અને નિયમન થાય છે.કોઈ પણ પ્રકાર નો અગ્નિ વિકૃત થાય કે બગડે તો તે ભૂત કે ધાતુ ની વૃદ્ધિ-- હ્રાસ થાય છે અને તેના પછી ની ધાતુઓ માં પણ સમ્યક ગુનોત્પત્તી થઇ શકાતી નથી.આમ શરીર માં જઠરાગ્ની મંદ પડે છે અને માંસ તથા મેદ ધાતુ ના અગ્નિ બગડે છે ;તદુપરાંત જળ અને પૃથ્વી ભૂત ના અગ્નિ વિકૃત થાયત્યારે શરીરમાં મેદ ધાતુ વધે છે.આ સુત્રો નું જ યાંત્રિક -તાંત્રિક પ્રત્યક્ષી કરણ આધુનીકોની મેદ ધાતુ ના ચયાપચય ક્રિયામાં જોવા મળે છે .મેદ વધારે તેવા કારણો (કફ વધારે તેવા કારણો )થી દુષિત રસ ધાતુ જયારે રક્ત સાથે ભળી ને ઉપ્વૃક્ક માં આવેલા સ્ત્રાવ સાથે ભળે છે અને ત્યાં મેદ ધાતુ નું ચયાપચય ને લગતું પાચન-વિઘટન થાય પણ આ અગ્નિ મંદ હોય તો મેદ વધે છે.મેદ અને કફ થી સ્ત્રોતાસો પુરાઈ ગયા હોય હોવાથી વાયું અંદર ઘેરાઈ ને રહેવાથી આમાશય સ્થિત અગ્નિ વધારે પ્રજ્વલિત દેખાય છે તેથી મેદસ્વી ને વારંવાર ખોટી ભૂખ લાગે છે.પણ આગળના સ્ત્રોતાસો માં અવરોધ હોવાથી મેદજ વધ્યા કરે છે.આ પ્રમાણે મેદસ્વી ને ભૂખ લગાવી તે સમ્યગ્ જઠરાગ્ની નું લક્ષણ નથી પણ વિકૃતિ છે.સમ્યગ્ અગ્નિ થી તો આહાર પછી તૃપ્તિ થવી જોઈએ.પણ મેદ-વૃદ્ધિ માં વારંવાર ભૂખ લાગે છે.અહીં પણ હાયાપોથેલેમસ ગ્રંથી બરાબર કામ કરતી નથી વારંવાર લીધેલો ખોરાક મેદ તો વધારે છે;તદુપરાંત કાચો રસ(આમ) પણ વધારે છે.જે હૃદય તથા બીજા અવયવો ને હાની કરે છે.જેમ મેદ વધારે તેમ તેને પોષણ આપવા માટે કેશ વાહિનીઓ પણ વધારે પ્રસરે છે.-ફેલાય છે.એક ઔંસ મેદ માં જે રક્ત વાહિની છે તેને એક્સીધી લાઈન માં ગોઠવવા માં આવે તો એક માઈલ જેટલી લંબાઈ થાય ;જેમ મેદ વધારે તેમ એટલા માઈલો સુધી રક્ત પહોચાડવા નું કામ આખરે તો હૃદય ને જ કરવાનું હોય છે.આથી તેના પર કાર્યભાર વધતો જાય છે.માંસ અને મેદ ધાતુ ના અગ્નિ મંદ અથવા વિકૃત હોવાથી તે ધાતુ વધતાં આગળની ધાતુ નું પોષણ પુરતું થતું નથી.અને ક્રમશઃ જીવન શક્તિ ઓછી થાય છે.આયુષ્ય મર્યાદા પણ ઓછી થાય છે.મેદ ધાતુ વધારે હોવાથી અપક્વ મેદ ધાતુ લોહી માં ફરે છે તેને જ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈ ગ્લીસરીઝ કહે છે. આગળ જતાં તેજ કફ-વાયુ નો સહારો લઇ ને સ્ત્રોતાસો નો રોધ કે ધમની કાઠીન્ય કરે છે.---- મેદસ્વી માતા-પિતા ના સંતાનો માં તેમના રંગ સુત્રો ના બંધારણ થી મેદસ્વીતા ઉતરી આવે છે. તેથી તો આયુર્વેદના આઠ પ્રકારના નિંદનીય પુરુષ માં મેદસ્વી ને ગણેલો છે. આગળ બતાવ્યું તેમ અગ્નીઓ ની દુર્બળતા કે વિકૃતિ થી એક ધાતુ ની વૃદ્ધિ થાય છે . ગળામાં આવેલી થાઇરોઇદ ગ્રંથી પણ શરીર ના ચયાપચય ઉપર સારો એવો કાબુ ધરાવે છે.આ અંતઃ સ્રાવીગ્રંથીઓ પણ શરીર ના ભૂતાગ્નીઓ જ છે. તેના હ્રાસ-વિકૃતિ થી પણ મેદ ધાતુ
આયુર્વેદ મુજબ હૃદય રોગને હૃદયરોગ (Hridayroga) તરીકે ઓળખવામાં આવે છે, અને તેનું નિદાન, સંપ્રાપ્તિ (રોગની ઉત્પત્તિ), લક્ષણો અને ચિકિત્સા નીચે મુજબ છે:
નિદાન (Diagnosis)
આયુર્વેદમાં હૃદય રોગના નિદાન માટે દર્દીની નાડી પરીક્ષણ (pulse diagnosis), જીહ્વા પરીક્ષણ (tongue examination), મળ-મૂત્ર પરીક્ષણ, અને સ્પર્શ પરીક્ષણ જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત, દર્દીના શારીરિક બંધારણ (પ્રકૃતિ), માનસિક સ્થિતિ, આહાર-વિહાર, વય, ઋતુ અને રોગના કારણોનું પણ વિગતવાર વિશ્લેષણ કરવામાં આવે છે. આયુર્વેદ ત્રિદોષ સિદ્ધાંત પર આધારિત છે, તેથી વાયુ, પિત્ત અને કફ દોષોની અસંતુલન અવસ્થાનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
સંપ્રાપ્તિ (Pathogenesis)
આયુર્વેદ અનુસાર, હૃદય રોગની સંપ્રાપ્તિ વિવિધ કારણોસર વાયુ, પિત્ત અને કફ દોષોના પ્રકોપથી થાય છે, જે હૃદયના કાર્યમાં અવરોધ ઊભો કરે છે.
* વાતજ હૃદય રોગ: અતિશય શુષ્ક, ઠંડા અને તીખા પદાર્થોનું સેવન, ઉજાગરા, શારીરિક અને માનસિક શ્રમ, ચિંતા, ભય વગેરેથી વાયુ પ્રકોપિત થાય છે. આ પ્રકોપિત વાયુ હૃદયના વાહિનીઓમાં (રક્તવાહિનીઓ) અવરોધ પેદા કરી શકે છે, જેનાથી હૃદયમાં દુખાવો થાય છે.
* પિત્તજ હૃદય રોગ: અતિશય ગરમ, તીખા, ખાટા અને ખારા પદાર્થોનું સેવન, ક્રોધ, અતિશય સૂર્યપ્રકાશમાં રહેવું વગેરેથી પિત્ત પ્રકોપિત થાય છે. આ પ્રકોપિત પિત્ત હૃદયમાં બળતરા, તીવ્ર દુખાવો અને શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે.
* કફજ હૃદય રોગ: અતિશય ઠંડા, ચીકણા, ભારે અને મીઠા પદાર્થોનું સેવન, ઓછી શારીરિક પ્રવૃત્તિ, દિવસની ઊંઘ વગેરેથી કફ પ્રકોપિત થાય છે. આ પ્રકોપિત કફ હૃદયની વાહિનીઓમાં અવરોધ ઉત્પન્ન કરી, રક્ત પ્રવાહને ધીમો પાડી શકે છે, જેનાથી છાતીમાં ભારેપણું અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
* સન્નિપાતજ હૃદય રોગ: ત્રણેય દોષો (વાત, પિત્ત, કફ) એકસાથે પ્રકોપિત થવાથી સન્નિપાતજ હૃદય રોગ થાય છે, જેના લક્ષણો મિશ્ર જોવા મળે છે.
* કૃમિજ હૃદય રોગ: કેટલાક કિસ્સાઓમાં કૃમિ (પેરાસાઈટ્સ) ને કારણે પણ હૃદય રોગ થઈ શકે છે.
રૂપ (લક્ષણો - Symptoms)
હૃદય રોગના સામાન્ય લક્ષણો દોષના આધારે અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ કેટલાક સામાન્ય લક્ષણો નીચે મુજબ છે:
* છાતીમાં દુખાવો (Angina): આ સૌથી સામાન્ય લક્ષણ છે, જે ભારેપણું, દબાણ અથવા તીવ્ર પીડાના રૂપમાં અનુભવી શકાય છે. આ દુખાવો હાથ, ગરદન, જડબા, કમર (પીઠ) અથવા પેટ સુધી ફેલાઈ શકે છે.
* શ્વાસ લેવામાં તકલીફ (Dyspnea): ખાસ કરીને શારીરિક પ્રવૃત્તિ પછી શ્વાસ ચઢવો.
* ધબકારા અનિયમિત થવા (Palpitations): હૃદયના ધબકારા ખૂબ ઝડપી, ધીમા અથવા અનિયમિત લાગવા.
* થાક અને નબળાઈ: સામાન્ય પ્રવૃત્તિઓ પછી પણ અતિશય થાક લાગવો.
* ચક્કર આવવા અથવા બેભાન થવું: મગજમાં ઓછા રક્ત પુરવઠાને કારણે થઈ શકે છે.
* પગ, પગની ઘૂંટી અથવા પેટમાં સોજો (Edema): શરીરમાં પ્રવાહી જમા થવાને કારણે.
* ઉબકા અને ઉલટી: કેટલાક કિસ્સાઓમાં જોવા મળે છે.
* ભૂખ ન લાગવી અને અપચો: ખાસ કરીને કફજ હૃદય રોગમાં.
* ત્વચાનો રંગ બદલવો: વાદળી રંગની ત્વચા (cyanosis) ગંભીર કિસ્સાઓમાં જોવા મળે છે.
ચિકિત્સા (Treatment)
આયુર્વેદિક ચિકિત્સામાં હૃદય રોગની સારવાર માટે દોષોને સંતુલિત કરવા, શરીરમાંથી વિષાક્ત પદાર્થોને દૂર કરવા અને હૃદયને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવે છે.
સામાન્ય સિદ્ધાંતો:
* નિદાન પરિવર્જન (Avoidance of Causative Factors): રોગના કારણભૂત આહાર-વિહાર અને જીવનશૈલીમાં સુધારો કરવો.
* પંચકર્મ (Detoxification Therapies): શારીરિક વિષાક્ત પદાર્થોને દૂર કરવા માટે વમન (emesis), વિરેચન (purgation), બસ્તિ (enema) જેવી પંચકર્મ ચિકિત્સા યોગ્ય નિષ્ણાતની દેખરેખ હેઠળ કરી શકાય છે.
* શમન ચિકિત્સા (Palliative Treatment): ઔષધો દ્વારા દોષોને શાંત કરવા અને હૃદયને બળ આપવું.
પ્રમુખ આયુર્વેદિક ઔષધો:
* અર્જુન છાલ: આયુર્વેદમાં હૃદય માટે અર્જુન (Terminalia arjuna) ને સર્વોત્તમ માનવામાં આવે છે. તે હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે, રક્તવાહિનીઓને સ્વચ્છ રાખે છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. અર્જુન ચૂર્ણ, અર્જુનારિષ્ટ, અર્જુનક્ષીરપાક વગેરેનો ઉપયોગ થાય છે.
* ગળો (Tinospora cordifolia): તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં મદદ કરે છે.
* આમળા (Emblica officinalis): વિટામિન સીથી ભરપૂર, તે એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો ધરાવે છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
* લસણ (Garlic): રક્તવાહિનીઓને સાફ કરવામાં અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ.
* અશ્વગંધા (Withania somnifera): તણાવ ઘટાડે છે અને હૃદયને શક્તિ આપે છે.
* શતાવરી (Asparagus racemosus): પિત્તને શાંત કરે છે અને સામાન્ય શક્તિ પ્રદાન કરે છે.
* પ્રાણઘાતક ઔષધો (Cardiotonic Herbs): અશ્વગંધા, શતાવરી, બલા, નાગબલા, પુનર્નવા, વગેરે.
* રસ ઔષધો: હૃદય રોગની ગંભીરતા અને દોષના આધારે નિષ્ણાત વૈદ્ય દ્વારા હૃદયાર્ણવ રસ, બૃહતવાતચિંતામણિ રસ, અકીક પિસ્તી, મુક્તા પિસ્તી જેવા રસ ઔષધો સૂચવવામાં આવે છે.
આહાર અને વિહાર:
* આહાર:
* હૃદય માટે હિતકારી આહાર: લઘુ (હળવો), સુપાચ્ય, તાજો, પૌષ્ટિક આહાર લેવો જોઈએ.
* ફળો અને શાકભાજી: મોસમી ફળો અને શાકભાજીનું પુષ્કળ સેવન કરવું.
* આખા અનાજ: ઓટ્સ, બાજરી, ઘઉં, બ્રાઉન રાઈસ વગેરેનો સમાવેશ કરો.
* દાળ અને કઠોળ: પ્રોટીન માટે દાળ, કઠોળનું સેવન કરવું.
* સ્વસ્થ ચરબી: ઘી (મર્યાદિત માત્રામાં), સિંગતેલ, સૂર્યમુખી તેલ, ઓલિવ તેલનો ઉપયોગ કરવો.
* દૂધ અને દહીં: મલાઈ વગરનું દૂધ અને દહીંનું સેવન કરવું.
* દૂર કરવાના પદાર્થો: તળેલા ખોરાક, અતિશય ચરબીયુક્ત ખોરાક, પ્રોસેસ્ડ ફૂડ, વધુ પડતું મીઠું, ખાંડ અને જંક ફૂડ ટાળો.
* વિહાર (જીવનશૈલી):
* નિયમિત વ્યાયામ: યોગ, પ્રાણાયામ અને હળવો વ્યાયામ કરવો.
* ધૂમ્રપાન અને મદ્યપાનનો ત્યાગ: આ હૃદય રોગના મુખ્ય કારણો છે.
* તણાવ વ્યવસ્થાપન: ધ્યાન, યોગ, પ્રાણાયામ, અને માનસિક શાંતિ જાળવવાના પ્રયત્નો કરવા.
* પર્યાપ્ત ઊંઘ: દરરોજ 7-8 કલાકની શાંતિપૂર્ણ ઊંઘ લેવી.
* વજન નિયંત્રણ: સ્વસ્થ વજન જાળવી રાખવું.
આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ વ્યક્તિગત હોય છે, તેથી કોઈપણ આયુર્વેદિક ઉપચાર શરૂ કરતા પહેલા અનુભવી અને યોગ્ય આયુર્વેદિક ચિકિત્સકની સલાહ લેવી અત્યંત આવશ્યક છે. તેઓ તમારી પ્રકૃતિ અને રોગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યોગ્ય નિદાન અને ચિકિત્સા સૂચવી શકે છે.
Wednesday, September 22, 2010
હૃદય રોગ અને આયુર્વેદ
હ્રુદ્રોગ---આયુર્વેદ માં હૃદય રોગ ની સંપ્રાપ્તિ બહુ સુંદર અને સરળ બતાવી છે.કુપિત થયેલા દોષો થી બગડેલી રસ ધાતુ હૃદય ની રસ-રક્ત વાહિની ને દુષિત કે અવરુદ્ધ કરી ને હૃદય રોગ કરે છે.આ નાની વ્યાખ્યામાં આધુનિક રોગ વિજ્ઞાન ના બધા જ રોગો આવી જાય છે.આયુર્વેદ માં હૃદય રોગ ના પાંચ પ્રકાર વર્ણવેલા છે. તેમાં બધુજ ગાગર માં સાગર ની જેમ ચિકિત્સા લક્ષી જ્ઞાન ભરી દીધું છે.આગળ કહ્યા પ્રમાણે વિકૃત થયેલી રક્ત વાહિની માં વિકૃત થયેલું રક્ત આશ્રય કરીને હૃદયનું સ્થાનિક રક્ત પરિભ્રમણ માં વિક્ષપ્તી ઉભી કરીને હૃદય રોગ કરે છે.આયુર્વેદ માં ના હૃદય રોગ અને આધુનિકો ના રોગો ને સાથે જ વિચારીશું .માંસપેશી અરક્તતા :--ધમની કાઠીન્ય એ આરોગમાં પાયા નું નિદાન છે.તેમાં ધમની નું અંદર- બહાર થી સખત ,રુક્ષ,બરડ અને સંકીર્ણ થાય છે.તેથી રસ-રક્ત વાહિની માં વાયુ વગેર થી દુષીત રસ -રક્ત માં સ્કંદન કે દોષો થી આવૃત્ત બુદબુદ સ્ત્રોતોરોધ કરે છે;અને તેને લઇ ને હૃદય ની માંસપેશી માં રક્ત પરિભ્રમણ પુરતું થતું નથી એટલે જે તે ભાગ માં અરક્તતા થઇ હોય તે ભાગ નો કાર્ય હ્રાસ થાય છે.વાતાદી ત્રણેય દોષો નો પ્રકોપ સાથે થાય છે.આ આયુર્વેદ માં વર્ણવેલા વાતાધીક્ય - કફજ હ્રુદ્રોગ માં તેની ગણના થઇ શકે.તેમાં ર્હુદ્શૂલ,ભ્રમ,કલમ,અરુચિ,સ્વેદાધીક્ય,અને વામબાહુ માં વેદના અને સુન્યતા ખાસ જોવા મળે છે.ઘણી વખતે વાંતિ-વમન અને ઉદર ની નાભિ માં ની શીરા-ધમની માં રક્ત પુરતા પ્રમાણ માં ન મળતા ત્યાં પણ તીવ્ર શુલ-વેદના જોવા મળે છે.આ અવસ્થા જીર્ણ થતાં એટલે કે થોડા કલાકો માં ચિકિત્સા ન મળતા આખા શરીર માં શીરા વિસ્ફાર થઇ અતિ પ્રસ્વેદ થઇ ને આખું શરીર ઠંડુ પાડવા માંડે છે.કવચિત રુગ્ણ મૂર્છા-સન્યાસ ગ્રસ્ત થઇ જાય છે.અહીં વૈદ્યે ખુબ કુશળતા પૂર્વક કામ કરીને જેમ પાણી માં પડેલા માટી ના ટુકડાને ઓગળતા પહેલા કાઢી લઈએ તેમ રુગ્ણ ને મૂર્છા-સન્યાસ થી બચાવી લઇ રુદય રોગ ની ચિકિત્સા આરંભવાનું શાસ્ત્રકાર ઉપદેશે છે. અહીં ક્યારેક રક્ત સ્કંદન એકજ દોષ એટલેકે કફ થી થાય તો હ્રુદ ગૌરવ,અતિ અગ્નીમાંન્દ્ય -અરુચિ,પ્રસ્વેદ વગર જ શરીર માં શીતતા ,લાલાસ્ત્રાવ અને મોં માં ક્ષારીય અથવા મધુરતા લાગે છે.સ્વાસકૃચ્છતા, ઉદગાર,વમન-વાંતિ અને ઘણા ઓછા પ્રમાણ માં હ્રુદ્શૂલ થાય છે.આ રોગ માં પણ ધીમે ધીમે હ્રુદ્સાદ,હ્રુદ્દ્રવતા અને સન્યાસ જોવા મળે છે.મોટે ભાગે હ્રુદરોગ ના હુમલા માં ત્રણેય દોષો નો પ્રકોપ થાય છે જ છતાં આયુર્વેદ ના માટે માત્ર પિત્ત ના વૈગુણ થી જ રસ રક્ત વિકૃત થતાં સ્ત્રોતોરોધ થાય છે તેમાં હ્રુદ્શુલ ,હ્રૂદ્દાહ,હ્રુદ્સાદ, અતીપ્રસ્વેદ અને હ્રુદતીવ્રતા ખાસજોવા મળે છે.આયુર્વેદ માં વિષજ અને કૃમીજ હ્રુદ રોગ નું વર્ણન છે. વિષજ હ્રુદ્રોગ તો વિષપાન કે વિષ જેવાગુણ ધરાવતા દ્રવ્ય સેવનથી જે તે વિષ ના સ્વભાવ પ્રમાણે હૃદય ને આક્રાંત કરે છે.અને રુગ્ણ ને મરણ તરફ લઇ જાય છે.કૃમીજ હ્રુદ રોગ ખાસ વિચારણા માગી લે તેવો રૂગ છે.હૃદય ની અન્તઃકલા શોથ તો એક પહેલા જણાવ્યા પ્રમાણે જુદો જ રોગ છે.અહીં કૃમિ નો ઉલ્લેખ કરી ને આચાર્ય અતિ અગ્નીમાંન્દ્ય ,અતિ વધારે પ્રમાણમાં વીરુધ્ધ આહાર-વિહારના સાતત્ય નો ઉલ્લેખ કરી ને તેનાથી કૃમિ ઉત્પન્ન થાય છે. અને હૃદય નો આશ્રય લઇ હૃદય ને પચપચુ કરી નાખે છે.અને કફજ હ્રુદ્રોગ જેવા બધા લક્ષણ વધારે પ્રમાણ માં જોવા મળે છે. આયુર્વેદ ના આધાર ભૂત ગ્રંથો માં હૃદય રોગ આ પ્રમાણે વર્ણવ્યો છે. વાતજ હૃદય રોગ:----વાયુ થી વેદના એ સિધ્ધાંત પ્રમાણે વાતજ હૃદય રોગ માં અનેક પ્રકારની વેદના થાય છે.જાણે ખેંચાતું હોય,સોયા ભોંકવા ,રવૈયા થી વલોવાતું હોય,તથા જાણે હૃદય ચીરી ને બે ભાગ થતા હોય તેવી વેદના થાય છે.તદ ઉપરાંત હૃદય વિધાતું હોય તથા તેમાં છિદ્ર પડ્યા હોય ,કુહાડા થી ચીરાતું હોય તેવી વેદના અનુભવાય છે.(૨)પીત્તાજ હૃદર ય રોગ:----પીત્તજ રોગ માં રોગી ને તરસ ખુબ લાગે છે,ગરમી લાગે છે,ને બળતરા થાય છે.રોગી નું હૃદય ચુસાતું હોય તેવી વેદના થાય છે.હૃદય સુસ્ત અને થાકેલ જેવું બને છે.હૃદયમાં થી ધુમાડા નીકળ્યા જેવો ભાસ થાય છે.મૂર્છા આવે છે.પરસેવો ખુબ થાય છે અને મોં સુકાય છે. (૩)કફજ હૃદય રોગ :----હૃદય જયારે કુપિત કફ થી આક્રાંત થાય છે ત્યારે હૃદય તથા આજુ બાજુ નો ભાગ ભારે લાગે છે.મોં માં થી કફ નીકળે છે.અન્ન ઉપર અરુચિ થાય છે.હૃદય જકડાઈ ગયું હોય તેવું લાગે છે.જઠરઅગ્નિ મંદ પડે છે.અને મોં માં મધુર અથવા ક્ષારીય સ્વાદ રહે છે.(૪) ત્રિદોષજ હૃદય રોગ:---આ હૃદય રોગ માં ઉપર બતાવેલા બધાજ લક્ષણો જોવા મળે છે.એમાં રોગીને છાતી માં તીવ્ર પીડા થાય છે.તથા સોયા ઘોચતા હોય તેવી વેદના થાય છે.(૫)કૃમીજ હૃદય રોગ :---આ રોગ માં હૃદય માં ચળ આવે છે.ઉબકા-ઉલટી થાય છે,વારંવાર વધારે પદ્તાતો લાલાસ્ત્રાવ થાય છે.સોયા ઘોંચતા હોય તેવી પીડા થાય છેશૂળ ફૂટે છે અને બેચેની જણાય છે.આંખે અંધારા આવે છે. અન્ન પર અભાવો થાય છે.આંખો કાળી થઇ જાય છે તથા સોજા આવે છે .
Friday, August 6, 2010
હ્રુદ્રોગ -ધમની ગત તીવ્ર અવરોધ
*****તીવ્ર ધમની ગત અવરોધ:---હૃદય રોગ ના નિદાનો માં તથા સંપ્રાપ્તિ માં જોઈ ગયા તેમ આમ,ક્લેદ,દુષિત દોષો ધમની ના રક્ત પરિભ્રમણ ને અટકાવે છે,અને જે તે ધમની તેનાથી આક્રાંત થાય તે ધમની ના કાર્ય નો હ્રાસકરે છે.એના લક્ષણો નો આધાર કઈ મુખ્ય ધમની માં અવરોધ થયો છે તેના પર છે.શાખાગત અવરોધ હોય તો જે તે હાથ-પગ ના કાર્ય હ્રાસ ,વેદના,સુન્યતા,ઝણઝણાટી તથા ઠંડા પડી જવું વગેરે.જોવા મળે છે.તે અવયવો ફીકા પડી જાયછે પ્રેરક તથા જ્ઞાનવાહી તંત્રિકા ઓ માં પરિવર્તન આવી જાય છે જે તે સ્થાન ની શીરા ઓ માં કાર્ય નાશ થઇ ને અવરોધ જ્યાં થયો હોય ત્યાં થી નજીક ની ધમની માં સ્પંદન ધીમું નહીવત થાય છે.-કે જોવા મળતું નથી. અન્ય સ્થળો થી ધમની માં અવરોધ ને કારણે પ્રમસ્તિષ્ક વાહિકા રોધ તે થી મસ્તિષ્ક કાર્ય અવરોધ -કાર્યસાદ બંને થઇ શકે છે.આંતરિક અરક્તતા તથા કોથ અને વૃક્ક અથવા પ્લીહા માં રોધગલનથાય છે.ધમનીગત અંતઃ શલ્યતા: ---આ પણ વાયુ નો જ તીવ્ર ઉપદ્રવ છે.દુષિત-પ્રકોપિત થયેલો વાયુ રસ-રક્ત વાહિનીઓ ને આક્રાંત કરી ને જ તેના કાર્ય નો નાશ કરે છે.અહીં વાયુ પ્રકોપ ના કારણે ધમની ના રક્ત માં વાયુ ના બુદબુદ થઇ ને રક્ત પરિભ્રમણ માં વિક્ષેપ નાખે છે.આવા સંજોગો માટે આમ્વાતિક હ્રુદ્રોગ વાળા દર્દી માં વધારે જોવા મળે છે.અને ધમની કાઠીન્ય થી થતા ધમની રોધ ને લઇ ને અરક્તતા થી થતા માંસ પેશી માં રોધગલન ની અને આલિંદ અનુકંપન પણ જોવા મળે છે.હાથ -પગ ની ધમનીમાં અવરોધ ની માફક જ વાયુ જનીત અંતઃ શલ્યતા માં પણ લક્ષણો જોવા મળે છે ******તીવ્ર ધમની ગત ઘનાસ્ત્રતા :---હૃદય એ પ્રાણ વાયુ નું સ્થાન છે આગળ કહ્યા પ્રમાણે વાયુની દુષ્ટિ ના કારણે રક્ત ધાતુ ની ચક્રિકાઓ નો જથ્થો એક જાગે ભેગો થઇ રક્ત-સ્કંદન કરી ને રક્ત પરિભ્રમણ માં અંતરાય ઉભો કરે છે. અને જે તે અવયવ માં અરક્તતા થઇ હૃદય વગેરે અવયવો નો કાર્ય હ્રાસ અને નાશ કરે છે. વાથી રક્ત સ્કંદન થાય છે.વિકૃત ધમનીઓ માં રક્ત સ્કંદન મોટા ભાગે ન્યૂન રક્ત ચાપ અથવા હ્રુદસાદ ને લીધે થાય.ઘણી વખત ગાળા ની પાંસળીઓ ને કારણે ઉપરના ભાગ ની ધમની માં અવરોધ થઇ જાય ચી.અને મસ્તિષ્ક તથા હૃદય ના કાર્ય નો નાશ થાય છે. ક્યારેક બહુલોહિત કોશિકાઓ ને લીધે પણ ધમની માં અવરોધ થાય છે.તો ક્યારેક કોઈ પણ રોગ માં ઝાડા-ઉલટી થી માંડી ને જલોદર જેવા રોગો માં અબધાતુ નો નાશ કે એકજ જગાએ સંચય થવાથી રક્ત સ્કંદન થાય છે.
Sunday, July 11, 2010
હ્રુદ્રોગ-ધમની કાઠિન્ય
ધમની કાઠીન્ય------વાત કારક આહાર-- વિહાર ના સેવન થી અને વહીકાઓ ને જોઈતા પોષણ ના અભાવ થી ધમની માં કાઠીન્ય આવે છે તેમાં અંતઃ સ્તર અને મધ્ય સ્તર મુખ્યત્વે ક્ષતિ થાય છે તેના બે પ્રકાર છે.(૧) મહા ધામની નું કાઠીન્ય તથા તેમાં થીનીકળતી મુખ્ય ધમની ની શાખાઓ માં ક્ષતિ જવા મળે છે. તથા (૨) પરિધિ ગત ધમની કાઠીન્ય--તેમાં ચામડી અને મેદોધરા કલા ની નીચે ધમની માં કાઠીન્ય જોવા મળે છે. --તેમાં પણ અંતઃ સ્તર રુક્ષ ,કાઠીન્ય જોવા મળે છે.---તેમાં પછી અંતઃ સ્તર રુક્ષ,કથીન્ય યુક્ત ક્ષતિ વાળું થાય છે.તેમાં મેળ-વસાના ચયાપચય નાં વિકાર ના કારણે થાય છે ,અને તેની વિકૃતિ કારક કણો અંતઃ સ્તર પર જમાં થતાં ધમની ની અંદર ની દીવાલ તેની યોગ્ય મૃદુતા અને સ્થિતિસ્થાપકતા ગુમાવે છે. તેના કારણો માં વય,લિંગ,રક્તચાપ,અતિ મેદસ્વીતા,વારસાગત વૈગુન્ય,વધારે પડતો અયોગ્ય આહાર-વિહાર .મદ્ય સેવન તથા આયુર્વેદ ના આરોગ્ય ને સાચવવા માટે ની દિનચર્યા- રૂતુંચર્યા નો અયોગ તથા આહાર-વિહાર માટેના નિયમો નો ભંગ કરવો.વગરે છે. માંસ ધાતુ માં થી મેદ ધાતુ માં પરિણામ થાય છે,તેના અગ્નિ- માન્દ્ય ની કાચા રહી ગયેલા અણુઓ વૈગુન્ય વાળા મેદ -વસા નું નિર્માણ કરે છે,અને તે સ્વભાવે ગુરુ હોવાથી વિકૃત થયેલી -ક્ષતિ પામેલી ધમની ની અંતઃ કળા માં જામ વાનું શરુ થાય છે.તે પીત્તાભ રેખા રૂપે મહા ધમની માં દેખાય છે . *****પરિઘીગત ધમની કાથીન્ય:--તેના બે પ્રકાર છે,મધ્યવર્તી કાથીન્ય --તેમાં ધમની નું મધ્ય સ્તર માં અનેક વાત વિકાર થઇ ને વસીય વિકૃતિ તથા સુધા દ્રવ્ય ના સંચય ને કારણે કાઠિન્ય થાય છે ત્યારે અંતઃસ્તરપણ સ્થૂળ થાય છે.આ સમ્પ્રપ્તીવાય-જરા ને લગતી છે,૫૫-૬૦ પછી ની ઉંમર માં ખાસ જોવા મળે છે. આ ઉંમરે ધમનીઓ ખાસ કરી ને વાત પ્રકોપ થી દુષિત થઇ કાઠિન્ય નું રૂપ લે છે.એનો સીધો સંબંધ મધૂમેહ સાથે છે.આવી અવસ્થા માં રક્તચાપ વધેલો દેખાય છે.આ વિકાર માં પ્રગંડ ધમની બહુ ઓછી વિકૃત થાય છે. આ માં પણ રક્ત ચાપ વધારે રહે છે.*****વિસરિત-અતિવિકસિત કાઠિન્ય---અહીં પણ વાયુના અતિપ્રકોપ થી નાની ધમનીઓ તેની પ્રશાખા અને ધમની-શીરા ના મળવાની જગાએ જે જાળા જેવી રચના થાય છે,ત્યાં વિસ્ફાર-વિકાર અને કાઠિન્ય થાય છે.તે માં તંતુ- મયતા -ધમની કાઠિન્ય થાય છે.ધમનીના અંતઃસ્તર માં કાચાભ અપવિકાસ થઇ ને વૃક્ક,પ્લીહા.યકૃત,મસ્તિષ્ક,અગ્ન્યાશય તથા ઉપ્વૃક્ક વગેરે માં આ ઘટના તેમના કર્યો માં ઘણી મંદતા લાવે છે.તેમની ક્ષમતા ઘટે છે.તેની કેશવાહીની માં અન્તઃકલા શોથ થાય છે.અને તેના અપવિકાસ-અપચય થાય છે.યુવા વ્યક્તિઓ માં તંતુમય હ્રુદ્પેશી શોથ તથા જીર્ણ વૃક્કાશોથ થાય છે.બાળકો માં વૃક્ક વિકાર થાય છે.વયસ્કો માં ઉપર બતાવેલા અવયવો નો કર્મસાદ-દૌર્બલ્ય થાય છે.
***********લોપક અંતઃધમની શોથ :----અહીં હાથ પગ ની ધમની નાની ધમનીઓ માં સાંકડાપણું થાય છે.અતિ વાત પ્રકોપ ને કારણે ધમની ની અન્તઃકલા ની કોશિકાઓ નું પ્રફલન થાય છે.તેથી હાથ-પગની આંગળીઓમાં વ્રનોત્પત્તી અને કોથ થાય છે.આવી અવસ્થા ફીરંગ અને ક્ષય માં જોવા મળે છે.તેમાં હાથ-પગની ધમની નું રક્ત સંવહન સ્વાભાવિક રહે છે. પણ તેના લીધે હાથ-પગ ના આંગળી-અંગુઠા ની ધમની આક્રાંત થાય છે.ત્યારે તેમાં પ્રધમન અનુભવી શકાય છે.અહીં પગ કરતાં હાથ ની ધમની વધારે વિક્ષિપ્ત થાય છે....આગળ બતાવ્યું એમ આનાં કારણો માં વય,વ્યવસાય,આહાર-વિહાર અને અનુવાંશિક કારણો છે.તે છતાં આયુર્વેદ ના સિદ્ધાંતો પ્રમાણે વાયુ નો પ્રબળ પ્રકોપ છે.તેના ઉપદ્રવો રક્તચાપ વૃદ્ધિ ,હૃદય વૃદ્ધિ થાય છે.વિસરિત અતિવિકસિત કાથીન્યમાં બહિર્પ્રકોષ્ટિ ધમની દોરી જેવી કડક-સખત થઇ જાય છે.હાથ,પગ,ચહેરા ની ધમનીઓ માં પણ આવી વિકૃતિ જોવા મળે છે.દ્રષ્ટિપટલ ની ધમની માં કાઠીન્ય કાઠીન્ય થતાં દ્રષ્ટિમાન્દ્ય થાય છે.મસ્તિસ્ક માં જતી ધમની માં કાઠીન્ય થતાં ત્યાંનું રક્ત પરિભ્રમણ સમ્યક ન થવાથી મનોસાદ ,સ્મૃતિનાશ,એકાગ્રતા ની ઉણપ ,અનિદ્રા,તો ક્યારેક ભ્રમ-ચક્કર જેવા લક્ષણો જોવા મળે છે.તેના તીવ્ર લક્ષણો માં ક્ષણિક સંજ્ઞાનાશ વાચાઘાતઅથવા અપસ્માર જેવી ખેંચ આવે છે.તો કોઈક માં કંપવાત તો ક્યારેક માંસ પેશી માં જડતા થતાં તેનાપર નું નિયંત્રણ જતું રહે છે.વગેરે જોવા મળે છે.ધમની-હૃદય પર પણ એવા જ લક્ષણો પેદા કરે છે.હૃદય માં અને હૃદય ને પોષણ આપનારી ધમની ગ્રસ્ત થતાં ત્યાં નું રક્ત સંવહન નબળું પડે છે.અને માંસ પેશી માં અપચય, હ્રુદ્શુલ, રક્તસ્કંદન, રક્તાવરોધ તો ક્યારેક ધમની વિદાર પણ જોવા મળે છે.વૃક્ક માં જતી ધમની માં કાઠીન્ય વગેરે દોષો થતાં તેના કાર્ય માં મંદતા આવે છે.જીર્ણ વૃક્કશોથ થાય છે. મૂત્રાશય ની ધમની માં કાઠીન્ય ને લીધે કવચિત વિદાર થતાં રક્તમૂત્રતા થાય છે.હાથ-પગની ધમની માં કાઠીન્ય થતાં સવિરામી ખંજતા આવેછે.રોગી થોડું પણ ચાલવા માંદુર્બળતા અનુભવે છે.પગ માં તોડ-ભેદ-વેદના જોવા મળે છે
***********લોપક અંતઃધમની શોથ :----અહીં હાથ પગ ની ધમની નાની ધમનીઓ માં સાંકડાપણું થાય છે.અતિ વાત પ્રકોપ ને કારણે ધમની ની અન્તઃકલા ની કોશિકાઓ નું પ્રફલન થાય છે.તેથી હાથ-પગની આંગળીઓમાં વ્રનોત્પત્તી અને કોથ થાય છે.આવી અવસ્થા ફીરંગ અને ક્ષય માં જોવા મળે છે.તેમાં હાથ-પગની ધમની નું રક્ત સંવહન સ્વાભાવિક રહે છે. પણ તેના લીધે હાથ-પગ ના આંગળી-અંગુઠા ની ધમની આક્રાંત થાય છે.ત્યારે તેમાં પ્રધમન અનુભવી શકાય છે.અહીં પગ કરતાં હાથ ની ધમની વધારે વિક્ષિપ્ત થાય છે....આગળ બતાવ્યું એમ આનાં કારણો માં વય,વ્યવસાય,આહાર-વિહાર અને અનુવાંશિક કારણો છે.તે છતાં આયુર્વેદ ના સિદ્ધાંતો પ્રમાણે વાયુ નો પ્રબળ પ્રકોપ છે.તેના ઉપદ્રવો રક્તચાપ વૃદ્ધિ ,હૃદય વૃદ્ધિ થાય છે.વિસરિત અતિવિકસિત કાથીન્યમાં બહિર્પ્રકોષ્ટિ ધમની દોરી જેવી કડક-સખત થઇ જાય છે.હાથ,પગ,ચહેરા ની ધમનીઓ માં પણ આવી વિકૃતિ જોવા મળે છે.દ્રષ્ટિપટલ ની ધમની માં કાઠીન્ય કાઠીન્ય થતાં દ્રષ્ટિમાન્દ્ય થાય છે.મસ્તિસ્ક માં જતી ધમની માં કાઠીન્ય થતાં ત્યાંનું રક્ત પરિભ્રમણ સમ્યક ન થવાથી મનોસાદ ,સ્મૃતિનાશ,એકાગ્રતા ની ઉણપ ,અનિદ્રા,તો ક્યારેક ભ્રમ-ચક્કર જેવા લક્ષણો જોવા મળે છે.તેના તીવ્ર લક્ષણો માં ક્ષણિક સંજ્ઞાનાશ વાચાઘાતઅથવા અપસ્માર જેવી ખેંચ આવે છે.તો કોઈક માં કંપવાત તો ક્યારેક માંસ પેશી માં જડતા થતાં તેનાપર નું નિયંત્રણ જતું રહે છે.વગેરે જોવા મળે છે.ધમની-હૃદય પર પણ એવા જ લક્ષણો પેદા કરે છે.હૃદય માં અને હૃદય ને પોષણ આપનારી ધમની ગ્રસ્ત થતાં ત્યાં નું રક્ત સંવહન નબળું પડે છે.અને માંસ પેશી માં અપચય, હ્રુદ્શુલ, રક્તસ્કંદન, રક્તાવરોધ તો ક્યારેક ધમની વિદાર પણ જોવા મળે છે.વૃક્ક માં જતી ધમની માં કાઠીન્ય વગેરે દોષો થતાં તેના કાર્ય માં મંદતા આવે છે.જીર્ણ વૃક્કશોથ થાય છે. મૂત્રાશય ની ધમની માં કાઠીન્ય ને લીધે કવચિત વિદાર થતાં રક્તમૂત્રતા થાય છે.હાથ-પગની ધમની માં કાઠીન્ય થતાં સવિરામી ખંજતા આવેછે.રોગી થોડું પણ ચાલવા માંદુર્બળતા અનુભવે છે.પગ માં તોડ-ભેદ-વેદના જોવા મળે છે
Sunday, April 4, 2010
હ્રુદ્રોગ -શીરા વિકૃતિ
*****શીરા વિકૃતિ વિજ્ઞાન :--- ધમનીના દોષ વિકૃતિ જોઈ; તેજ રીતે અશુદ્ધ લોહી ને હૃદય સુધી પહોંચાડનાર શીરા ની વિકૃતિ જોઈએ .બંને રક્તવાહિકા
જ છે તેના ભેદ પણ એ આધારે જ કરાય છે કે ધમની માં રક્ત સ્કંદન,ઘનાસ્ત્રતા તથા રક્તસ્ત્રાવ કેવી રીતે થાય છે ? જયારે શીરા માં ફક્ત શોથ જ દેખાય છે.તે બે પ્રકારના છે (૧)પાક-પૂય યુક્ત અને (૨) સાધારણ-અપૂય .વિશાણું
અને જીવાણું
ને લઇ ને થતા રોગો ના ઉપસર્ગ થી શીરા માં શોથ આવે છે. જે શીરા જીવાણું વાળી વિદ્રધી માં થી પસાર થાય છે તેમાં શોથ અને પૂય થવાની પ્રકૃતિ વધારે પ્રમાણ માં થાય છે.આમાં અંદર નું પળ શ્વેત કણો થી આક્રાંત થઇ ને ત્યાં ઘનાસ્ત્રતા (થ્રોમ્બોસીસ ) ની ઉત્પત્તિ થાય છે. આ પ્રકાર ની શીરાગત વિકૃતિ ને ઘનાસ્ત્ર શીરા શોથ કહે છે.તેના ઘનાસ્ત્ર અપૂય અને મૃદુ હોય છે.તેની વિઘટના ના થી અંતઃ શલ્ય (એમ્બોલસ) બનાવે છે. તેના થી શીરાનો પ્રવાહ જ અટકી જાય છે.તેના થી વહીકા ના મુખ ને બંધ કરી દે છે.--તેના મુખ્ય ઉદાહરણ-મધ્ય કર્ણ શોથ ,મુખ પર ની શીરા ,અર્શ,આંત્રપૂચ્છ શોથ ,અને પગ ની શીરા માં શોથ માં વ્રણ વગેરે પણ થઇ ને કોથ વગેરે રોગો થાય છે.-----બીજો પ્રકાર -અપૂય શીરા શોથ ;જયારે કોઈ ઘનાસ્ત્રતા ને લઇ ને શીરા બંધ હોય છે.ત્યારે સાથે સાથે અપૂય શીરા શોથ ની ઉત્પત્તિ થાય છે.તેન ઉપસર્ગ (ચેપ) ના
અભાવે ઘનાસ્ત્રતા ની ઉપર કોશિકાઓ તાન્તીપ્રભ તથા ઉતકીયતંતુ (ફાઈબ્રસ******ચલ ઘનાસ્ત્રતા શીરા શોથ ---વાત પ્રકોપક કારણો ને લઇ ને શીરા માં વારંવાર રક્ત સ્કંદન થઇ ને શીરા રોધ અને શોથ કહે છે..આ માં આખા શરીર ની શીરા જુદા જુદા વિભાગો માં વહેચાઈ ને વિક્ષિપ્ત થઇ જાય છે એમાં ફરી થી સંક્રમણ થતાં; છ થી બાર મહિના માં આવી સંપ્રાપ્તિ થી કોઈ પણ વયે આરોગ થઇ શકે છે. જ્ઞાનતંતુ ની વિકૃતિ આવે છે.*****શીરા કાથીન્ય----અથવા શીરા તંતુ મયતા----આ સામાન્ય અવસ્થા નથી.તે મોટા ભાગે મોડા ઓળખાય છે.વાયુ ના અતિ પ્રકોપ થી થનારો આ રોગ છે. ધમની કથીન્ય નીજેમ જ અહીં પણ વિકૃતિ થાય છે.પણ તેનો સીધો સંબંધ ખાસ કરી ને નથી.કેમ કે તે શરુઆત થી જ ખબર પડી જાય છે.તે ખાસ કરી ને યુવા વય એટલે કે ૨૦ થી ૩૦ ની ઉંમર ના લોકો માં જોવા મળેછે.તેના કારણો માં ખાસ કરી ને જરૂરી વસા ની ઉણપ અથવા સુધા દ્રવ્યો નું એક જગા એ એકઠું થવું ,છે.તેના થી રક્ત ચાપ વધતો નથી ,ખાસ કરી ને પગ ની શીરો દોરડી જેવી જાડી ,બરછટ થઇ જાય આમાં જયારે અંદર ની શીરા માં આ ઘટના બને છે ત્યારે તેમાં શોથ આવે છે.સમયાંતરે તેની ધાતુ ક્ષીણતા થઇ તે શીરા માં સંકીર્ણતા થાય છે.ધામની ની માંફક્તેના પણ અંતઃ સ્તર માં કાચ જેવી રચના(હાયેલીન)થાય છે અને અંતઃ કળા સ્તર નષ્ટ થઇ જાય છે રક્ત રોધ અને કોથ થાય છે. ટીસ્યુ ) નૃપ માં સંગઠિત થાય છે ઘનાસ્ત્ર (થ્રોમ્બસ)ની ઉત્પત્તિ થી શીરા માં શોથ રૂપી પ્રતિ ક્રિયા જોવા મળે છે. *******અપ્સ્ફિત શીરા (વેરીકોઝ વેઇન)-----વાત પ્રકોપ ને લઇ ને શીરા માં અંતઃ તથા મધ્ય સ્તર માં કથીન્ય,રુક્ષતા અને વિસ્ફારિત થઇ જાય છે ;ત્યારે તેમાં કુટિલતા આવે તે મુખ્યત્વે આમાશય માં અર્શ રૂપે ,વૃષણ માં જાળાસ્વરૂપે કથીન્ય અને પગ માં જોવા મળે છે.તેના કારણો માં મુખ્યત્વે શીરા ની કપાતીકા માં જન્મજાત દુર્બળતા છે.--તેનાથી શીરાગત કેન્દ્રીય શોથ થાય છે .જેથી કરી ને દ્વીક્પર્દી (માઈટ્રલ વાલ્વ સ્તેનોસીસ) વાતસ્ફીતી(એમ્ફીસીમા )યકૃત કોથ-વિદ્રધી મુખ્ય છે.
જ છે તેના ભેદ પણ એ આધારે જ કરાય છે કે ધમની માં રક્ત સ્કંદન,ઘનાસ્ત્રતા તથા રક્તસ્ત્રાવ કેવી રીતે થાય છે ? જયારે શીરા માં ફક્ત શોથ જ દેખાય છે.તે બે પ્રકારના છે (૧)પાક-પૂય યુક્ત અને (૨) સાધારણ-અપૂય .વિશાણું
અને જીવાણું
ને લઇ ને થતા રોગો ના ઉપસર્ગ થી શીરા માં શોથ આવે છે. જે શીરા જીવાણું વાળી વિદ્રધી માં થી પસાર થાય છે તેમાં શોથ અને પૂય થવાની પ્રકૃતિ વધારે પ્રમાણ માં થાય છે.આમાં અંદર નું પળ શ્વેત કણો થી આક્રાંત થઇ ને ત્યાં ઘનાસ્ત્રતા (થ્રોમ્બોસીસ ) ની ઉત્પત્તિ થાય છે. આ પ્રકાર ની શીરાગત વિકૃતિ ને ઘનાસ્ત્ર શીરા શોથ કહે છે.તેના ઘનાસ્ત્ર અપૂય અને મૃદુ હોય છે.તેની વિઘટના ના થી અંતઃ શલ્ય (એમ્બોલસ) બનાવે છે. તેના થી શીરાનો પ્રવાહ જ અટકી જાય છે.તેના થી વહીકા ના મુખ ને બંધ કરી દે છે.--તેના મુખ્ય ઉદાહરણ-મધ્ય કર્ણ શોથ ,મુખ પર ની શીરા ,અર્શ,આંત્રપૂચ્છ શોથ ,અને પગ ની શીરા માં શોથ માં વ્રણ વગેરે પણ થઇ ને કોથ વગેરે રોગો થાય છે.-----બીજો પ્રકાર -અપૂય શીરા શોથ ;જયારે કોઈ ઘનાસ્ત્રતા ને લઇ ને શીરા બંધ હોય છે.ત્યારે સાથે સાથે અપૂય શીરા શોથ ની ઉત્પત્તિ થાય છે.તેન ઉપસર્ગ (ચેપ) ના
અભાવે ઘનાસ્ત્રતા ની ઉપર કોશિકાઓ તાન્તીપ્રભ તથા ઉતકીયતંતુ (ફાઈબ્રસ******ચલ ઘનાસ્ત્રતા શીરા શોથ ---વાત પ્રકોપક કારણો ને લઇ ને શીરા માં વારંવાર રક્ત સ્કંદન થઇ ને શીરા રોધ અને શોથ કહે છે..આ માં આખા શરીર ની શીરા જુદા જુદા વિભાગો માં વહેચાઈ ને વિક્ષિપ્ત થઇ જાય છે એમાં ફરી થી સંક્રમણ થતાં; છ થી બાર મહિના માં આવી સંપ્રાપ્તિ થી કોઈ પણ વયે આરોગ થઇ શકે છે. જ્ઞાનતંતુ ની વિકૃતિ આવે છે.*****શીરા કાથીન્ય----અથવા શીરા તંતુ મયતા----આ સામાન્ય અવસ્થા નથી.તે મોટા ભાગે મોડા ઓળખાય છે.વાયુ ના અતિ પ્રકોપ થી થનારો આ રોગ છે. ધમની કથીન્ય નીજેમ જ અહીં પણ વિકૃતિ થાય છે.પણ તેનો સીધો સંબંધ ખાસ કરી ને નથી.કેમ કે તે શરુઆત થી જ ખબર પડી જાય છે.તે ખાસ કરી ને યુવા વય એટલે કે ૨૦ થી ૩૦ ની ઉંમર ના લોકો માં જોવા મળેછે.તેના કારણો માં ખાસ કરી ને જરૂરી વસા ની ઉણપ અથવા સુધા દ્રવ્યો નું એક જગા એ એકઠું થવું ,છે.તેના થી રક્ત ચાપ વધતો નથી ,ખાસ કરી ને પગ ની શીરો દોરડી જેવી જાડી ,બરછટ થઇ જાય આમાં જયારે અંદર ની શીરા માં આ ઘટના બને છે ત્યારે તેમાં શોથ આવે છે.સમયાંતરે તેની ધાતુ ક્ષીણતા થઇ તે શીરા માં સંકીર્ણતા થાય છે.ધામની ની માંફક્તેના પણ અંતઃ સ્તર માં કાચ જેવી રચના(હાયેલીન)થાય છે અને અંતઃ કળા સ્તર નષ્ટ થઇ જાય છે રક્ત રોધ અને કોથ થાય છે. ટીસ્યુ ) નૃપ માં સંગઠિત થાય છે ઘનાસ્ત્ર (થ્રોમ્બસ)ની ઉત્પત્તિ થી શીરા માં શોથ રૂપી પ્રતિ ક્રિયા જોવા મળે છે. *******અપ્સ્ફિત શીરા (વેરીકોઝ વેઇન)-----વાત પ્રકોપ ને લઇ ને શીરા માં અંતઃ તથા મધ્ય સ્તર માં કથીન્ય,રુક્ષતા અને વિસ્ફારિત થઇ જાય છે ;ત્યારે તેમાં કુટિલતા આવે તે મુખ્યત્વે આમાશય માં અર્શ રૂપે ,વૃષણ માં જાળાસ્વરૂપે કથીન્ય અને પગ માં જોવા મળે છે.તેના કારણો માં મુખ્યત્વે શીરા ની કપાતીકા માં જન્મજાત દુર્બળતા છે.--તેનાથી શીરાગત કેન્દ્રીય શોથ થાય છે .જેથી કરી ને દ્વીક્પર્દી (માઈટ્રલ વાલ્વ સ્તેનોસીસ) વાતસ્ફીતી(એમ્ફીસીમા )યકૃત કોથ-વિદ્રધી મુખ્ય છે.
Tuesday, March 2, 2010
હ્રુદ્રોગ- ધમની ગત સ્થાનિક વિસ્ફારણ
******ધમની ગત સ્થાનિક વિસ્ફારણ :---વાયુ પ્રકોપક કારણો ના સેવન થી ,ફીરંગ જેવા રોગો ના ઉપસર્ગ થી અને વાયુ વૃદ્ધિ ને લઇ ને રક્ત વાહીની કે શીરા ના મધ્યસ્તર માં વિકૃતિ આવવાથી વિસ્ફાર થાય છે;અને અનિયમિત રીતે ગુચાળા જેવા આકારે કાથીન્ય અને વિસ્ફાર બંને સાથે જોવા મળે છે.ફીરંગ રોગ ના સંસર્ગ થી મહા ધમની આક્રાંત થતાં રક્ત વાહિની નું મધ્ય સ્તર સ્થૂળ અને વિસ્ફારિત થાય છે.તો ક્યારેક અસ્થાયી રક્ત નું અવગંઠન થઈ ની અંતઃ શલ્યતા થાય છે.ઉપસર્ગ પૂર્વક ના આ રૉગ માં પાકક્રિયા થઈ ને આખા શરીર માં પૂયતા અન સ્થાનિક શીરા માં ધમની ની મધ્યના ધાતુ ક્ષય થતાં રક્ત વહીની ને વિકૃતિ ઉભી કરે છે.પર્શ્વિય પરિધમની ના શોથ ને લઈ રક્ત વાહીની શિથિલ થઈ જાય છે ***સંસર્ગ જાણિત રોગો માં રાજયક્ષમા ના ઉપસર્ગ થી જે તે અવયવ ની શીરા મા ક્ષતિ-ક્ષાત થતાં નુકસાન થાય છે.-ક્યારેક જન્મ-જાત પણ જોવા મળે છે.તેમન મસ્તિષ્ક ના આધાર ની ધમની -શીરા ગ્રસીત જોવા મળે છે ***આવા બે પ્રકાર છે.(૧)યથાર્થ અન (૨) ખોટો-અસ્થાયી --યથાર્થ માં વાહિકા માં મધ્ય પટલ માં કોષ તૈયાર કરે છે.અને બીજા જે મિથ્યા -ખોટો;તેમાં કોશો નો વિકાસ ઉપલા સ્તર માં થાય છે.મિથ્યા વાહિકા વિસ્ફાર માં થયેલ વિદારણ ને લઇ ને થયેલ રક્તાર્બુદ (હેમેટોમા)હોય છે.મહા ધમની ના થતા અંતઃ સ્તરીય વિસ્ફાર તથા તેની શાખા માં જોવા મળે છે.સામાન્ય પણે આજ વિકાર વધારે જોવા મળે છે.****અભીઘાત -આઘાત થી પણ મિથ્યા પ્રકાર નું ધમની ગત સ્થાનિક વિસ્ફારણ જોવા મળે છે. ધમની અને શીરા જ્યાં મળે છે ત્યાં એક વિષેશ પ્રકાર નું રક્ત સંવહન થાય છે. ત્યાં ક્ષત થવાથી શીરા માં રક્ત સંવહન થવાથી શીરા નું વિસ્ફારણ થાય છે.આવી અવસ્થા માં શીરા માં ધામની ની માફક જ સ્પંદન જોવા મળે છે.****જન્મ સમયે જ નભી નળ માવ્રણ થવાથી તેમાં ધામની અને શીરા માં સીધોજ પાર્શ્વ પથ છે તેની અંદર ધામની નું રક્ત શીરા માં અત્યાધિક પ્રમાણ માં આવવાથી શીરા વિસ્ફાર અને વક્રતા બન્નેથાય છે તો ક્યારેક અંશ ફલક માં પણ વિકૃતિ થઇ નેબાહુ-હાથમાં શીરા વિસ્ફાર થાય છે.****અહીં વિસ્ફાર ના કારણે રક્ત નો ભરવો થતાં ત્યાં નું સ્થાનિક કદ અને તાપમાન બંને વધે છે. ---અનો કાર્ય ભાર હૃદય પર પડતા હૃદય પહોળું થાય છે;અને તેનાથી જે તે શાખા -હાથ કે પગ વધારે રક્તાભ દેખાય છે.એક્ષ-રે -સોનોગ્રાફી માં નાલવ્રણ(ફીસ્ચુલા) દેખાય છે. વિચ્છેદક ધમની વિસ્ફાર નો પર્યાય નથી મળતાકેમ કે તેમાં ધમની વિસ્ફાર થતું નથી.તેમાં મધ્ય સ્તર તથા બાહ્ય સ્તર ના ૨/૩ ભાગ થી રક્ત સ્ત્રાવ થાય છે. આ જગ્યા ના આધારભૂત થઇ ને નલિકા માં પ્રસાર થાય છે.તે મધ્ય સ્તર વિભાજીત કરી નાખે છે.તેની અંદર ગયેલું રક્ત મધ્ય સ્તર ને આચ્છાદિત કરે છે અને વિભાજીત સ્થાન સુધી પહોચી જાય છે.મહા ધમની ના સ્તર માં રહેલ રક્ત ને લઇ ને ત્યાં થી નીકળતી વાહિકા ની શાખાઓ પર કાર્ય ભાર પડે છે .તેના કારણે જુદી જુદી જગા એ મધ્ય સ્તરીય અરક્તતા થઇ ને ક્ષતિ પહોચે છે.આવો વિકાર મેરુદંડ ની રક્ત વાહિની માં જોવા મળે છે ત્યાં સ્થાનિક અને ત્યાંથી નીકળતા જ્ઞાનતંતુ જ્યાં જતા હોય તેજગાએ જોવા મળે છે .ફીરંગ વગેરે સંસર્ગ જાણિત રોગો માં પણ આવીજ ઘટના બની જે તે અવયવો માં ક્ષતિ થાય છે.મહા ધામની માં મધ્ય સ્તરીય વિસ્ફાર થવું સામાન્ય છે.તે વધારે પ્રમાણ માં જોવા મળે છે. તેના કારણોમાં ફીરંગ વગેરે ના સંસર્ગ જનીત રોગો છે.તેમાં ધમની ના પ્રત્યાસ્થા ઉતક (એલાસ્તીક ટીસ્યુ )નો નાશ થાય છે,તેના થી લઘુકોષ (સેકુલર ) તથા એથીરોમી તુર્કુરુપી (ફૂસીફોર્મ) પ્રકાર નો થાય છે. તેમાં આરોહી મહા ધમની ચાપ માં વિસ્ફારણ ની શરૂઆત થાય છે.તે મોટા ભાગે લાઘુકોશીય વિસ્ફારણ કહે છે.ક્યારેક એકરૂપી (યુનિફોર્મ) થઇ જાય છે. તેને વિકસિત વિસ્ફાર કહે છે.તેનું મુખ ચીકણી ગોળ કિનારી જેવું થઇ જાય છે.આ વિસ્ફાર આગળ વધતાં ઉરોસ્થી અપરીદિત (ઇરોડ) કરી દે છે.એનાથી વિરુદ્ધ પાછળ ની બાજુ ફેલાય છે ત્યારે કશેરુકા ને ક્ષતિ પહોચાડે છે.એના કારણે રુગ્ણને ઉગ્ર સ્વરૂપે કટિ શૂલ થાય છે.તથા શ્વાસકૃચ્છતા અને શ્વસન સંસ્થાન પર બોજો પડે છે.આજ રીતે જે તે અવયવ ને સંલગ્ન ધમની વિસ્ફાર થતાંજે તે અવયવ ને નુકશાન થાય છે.શરૂઆત માં ઘનાસ્ત્રતા (થ્રોમ્બોસીસ)ને લઇ ને અંતઃ સ્તર રુક્ષ થાય છે.પછી ક્રમશઃ એક પછી એક પડ પર લોહી ના ગઠ્ઠા જમા થઇ ને મહા ધમની ની દીવાલ શોથ યુક્ત થઇ જાય છે અને અંત સ્તર અને મધ્ય સ્તર ક્ષય થઇ જાય છે *****વહીકા સુઘત્ય રોગ---ધમનીઓની પેશી વાળું સ્તર સાંકડું -કથાન અને રુક્ષ થાય છે તથા ક્યારેક તેજ નિદાનો થી પહોળું થાય છે ધમની ની શોથ યુક્ત અવસ્થા માં રોધક ઘનાસ્ત્રતા થઇ ને વિક્ષિપ્ત કરે છે તેથીસંવેદી તંતુ ક્શુભીત થઇ ને અંતસ્થ ધમની માં સંકુચન થાય છે.---આધુનિકો આ રોગ ને બર્ગર ડીસીઝ અને રેનોદ ડીસીઝ કહે છે. આ રોગ માં લાંબા સમય સુધી ધમની ગત અપકર્ષ જોવા મળે છે જેને કારણે અનાક્સપ્તતા (લોકલ એફિક્ષિઅ ) માંન્શીય પાતાળ કોથ (ગેન્ગરિન ) થાય છે .વાહીકા પ્રેરક પ્રણાલી ની ક્ષતિ હાથ પગ પર જલદી જોવા મળે છે.ત્યાં આંગળીઓ માં રક્તાભતા-,સ્પર્શા સહયતા અને પછી અરક્તતા પણ થાય જાય છે.
Subscribe to:
Comments (Atom)